SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ વિરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ • ૮૩ આવે તોપણ ત્રણે ફિરકાના અભિજ્ઞ અનુગામીઓ એક જ સરખી રીતે પોતાની અનેકાંતદષ્ટિ મૂકે. આ રીતે જૈનેતર દર્શનો સાથેના વિચાપ્રદેશમાં વીરપરંપરાના દરેક અનુગામીનું કાર્ય અનેકાંતદષ્ટિની સ્થાપના પૂરતું ભિન્ન નથી, અધૂરું નથી કે ઓછુંવતું પણ નથી. તેમ છતાં વીરપરંપરાના એ ત્રણે ફિરકાઓમાં આચાર – ખાસ કરીને મુનિ આચાર અને તેમાંય મુનિ સંબંધી માત્ર વસ્ત્રાચારની બાબતમાં અનેકાંતદષ્ટિનો ઉપયોગ કરી તપાસીશું તો આપણને સ્પષ્ટ જણાશે કે કઈ પરંપરામાં વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ સચવાઈ રહ્યું છે. ઉપાસના – ખાસ કરી મૂર્તિ-ઉપાસનાને લઈ અનેકાંતદષ્ટિએ તપાસીશું તોપણ આપણને સમજાશે કે કઈ પરંપરામાં અનેકાંતદષ્ટિનો વારસો જાણે કે અજાણે વધારે અખંડપણે સચવાઈ રહ્યો છે. છેવટે આપણે શાસ્ત્રોના ત્રણેય ફિરકાગત વારસાની દૃષ્ટિએ પણ પ્રસ્તુત પ્રશ્ન વિશે વિચારીશું. (૧) આધ્યાત્મિક વિકાસની વિવિધ ભૂમિકાઓને સ્પર્શ કરતા જૈનત્વની સાધનાના સ્વતંત્ર વિચારથી તપાસતાં અગર ત્રણે ફિરકાના ઉપલબ્ધ સમગ્ર સાહિત્યનું એકંદર તોલન કરતાં એ તો સ્પષ્ટ દીવા જેવું દેખાય છે કે મુનિ-વસ્ત્રાચાર સંબંધી સચેલ અને અચેલ બંને ધમમાંથી ભગવાન મહાવીર કે તેમના જેવા ઈતર મુનિઓના સમગ્ર જીવનમાં અગર તો તેમના જીવનના મહત્ત્વના ભાગમાં અચેલ-ધર્મનું સ્થાન હતું. આ દૃષ્ટિએ નગ્નત્વ કે અચેલ-ધર્મ, જે દિગંબર પરંપરાનો મુખ્ય અંશ છે તે, સાચે જ ભગવાન વીરના જીવનનો અને તેમની પરંપરાનો પણ એક ઉપાદેય અંશ છે; પરંતુ પોતાના આધ્યાત્મિક સાધના-ક્ષેત્રમાં દરેક ઓછુંવતું બળ ધરાવતા યથાર્થ સાધકને સમાવેશવાની વીરની ઉદાર દૃષ્ટિ અગર વ્યવહારુ અનેકાંતદૃષ્ટિનો વિચાર કરીએ, તો આપણને એ સ્પષ્ટ સમજાશે કે એ મહાવીર સર્વ સાધક અધિકારી વાસ્તે ઐકાન્તિક નગ્નત્વનો આગ્રહ રાખી ધર્મશાસનનો લોકગ્રાહ્ય પ્રચાર ઇચ્છી કે કરી ન જ શકે. તેમનાં પોતાનાં આધ્યાત્મિક બળ ને આદર્શ ગમે તેટલી પરાકાષ્ઠાએ પહોંચ્યાં હોય, છતાં તેમને જો પોતાનું ધર્મશાસન પ્રચારવું કે ચિરજીવિત રાખવું ઇષ્ટ હોય તો તેમણે પોતાની જાત પરત્વે ઉચ્ચતમ આદર્શ ને વ્યવહાર રાખીને પણ સહગામી કે અનુગામી બીજા સાધકો વાસ્તે (જો મૂળગુણમાં કે મૂલાચારમાં ઐકમય હોય તો) વસ્ત્ર, પાત્ર આદિ પૂલ વસ્તુઓ વિશે મર્યાદિત છૂટ મૂકે જ છૂટકો; અગર મધ્યમમાર્ગી નિયમન રાખે જ છૂટકો. મનુષ્ય સ્વભાવના, અનેકાંતદષ્ટિના અને ધર્મપંથ-સમન્વયના અભ્યાસી વાસ્તે એ તત્ત્વ સમજવું સહેલું છે. જો આ દષ્ટિ ઠીક હોય તો આપણે એમ કહી શકીએ કે ભગવાન વીરે પોતાના ધર્મશાસનમાં અચેલ-ધર્મને પ્રથમ સ્થાન આપીને પણ સાથોસાથ સચેલ-ધર્મને મર્યાદિત સ્થાન આપેલું. દિગંબર પરંપરા જ્યારે ખરા મુનિની શરત તરીકે નગ્નત્વનો ઐકાનિક દાવો કરે છે ત્યારે તે વીરના શાસનના એક અંશનો અતિ આદર કરવા જતાં બીજા સચેલ-ધર્મના અંશને અવગણી અનેકાંતદષ્ટિનો વ્યાઘાત કરે છે. તેથી ઊલટું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy