SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિ પ્રકરણ ते उ भयणोवणीया सम्मइंसणमणुत्तरं होंति । जं भवदुक्खविमोक्खं दो वि न पूरेंति पाडिक्कं ॥५१॥ नत्थि पुढवीविसिट्ठो ‘घडो' त्ति जं तेण जुज्जइ अणण्णो। जं पुण ‘घडो' त्ति पुव्वं ण आसि पुढवी तओ अण्णो ।। ५२ । શાક-બૌદ્ધી, ઔલૂ-વૈશેષિકે સાંખ્યના સાદપક્ષમાં જે દોષો કહે છે, અને વળી તે સાંખ્ય બૌદ્ધ અને વૈશેષિકના અસદ્વાદપક્ષમાં જે દેષો કહે છે, તે બધાયે સાચા છે. [૫૦]. - તે સાદ અને અસદ્ધાદ બને અનેકાંતદષ્ટિએ ગોઠવાય ત્યારે જ સર્વોત્તમ સમ્યગ્દશન બને છે; કારણ કે એ બને એક એક જુદા સંસારના દુઃખથી છૂટકારે સાધતા નથી. [૫૧] જે માટે ઘટ એ પૃથ્વીથી ભિન્ન નથી તેથી તે તેનાથી અભિન્ન ઘટે છે; વળી જે માટે પૃથ્વી એ પહેલાં ઘડો ન હતી તેથી તેનાથી ભિન્ન છે. [૨] અહીં બે વાતો બતાવવામાં આવી છે. એકાંતદષ્ટિમાં આવતા દેષને અનેકાંતદષ્ટિમાં સ્થાન નથી જ; અને અનેકાંતષ્ટિ પ્રમાણે ફલિત થતું વસ્તુનું સ્વરૂપ. કાર્ય અને કારણને ભેદભેદ વિષે અનેક દષ્ટિએ પ્રવર્તે છે. બૌદ્ધ અને વૈશેષિક દર્શન ભેદવાદી હોઈ કારણ અને કાર્ય ભિન્ન ભિન્ન છે એમ માને છે, તેથી જ તેઓ અસત એટલે ઉત્પત્તિ પહેલાં કારણમાં નહિ એવા અપૂર્વ જ કાર્યની ઉત્પત્તિ સ્વીકારે છે. તેથી ઊલટું, સાંખે અભેદવાદી હેઈ કારણ અને કાર્ય અભિન્ન છે એમ માને છે અને તેથી જ તેઓ સત એટલે ઉત્પત્તિ પહેલાં પણ કારણમાં વિદ્યમાન એવા કાર્યની ઉત્પત્તિ વર્ણવે છે. બૌદ્ધ અને વશેષિક પિતાના પક્ષનું સ્થાપન કરતાં સાંબેના સતકાર્યવાદને દૂષિત કરવા કહે છે કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy