SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ બત્રીશમું] આ પ્રદ્યુમ્નસૂરિ વલભી--સંગ - વીર નિર્વાણ સં. ૮૪૫માં વલભી ભાંગ્યું હતું. એને ઉલ્લેખ પહેલાં (પ્ર. ૨૩, પૃ. ૩૯માં) આવી ગઈ છે. ત્યાર પછી વલભી રાજાઓએ વલભી નગરને ફરી ખૂબ સમૃદ્ધ બનાવ્યું હતું અને સૌરાષ્ટ્ર, ખેડા, વડનગર તથા ગેધશના પ્રદેશો સુધી પિતાની સત્તા ફેલાવી હતી. બીજી તરફ ભિન્નમાલથી પંચાસર સુધીને પ્રદેશ તે સમયે ગુજરાત તરીકે ઓળખાતા હતા તેમાં પંચાસર, જે કે ભિન્નમાલનું ખંડિયું રાજ્ય હતું, કિન્તુ સમૃદ્ધ હતું. વિક્રમની આઠમી સદીના ઉત્તરાર્ધથી આ નગરેએ અવળે ઝેક ખાધા. વિ. સં. ૭પરમાં કલ્યાણના ભૂવડે આવી પંચાસર સર કર્યું. વિ. સં. ૭૮૦માં સિંધના અરબી લશ્કરે આવી પંચાસરને નાશ કર્યો અને ભરૂચ જંપ્યું. વિ. સં. ૮ન્દ્રમાં વનરાજ ચાવડાએ મહેસૂલખાતાના અધિકારીને મારી, લશ્કર ઊભું કરી પાટણની ગાદી સ્થાપી. વિ. સં. ૮૧૩માં નારના પ્રતિહારવંશી નાગાલેકે ભરૂચના રાજાને મારી ચૌહાણ ભર્તુવૃદ્ધને ત્યાંને સૂબો બનાવ્યો, રાષ્ટ્રકૂટવંશી રાજા કર્કને મારી લાટ તથા માળ, જીતી લીધાં. વિ. સં. ૮૩ર લગભગમાં રાંકા વાણિયાએ કાવત્રું કર્યું અને અરબી ટોળીએ આવી વલભી ભાંગ્યું. વળી ડાં વર્ષો પછી ભિન્નમાલ પણ તૂટયું. વગેરે...વગેરે........ અબેરૂની લખે છે કે –વિ. સં. ૮૧૪માં સિંધના અલમનસુરના અરબી રાજા હશામ ઈન્ત અમરૂઅલ તઘલખીએ સેનાપતિ જમાલને દરિયાઈ રસ્તે મેલી વલભી પર હલ્લે કર્યો હતે; વળી વિ. સં. ૮૩રમાં શંકા વાણિયાની શિખવણીથી ફરીવાર વલલી અર હલે કર્યો હતો, અને વલભી ભાંગ્યું હતું, પરંતુ અચાનક - ચાળો ફાટી નીકળવાથી તેના સૈન્યને નાશ થયો હતે. (પૃ. ૩૯૯) એટલે વિ. સં. ૮૩રમાં વલભીપુર ભાવયું છે. આ જિનપ્રભસૂરિ “સત્યપુર તીર્થના કલ્પમાં લખે છે કે–વિ. સં. જપમાં હમીરના સેન્ચે વલભી ભાંગ્યું છે. આ બન્ને સાલવારીઓ પાસે પાસે પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy