SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાને ઈતિહાસભાગ ૩ [ પ્રકરણ બાદશાહ જહાંગીરે સં૦ ૧૬૭૬માં મહા ભાનુચંદ્રને અમારિનું ફરમાન આપ્યું હતું. તેમાં પણ તેણે સેરઠ સરકારને આ વિજયસેનસૂરિ અને આ૦ વિજયદેવસૂરિની સંભાળ રાખવાની ભલામણ કરી હતી. બાદશાહ જહાંગીરના કેટલાક પ્રશસ્ય પ્રસંગે પણ મળે છે. કેટલાક આ પ્રકારે જાણવામાં આવ્યા છે : બાદશાહ જહાંગીરની બેગમ નૂરજહાં હતી. તે રૂપાળી, ચકેર અને બુદ્ધિશાળી હતી. રાજ્ય સંચાલનમાં દક્ષ હતી. તેણે બાદશાહ જહાંગીરને સ્વભાવ વિચિત્ર હોવાથી રાજ્યની લગામ પિતાના હાથમાં લીધી. તે જહાંગીરના નામથી રાજ્ય ચલાવતી. આથી જેન શિલાલેખમાં “બાદશાહ જહાંગીર અને બેગમનું રાજ્ય” બતાવ્યું છે. “નરદ્ધિજહાંગીરરાયે” (એટલે નૂરજહાં અને જહાંગીર એમ બે જહાંના રાજ્યમાં એવા શબ્દો વપરાયા છે. તે પ્રજાવત્સલ હતી. તેણે સાચે ઈન્સાફ કરવા માટે ઊંચા પ્રકારની વ્યવસ્થા ગોઠવી હતી. આથી જહાંગીરને ઈન્સાફ ઈતિહાસમાં ખૂબ વખણાયે છે. જહાંગીરના જીવનમાં રહેલા સગુણે તેણે આપેલા ફરમાનેથી સમજી શકાય છે. બાદશાહ જહાંગીર પિતાના વિરોધીઓના બળવાને શમાવી સં. ૧૬૬૫માં આગરા આવ્યો અને તે સારા મુહૂર્તમાં શહેરમાં પ્રવેશ કરવા ખાતર ઘણુ સમય સુધી શહેર બહારના બગીચામાં મુકામ નાખીને રહ્યા હતા. તેને પોતાના પિતાની જેમ “રખડપટ્ટી” પસંદ નહોતી, એટલે તેણે હવે શાંતિમય જીવન ગાળવા, અને પિતાની જેમ વિદ્વાને અને ધર્મી પુરુષના સહવાસમાં વધુ રહેવાને નિરધાર કર્યો. તે આ૦ હીરવિજયસૂરિ, આ. વિજયસેનસૂરિ, મહે શાંતિચંદ્ર ગણિ, મહ૦ ભાનુચંદ્ર ગણિ, ખુશફહમ પં. સિદ્ધિચંદ્રગણિ, મહ૦ વિવેકહર્ષગણિ, પં. પરમાનંદગણિ વગેરેના વધુ પરિચયમાં આવ્યું હતું. આ વિદ્વાન મુનિવરે પ્રત્યે તેને અત્યંત સદ્દભાવ હતે. જામખણાયોકની. આથી જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy