SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ચેથું]. આ૦ શ્રીશચંભવસરિ ૧૧૫ આ “દશવૈકાલિકસૂત્રનાં દશે અધ્યયમાં આદર્શ સાધુજીવન કેવી ઉચ્ચ કેટિનું હોય અને તે અજરામર પદદાયક કેવી રીતે થાય છે તેનું સુંદર સ્વરૂપદર્શન કરાવ્યું છે. આ સૂત્ર ઉપર આ ભદ્રબાહુસ્વામીએ નિર્યુક્તિ રચી છે. આ હરિભદ્રસૂરિ, આ તિલકાચાર્ય અને દિગંબર આચાર્ય અપરાજિતસૂરિ વગેરે પ્રાચીન તથા અર્વાચીન આચાર્યોએ ટીકાઓ રચેલી છે. તેમજ આ સૂત્રના ટખા અને પ્રચલિત ભાષામાં અનેક ભાષાંતરે પણ થયાં છે. શ્રીશય્યભવસૂરિજીએ “દશવૈકાલિકસૂત્ર'માં અહિંસા સંયમ અને તપ ઉપર જોર આપી આત્મધર્મનું નિરૂપણ કર્યું છે. અને સાથે જ તે વખતના બ્રાહ્મણેમાં પ્રચલિત હિંસા, અસંયમ, ઇદ્રિની સ્વચ્છતા અને છાવત ઉપર પૂબ “જેરશેરથી” ટકા લગાવ્યા છે. મનક મુનિવર આ સૂત્ર અનુસાર સાધુજીવન આરાધી દેવલોકમાં ગયા છે. પાછળથી સૂરિજીને આ બાલમુનિના વર્ગથી દુઃખ પણ થયું છે. શિષ્યએ દુખનું કારણ પૂછવાથી પિતે જણાવ્યું કે, “આ બાલમુનિ મારે પુત્ર હતો. ત્યારે શિષ્યએ લજજાશીલ બનીને કહ્યું: “અમને એ ખબર હેત તે અમે એની પણ સેવા કરત, પણ સેવા તે ન જ કરાવત. સૂરિજીએ તેમનું સમાધાન કરતાં કહ્યું: “તે પછી એ બાલમુનિનું કલ્યાણ કેમ થાત? વળી જે ઉદ્દેશથી આ “ દશવૈકાલિકસૂત્ર બનાવ્યું તે ઉદ્દેશ પણ સફળ થયે છે તે કેમ થાત? માટે વત્સ! હવે તે જે થયું તે ખરું. એને શેક કર શા કામને?” શિષ્ય બેલ્યાઃ “પ્ર! આ દશવૈકાલિકસૂત્ર અમને પણ ભણા. સૂરિજીએ ખુલાસો કર્યો કે, “આ બાળમુનિનું આયુષ્ય માત્ર ૬ માસનું જ હતું એટલે એને માટે એ જરૂરી હતું. હવે એને શખવાની જરૂર નથી.” શિવેએ તેનું પઠન-પાઠન બંધ કરવાની ના પાડી. વળી શ્રીસંઘે પણ આ વાત જાણી સરિજી મહારાજને વિનંતિ કરી કે “આ સૂત્ર ભવિષ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy