SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૨ સમતિ પ્રકરણ વૈશેષિકાદિ દર્શનાન્તરના અનુયાયી અને કેટલાક જૈન દર્શનાનુયાયી વિદ્વાને પણ માને છે કે, જે ભિન્ન ભિન્ન પ્રમાણથી ગ્રાહ્ય હોય અગર જેનાં લક્ષણે ભિન્ન હોય તેના વચ્ચે ભેદ જ હોય છે, જેમ કે થાંભલા અને ધડા વચ્ચે; તે જ પ્રમાણે દ્રવ્યના ગ્રાહક પ્રમાણ કરતાં સ્પ આદિનું ગ્રાહક પ્રમાણ ભિન્ન છે. કારણ કે, ઘટ આદિ દ્રવ્ય નેત્ર સ્પશન એ બે ઇન્દ્રિયથી ગ્રાહ્ય બને છે અને એક માનસ અનુસંધાનને વિષય બને છે, ત્યારે પ સ્પર્શ આદિ ગુણો ફક્ત એકએક ઇદ્રિયગ્રાહ્ય છે અને ઉભયઈદ્રિયજન્ય ગ્રહણના માનસ અનુસંધાનના વિષય બનતા નથી. એ જ રીતે બન્નેનાં લક્ષણે પણ જુદાં છે. દ્રવ્ય એ ગુણાશ્રય અને ક્રિયાશ્રય છે, જ્યારે ગુણે એ દ્રવ્યમાં રહેનારા તથા સ્વયં નિર્ગુણ અને નિષ્ક્રિય છે. તેથી જ દ્રવ્યને આશરે રહેલા ગુણ એ તેનાથી ભિન્ન છે એમ જ માનવું યોગ્ય છે. [૮] દ્રવ્ય અને ગુણના ભેદના નિરા પ્રસંગે ગુણ અને પર્યાયના અભેદની ચર્ચા – दूरे ता अण्णत्तं गुणसद्दे चेव ताव पारिच्छं । किं पज्जवाहिओ होज्ज पज्जवे चेव गुणसण्णा ।६।। . दो उण णया भगवया दवट्ठिय-पज्जवट्ठिया नियया । एत्तो य गुणविसेसे गुणट्ठियणओ वि जुज्जंतो॥१०॥ ૧. મૂળ ગાથામાં તો “કે” એવા અર્થવાળું વેન્દ્રિત પદ છે. અહીં ટીકાકારે કરેલ અર્થ લેવામાં આવે છે. કયા જૈન વિદ્વાનોને લક્ષીને ટીકાકારે સ્વયૂરો અર્થ કર્યો હશે એ કહી ન શકાય. કોઈ એવા પણ જિન વિદ્વાને અગર તેમના ગ્રંથે ટીકાકાર સામે હોય કે જેઓ વિશેષિક આદિની પેઠે ગુણેને દ્રવ્યથી ભિન્ન માનતા હોય. કુંદકુંદ, ઉમાસ્વાતિ વગેરે ગુણોને ભિન્ન માને છે છતાં તેઓ એકાંતવાદી તો નથી જ; એટલે તેમને લક્ષોને ટીકાકાર સ્વયૂશ્ચ કેમ કહી શકે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy