SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ - જૈન ધર્મ અને દર્શન શ્વેતાંબર કે સ્થાનકવાસી પરંપરા સચેલ-ધર્મમાં માનવા છતાં, તેનું સમર્થન અને અનુસરણ કરવા છતાં, અચેલ-ધર્મની અવગણના, અનાદર કે ઉપેક્ષા કરતી નથી; બલ્કે તે બંને પરંપરાઓ દિગંબરત્વના પ્રાણરૂપ, અચેલ-ધર્મનું પ્રધાનપણું સ્વીકારીને જ અધિકારી વિશેષ પરત્વે સચેલ-ધર્મની પણ અગત્યતા જુએ અને સ્થાપે છે. આ ઉપરથી આપણે ત્રણે ફિરકાઓની દૃષ્ટિ તપાસીશું તો સ્પષ્ટ જણાશે કે વસ્ત્રાચારની બાબતમાં દિગંબર પરંપરા અનેકાંતદૃષ્ટિ સાચવી શકી નથી, જ્યારે બાકીની બે પરંપરાઓએ વિચારણામાં પણ વસ્ત્રાચાર પરત્વે અનેકાંતષ્ટિ સાચવી છે અને અત્યારે પણ તેઓ તે દૃષ્ટિને જ પોષે છે. ત્રણે ફિરકાના ઉપલબ્ધ સાહિત્યમાં ઐતિહાસિક દૃષ્ટિએ નિર્વિવાદપણે સૌથી વધારે પ્રાચીન મનાતા શ્વેતાંબરીય અંગ સાહિત્યમાં અને તેમાંય સૌથી વધારે પ્રાચીનતાના અંશો ધરાવનાર આચારાંગ સૂત્રમાં આપણે અોલ અને સચેલ બંને ધર્મોનું વિધાન જોઈએ છીએ. આ બંને વિધાનોમાં એક પ્રથમનું અને બીજું પછીનું છે એમ માનવાને કશો જ પુરાવો નથી; તેથી ઊલટું અચેલ અને સચેલ ધર્મનાં બંને વિધાનો મહાવીરકાલીન છે એમ માનવાને અનેક પુરાવાઓ છે. આચારાંગમાંના ઉપરથી વિરોધી દેખાતાં એ બંને વિધાનો એકબીજાની એટલાં નજીક છે તેમજ એકબીજાનાં એવાં પૂરક છે અને તે બંને વિધાનો એક જ ઊંડી આધ્યાત્મિક ધૂનમાંથી એવી રીતે ફલિત થયેલાં છે કે તેમાંથી એકનો લોપ કરવા જતાં બીજાનો છેદ ઊડી જાય અને પરિણામે બંને વિધાનો મિથ્યા ઠરે. તેથી એ આચારાંગના પ્રાચીન ભાગો ઐતિહાસિક દૃષ્ટિએ તપાસતાં પણ હું નિર્વિવાદપણે એવા નિશ્ચય ઉપર આવ્યો છું કે અચેલ-ધર્મની બાબતમાં વી૨૫રં૫રાનું પ્રતિનિધિત્વ જો પ્રમાણમાં વિશેષ યથાર્થપણે અને વિશેષ અખંડપણે સચવાયું હોય તો તે દિગંબર ફિકામાં નહિ, પણ શ્વેતાંબર અને સ્થાનકવાસી ફિરકામાં છે. (૨) હવે આપણે ઉપાસનાની બાબત લઈ વીરપરંપરાના પ્રતિનિધિત્વનો પ્રસ્તુત પ્રશ્ન ચર્ચીએ. એ કહેવાની ભાગ્યે જ જરૂ૨ છે કે વીરપરંપરાના અનેક મહત્ત્વના અંશોમાં મૂર્તિ-ઉપાસનાને પણ સ્થાન છે. આ ઉપાસનાની દૃષ્ટિએ સ્થાનકવાસી ફિકો તો વીરપરંપરા-બહિષ્કૃત જ છે, કારણ કે તે આગમિક પરંપરા, યુક્તિવાદ, આધ્યાત્મિક યોગ્યતા અને અનેકાંતદૃષ્ટિ એ બધાનો ઇન્કાર કરી એક યા બીજા કોઈપણ પ્રકારની મૂર્તિ-ઉપાસનામાં માનતો નથી. તેથી ઉપાસનાની બાબતમાં શ્વેતાંબર અને દિગંબર બે ફિકા વચ્ચે જ વિચારવાનું પ્રાપ્ત થાય છે. એમાં સંદેહ નથી કે દિગંબર-૫રં૫રાસંમત નગ્ન મૂર્તિની ઉપાસના વીતરાગત્વની સગુણ ઉપાસના વાસ્તે વધારે બંધબેસતી અને નિરાડંબર હોઈ વધારે ઉપાદેય પણ થઈ શકે, પરંતુ આ બાબતમાં પણ દિગંબર પરંપરાનું માનસ, વિચારણા અને વ્યવહારની દૃષ્ટિએ, ઐકાન્તિક જ છે. શ્વેતાંબર પરંપરાના આચાર-વિચાર અને ચાલુ પુરાતન વ્યવહારને તપાસીશું તો આપણને જણાશે કે એણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy