SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૩. પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ પ્રાસાદ બનાવ્યું. આ પ્રાસાદમાં ચારે તરફ નાનાં દેરાસરે છે, ને ચારે તરફ ફરતી ૭૨ દેરીઓ (દેવકુલિકા)વાળી ભમતી છે. જિનાલયમાં ૧૪૪૪ થાંભલા છે, અને મોટાં ભેંયરાં પણ છે. આ રીતે આ મંદિરની માંડણું અજોડ છે. ભારતીય સ્થાપત્ય – ખૂબીની વાત એ છે કે, મનુષ્ય ગમે તે દરવાજે કે દેરીના દરવાજે ઊભો રહીને મૂળનાયક ચૌમુખજીનાં દર્શન કરી શકે છે. વચમાં કઈ ભીંત કે થાંભલે નડતા નથી. પ્રાચીન ભારતીય સ્થાપત્યની આ વિશેષતા છે. લાક્યપ્રાસાદ-તૈયાર થશે. સં. ધરણાશાહે સં. ૧૪૯૯૬ના ફાગણ વદિ પ ના ત્રલોકયપ્રાસાદમાં તપગચ્છના ૫૦મા આ૦ સેમસુંદરસૂરિના હાથે તે પ્રાસાદની તથા ભ૦ ઋષભદેવ વગેરે ચૌમુખ જિનપ્રતિમાઓની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરાવી. તેમજ આ પ્રસંગે મહેક સેમદેવને આચાર્ય પદવી અપાવી. મૂલપ્રાસાદનું કામ ૫૦ ૧૪૯૮ ફાટ વ૦ ૧૦ સુધી ચાલ્યું સં. ઘરણે સં. ૧૫૦૯ વૈ. શુદ ૨ સુધી પ્રતિષ્ઠા કરાવી. સં. રત્નાના વંશજો આજે પણ ઘાણે રાવમાં છે. તેઓ દર સાલ રાબેતા મુજબ ફાગણ વદિ પના રેજની વર્ષગાંઠ ઉજવતા અને નવી ધજા ચડાવતા. તે પછી તેમના વંશજોએ સં. ૧૯૭૯માં શૈલેયપ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવી ભવ કષભદેવની નવા જિનપ્રતિમાને મૂળનાયક તરીકે આ. વિજયદેવસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી વિરાજમાન કરી. આ જિનાલયને છેલ્લો જીર્ણોદ્ધાર તથા પ્રતિષ્ઠા સં૨૦૦૯ના ફાગણ સુદિ ૫ ના રોજ કરવામાં આવ્યું. | (જેન ઈતિક પ્રક. ૫૦, રાણકપુરતીર્થ) સં. ધરણાની બીજી પરંપરા આ પ્રમાણે છે. તેને જાવડ નામે પુત્ર હતા. જાવડને “જસમાદેવી” નામે પત્ની હતી, તથા વનાજી નામે પુત્ર હતો. વનાજીને “વ દેવી” નામે પત્ની તથા (૧) આશપાલ અને (૨) ગુણપાલ નામે પુત્રો હતા. એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy