SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ સન્મતિ પ્રકરણ પણ સ્પષ્ટપણે પ્રતિપાદક પદ્ધતિથી નાનાં નાનાં પ્રકરણમાં વર્ણવે છે. અને તેમ કરી બધા જ વિદ્વાનોને સર્વ દર્શનનો અભ્યાસ સુલભ કરવાને ટૂંકે માર્ગ ખુલ્લું મૂકે છે. - (ડ) સ્વમાવ – તેમને સ્વભાવ સદા પ્રસન્ન અને ઉપહાસશીલ હશે. કારણ કે તેઓ ઘણી વાર એક સામાન્ય વસ્તુને એવી ઢબે વર્ણવે છે કે જેને સાંભળતાવેંત ગમે તે ગંભીર માણસ એક વાર તે ખડખડાટ હસ્યા સિવાય ભાગ્યે જ રહી શકે. * (ચ) રષ્ટિ – તેમની દૃષ્ટિ સમાચક હતી એટલે તેઓ તર્ક દ્વારે કઈ પણ વસ્તુનું નિર્ભય પરીક્ષણ કરતાં છતાં તેઓ સાંપ્રદાયિકતાથી મુક્ત ન હતા; કારણ કે તેમની દષ્ટિ પર સંપ્રદાય ઉપર આક્રમણ કરતી વખતે તેને તીવ્ર આશ્રય લે છે, ત્યારે સ્વસંપ્રદાયની તકબળે સાબિત ન થઈ શકે એવી બાબતોને માત્ર શ્રદ્ધાને આધાર લઈ તેના ઉપરથી તાર્કિક પરવાદીઓ સામે તર્કબળથી જ સિદ્ધાંત સ્થાપે છે.* અર્થાત્ સ્વસંપ્રદાય અને પરસંપ્રદાયની બાબતો વિષેની પરીક્ષા કરતી વખતે તેમની તર્કબુદિની તુલા એક સરખી નથી દેખાતી. (છ) રાગ, સમા અને વાવશોષ્ટિનો વરવા – તેઓને કોઈ પણ રાજાને ખાસ પરિચય હતો, કારણ કે તેઓ સ્તુતિ કઈ રાજાને વિષે જ રચે છે. રાજસભાને પરિચય પણ તે સ્તુતિ ઉપરથી અને વાદ વિષયક બત્રીશીઓ ઉપરથી સ્પષ્ટ થાય છે. વાદગોષ્ઠિમાં તો તેમને અંગત જ ઊભા રહેવાનો અને બીજાઓની એવી ગણિઓ નજરે જેવાને ખૂબ જ પ્રસંગ આવ્યો હોય એમ લાગે છે. કારણ કે તેઓ વાદના નિયમનું અને જલ્પવિતંડાના દોષોનું નજરે જોયું હોય એવું તાદશ વર્ણન કરે છે. (જ) પ્રતિમા – તેમની પ્રતિભા નવસર્જનકારિણે હતી એમ લાગે છે. કારણ કે તેમણે સ્તુતિઓ રચવામાં પૂર્વાચાર્યોનું અનુકરણ ૩. દા. ત... બત્રીશી ૬, ૧, તથા ૮, ૧; ૧૨, ૧. ૪. દા. ત. બ૦ ૧, ૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy