SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ , ૨૨૫ પ્રથમ કાંડઃ જ પરીક્ષા કરવા જેટલી બુદ્ધિ કેળવાય છે ત્યારે તેને પિતાની બાલ અવસ્થાની ભૂલે યાદ આવે છે અને તેથી તે શરમાય છે; એ જ રીતે તેને વિવેક તેને ભાવિ સુખ મેળવવા માટે ગુણ કેળવવા પ્રેરે છે. આ રીતે જુવાનીમાં ભૂતકાળના દેવસ્મરણથી થતી ગ્લાનિ અને ભાવિ સુખની આશામાંથી ઉત્પન્ન થતી ગુણચિ એ બને જુવાનીમાં વર્તમાન પુરુષને ભૂત અને ભવિષ્ય સાથે સંબંધ જોડે છે; કારણ કે જે તે પહેલાં ન હોય અને તેણે ભૂલ ન કરી હોત તો આજે શાને શરમાય ? અને જે તે ભાવિમાં રહેવાનો ન જ હોય તે કોના સુખ માટે અત્યારે તે સાધન મેળવવા ઈછે? તેથી પુરુષ એ ધ્રુવ જ છે. એ રીતે પ્રથમ દેશના ભેદસ્પશી હોવાથી માત્ર ઉપરના બાલ્ય યૌવન આદિ ભાવોને જુદા જુદા સત્ય માને છે, અને બીજી દેશના અભેદસ્પર્શી હોવાથી અંદરના વૈકાલિક ધ્રુવ અંશને સત્ય માને છે. આ બન્ને દેશના પિતપિતાના પ્રદેશમાં સમર્થ હોવા છતાં જુદી જુદી હોય તે અધૂરી જ છે. તેથી તે નિરપેક્ષ હોય તો જૈન પ્રરૂપણામાં સ્થાન નથી પામતી. [૪૨-૪૩] ખરી રીતે પુરુષ કેવા સ્વરૂપવાળે છે તેનું કથન અને તે દ્વારા જીવના સ્વરૂપને નિશ્ચય – ... य होइ जोव्वणत्थो बालो अण्णो वि लज्जइ ण तेण। ण.वि य अणागयवयगुणपसाहणं जुज्जइ विभत्ते ॥४४॥ जाइ-कुल-रूव-लक्खण-सण्णा-संबंधओ अहिगयस्स । बालाइभावदिट्ठविगयस्स जह तस्स संबंधो ।। ४५। तेहिं अतीताणांगैयदोसगुणदुगुंछणऽब्भुवगमेहि । तह बंध-मोक्ख-सुह-दुक्खपत्थणा होइ जीवस्स ।। ४६ ।। જુવાનીમાં વતતે પુરુષ એ બાળ જ નથી અર્થાત ભિન્ન છે, તેમ જ તે માત્ર ભિન્ન નથી, કારણ કે ભિન્ન હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy