SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ર જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ નગર વસાવ્યું. એ ઘાણેરાવમાં આજે પણ જૈન શ્વેતાંબર સવાલપિોરવાડેનાં ૪૦૦ ઘર છે અને ૧૧ શ્વેતાંબર જિનાલયે વિદ્યમાન છે. ઘારાવ નવું વસ્યું, તે પછી ધીમે ધીમે વિકાસ પામવા લાગ્યું. સં૦ રન અને સંદુ ધરણુ એ નગરમાં આવીને વસ્યા, અને તેઓએ પિતાના કુટુંબને નાદિયાથી લાવીને અહીં કાયમી વસવાટ કર્યો. બંને ભાઈઓ મૂળથી ધર્મપ્રેમી હતા. ના ભાઈ સં. ધરણુશાહ પરમહંત હતો. તે ચિત્તોડના રાણું કુંભાજીને પ્રીતિપાત્ર હતો (પ્રક. ૪૪ પૃ૩૪) તેણે અમદાવાદના સં૦ ગુણરાજની મદદથી બાદશાહ અહમદશાહનું ફરમાન મેળવી, શત્રુંજયતીર્થને છ’રી પાળા યાત્રા સંઘ કાઢયો (પ્રક. ૪૪ પૃ. ૨૦૮) અને અજારી, પીંડવાડા, સાલેર વગેરે સાત સ્થાનોમાંના જિનાલયેના જીર્ણોદ્ધાર કરાવ્યા. નવાં જિનાલયે પણ બનાવ્યાં. તથા નવી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા પણ કરાવી. આચાર્યપદ, ઉપાધ્યાયપદ, ગણિપદ તથા મહત્તરાપદ વગેરે પદવીઓના અને દીક્ષાના મોટા ઉત્સવ પણ કર્યા. ૩-સં. ધરણ–તે એક વાર સિદ્ધપુર પાટણ ગયો. ત્યાં તેણે રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ રાજવિહાર છે. તેને એવો જિનપ્રાસાદ બંધાવવાની ભાવના ઉદ્ભવી, એવામાં તેણે એક દિવસે સ્વપ્નમાં નલિની ગુલમવિમાન જોયું અને તેણે તે જિનપ્રાસાદ બનાવવા નિર્ણય કર્યો. પણ આ જિનપ્રાસાદ બનાવે, તે કુશળ શિલ્પી પણ જોઈએ ને? દેવગે મુંડારાના પાક નામના એક સલાટને પણ એવું જ સ્વપ્ન આવ્યું. આથી તે સલાટ પણ આવે જિનપ્રાસાદ બાંધવા ચાહતે હતા. સં. ધરણ અને સલાટ પાક બંને મળ્યા. બંનેએ “સ્વપ્નાનુસાર જિનપ્રાસાદ” બનાવવાને નિર્ણય કર્યો. સૂત્રધાર દેપાકે (દેપાએ) જિનપ્રાસાદને નકશે તૈયાર કરી સં. ધરણાની સમ્મતિ મેળવી, એ રીતને રાણકપુરમાં ગૈલોક્યદીપકનામને ત્રણ માળને ૪૫ ફૂટ ઊંચે ચતુર્મુખ જિન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy