SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૫૫ ફરમાન સેળયું (૩) નકલસાર બાદશાહ શાહજહાંનું ચિંતામણિ જૈન મંદિર પાછું આપવાનું ફરમાન સામાન્ય રીતે એવું મનાય છે કે, “મુસલમાને હિંદુઓને જુલમથી વટાળતા, તેમનાં દેવાલ તોડી નાખતા, અને હિંદુ ધર્મને ઉછેદ કરવા મથતા.” પરંતુ જ્યારે કેટલાક મુસલમાન બાદશાહ “આવાં કાર્ય કરવાથી પિતાના ધર્મને લાભ થાય છે” એમ ગણતા ત્યારે બીજાઓ “હિંદુ-મુસલમાનેને સરખા ગણ, તેમને અદલઈન્સાફ આપવામાં સર્વધર્મને માન આપવામાં આવે, અન્ય ધર્મ સાથે ભાઈચારે વધારવામાં આપણું કર્તવ્ય રહેલું છે” એમ સમજતા. બાબર, અકબર, જહાંગીર અને શાહજહાં આ બીજા વર્ગના બાદશાહે થઈ ગયા. અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ ઘણુ પૈસા ખરચીને મેટું જેન દેવાલય બંધાવ્યું હતું. શાહજાદા ઔરંગઝેબના હુકમથી તે દેવળ તેડી પાડીને તેને ઠેકાણે મસીદ બાંધવામાં આવી. તેથી નારાજ થઈ શાંતિદાસ બાદશાહને ફરિયાદ કરવા દિલ્હી ગયા, શાહજહાંએ શેઠની સર્વ હકીકત સાંભળીને ન્યાયની ખાતર પિતાના શાહજાદા દારાશિકેહની સહીથી પરવાને લખી મેકલ્ય, તેમાં અમદાવાદના હાકેમને એવું ફરમાવ્યું કે, તેણે મસીદને સ્થળે નવું દેરું બાંધી આપવું, જૂના દેવળને જે સરસામાન મુસલમાનેએ લઈ લીધું હોય તેને કબજે શેઠને ઓંપ. હવે પછી કેઈએ તેમને હેરાનગતિ કરવી નહીં. તથા અમુક અમુક જૈન તહેવારે શહેરમાં જીવહિંસા કરવી નહીં. પરધમ બાદશાહે જે ઈન્સાફ આ તે ઈન્સાફ બીજા પરધર્મી મહારાજા ભાગ્યે જ આપી શકે. વળી, બાદશાહ શાહજહાંએ જેનેના પૂજ્ય શેત્રુંજા પર્વતની આસપાસ તેમ પાલીતાણુમાં જીવહિંસા ન કરવાને પરવાને કાઢયો હતે. એ જ પ્રમાણે અકબર અને જહાંગીર બાદશાહે પણ જીવહિંસા ન કરવાના પરવાના કાઢયા હતા, તથા જૈનધર્મને મદદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy