SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ સન્મતિ પ્રકરણ ... जह दवियमप्पियं तं तहेव अत्थि त्ति पज्जवणयस्स। ण य ससमयपन्नवणा पज्जवणयमेत्तपडिपुण्णां ।। ४२ ॥ જે દ્રવ્ય જે પ્રકારે અપિત–ઉપસ્થિત હોય, તે દ્રવ્ય તેમ જ છે એમ પર્યાયાર્થિક નયની દેશના છે. પણ દ્રવ્યનિરપેક્ષ અર્થાત્ માત્ર પર્યાય નયમાં પૂર્ણતા પામતી એ દેશના તે સ્વસમયની પ્રરૂપણ નથી. [૪] કેવલ દ્રવ્યાર્થિક નયની દેશનાનું જે વક્તવ્ય છે, તેનું યુક્તિ વડે કથન – पडिपुण्णजोव्वणगुणो जह लज्जइ बालभावचरिएण । कुणइ य गुणपणिहाणं अणागयसुहोवहाणत्थं ।। ४३ ॥ જુવાનીની અવસ્થાને પ્રાપ્ત થયેલો પુરુષ જેવી રીતે બાલપણની ચેષ્ટા વડે શરમાય છે, તેવી જ રીતે ભાવિ સુખ મેળવવા માટે ગુણોની અભિલાષા કરે છે. [૩] પર્યાયાર્થિક નય ઇન્દ્રિયગોચર પ્રત્યક્ષ રૂપને જ સ્વીકાર્ત હોવાથી તેની દષ્ટિએ ત્રણે કાળમાં સ્થાયી એવું કઈ તત્ત્વ નથી. એ ફક્ત વર્તમાન કાળમાં દેખાતાં સ્વરૂપને જ માનતે હેવાથી, તેની દૃષ્ટિમાં અતીત અને અનાગતના સંબંધ વિનાની ફક્ત વર્તમાન વસ્તુ સત્ય છે; તેને મતે દર ક્ષણે વસ્તુ જુદી જુદી છે. તેથી ઊલટું દ્રવ્યાર્થિક નય ત્રણે કાળમાં સ્થાયી એવા એક ધ્રુવ તત્ત્વને જ જુએ છે, તેથી તેની દૃષ્ટિમાં સૈકાલિક ભેદો જેવી કાંઈ વસ્તુ જ નથી. દ્રવ્યાર્થિક નય એક સૈકાલિક સ્થાયી તત્વને સિદ્ધ કરવા યુક્તિ આપીને કહે છે કે, જ્યારે કઈ પુરુષ જુવાન થાય છે અને ગુણદોષની ૧. ગાગ ૨ અને ૩ ને ભાવાર્થ અહીં ભેગે આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy