SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલીશમું ] આ મુનિચંદ્રસૂરિ ૪૯૯ (૩) આ॰ વિજયસિ’હ—તેએ ચૈત્યવાસી હતા. ચંદ્રાવતીના નવગૃહચૈત્યમાં રહેતા હતા. વિદ્વાન હતા. તેમણે ‘ઉપદેશમાલા’નું વ્યાખ્યાન કરતાં કરતાં વૈરાગ્ય પામી આ॰ ચંદ્રપ્રભની નિશ્રા સ્વીકારી. (૪) આ શીલગુણ—તેઓ નાણાવાલગચ્છના ચૈત્યવાસી હતા. તે તથા તેમના પટ્ટધર આ૦ દેવભદ્રથી “ત્રિસ્તુતિકમત” નીકળ્યો. (૫) આ૦ વિજયચંદ્ર—તેઓ નાણાવાલગચ્છના ચૈત્યવાસી ઉપાધ્યાય હતા. આ॰ શીલગુણ તેમના મામા થતા હતા. તેમણે તેમની સાથે જ પૂર્ણિમાપક્ષ સ્વીકાર્યો અને સ૦ ૧૧૬૯માં વિધિપક્ષ તથા સ૦ ૧૨૧૩ (૧૨૧૪)માં અચલગચ્છ પ્રકટ કર્યાં.૧ (-આ॰ મહેન્દ્રકૃત શતપદીપદ : ૧૦૮) ૪૦. આ ચંદ્રપ્રભ-તેમણે દશનશુદ્ધિ, પ્રમેયરત્નાશ, તથા સ્તાત્રા વગેરે કૃતિઓની રચના કરી છે. હતા. ૫૦૦ ૪૧. આ૦ ધ ઘોષસૂરિ તેઓ ચૈત્યવાસી દેરાસરની આવક, વહીવટ તેમજ ૩ લાખ દ્રવ્યની રકમ છેડી દઈ સાધુ થયા. તેમણે પચાસ વર્ષ સુધી એકાંતર ઉપવાસ કર્યાં અને પારણામાં પણ માત્ર કાંજી અને ખીચ લેતા હતા. તે વિદ્વાન હતા. નિઃસ્પૃહ-ત્યાગી હતા. તેમને રાજા સિદ્ધરાજ બહુ માનતા હતા. તેમણે શબ્દસિદ્ધિ’ તથા ‘મહરિસીકુલય” (ઋષિમ’ડલ) રચ્યાં છે. આ૦ શેર્ઘોષના શિષ્ય આ હેમપ્રભ ‘પ્રશ્નોત્તરરત્નમાલાવૃત્તિ’ (સ’૦ ૧૨૪૩)માં લખે છે કે— -- जज्ञे श्रीजयसिंहभूपतिनतः श्रीधर्मघोषप्रभुः ॥ ... निर्ग्रन्थचूडामणिः || તેમની પાટે થયેલા આચાર્યાંનાં નામે નીચે મુજમ મળે છે(૧) આ૦ ચક્રેશ્વરસૂરિ—તેઓ ચૈત્યવાસી આ૦ વર્ષ માનના શિષ્ય હતા. મઠાધીશ હતા. પરમશાંત હતા. તેમણે આ૦ ચંદ્રપ્રભની નિશ્રા સ્વીકારી હતી. તેમના ઉપદેશથી ૪૧૫ રજપૂતા જૈન બન્યા ૧. આ॰ વિજયસિંહ અને આ॰ વિજયચંદ્ર એકજ સંભવે છે. તેમ મા દેવપ્રભ અને આ૦ દેવભદ્ર (સં૦ ૧૨૨૪) પણ એક જ હેાવાને સંભવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy