SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. મહાવીરનો સંદેશ આપણે ભગવાન મહાવીરના જીવનને વાંચીએ છીએ, પણ આપણે તેમના જીવનચેતનને સ્પર્શતા નથી. જો તેમના જીવનચેતનને સ્પર્શીએ તો સહુ માનવી વિશાળ દૃષ્ટિએ મહાવીર બની શકે, મહાવીર થઈ શકે. તેન ત્યજીને મુંગીથા – એ આદેશ સ્પષ્ટ કહે છે કે ત્યાગ કરીને ભોગવ. કાઈ વસ્તુ પર નજર ન રાખીશ. મંદિર ઊંચું રાખવામાં આવે છે. એનો અર્થ ઊંચા આદર્શનો. છે. દષ્ટિ શિખર તરફ રહે, ઉચ્ચ રહે એ હેતુ છે. “તન ધનકી કૌન બડાઈ” એમ કબીર કહે છે ત્યારે તન, મન, ધન નકામું છે એમ નહિ પણ એની બડાઈ નકામી છે. ભગવાનને ઓળખવા હોય તો આધ્યાત્મિક દૃષ્ટિ કેળવવી જોઈએ. કોઈ વાડામાં કે ચોકામાં કે લઢણમાં ભગવાનને ન પૂરવા જોઈએ અને તો જ એને ગમે ત્યાં જોઈ શકીએ. પછી એનું નામ મહાવીર હોય, કૃષ્ણ હોય કે ગમે તે હોય. મહાવીરનો સંદેશ છે કે સત્ય અને સદ્દગુણમાં એક થવું. મહાવીરનો સંદેશ એટલે જીવનદૃષ્ટિ અને જીવનકળા. હિંદના કોઈપણ સંતને લો. તેનો સંદેશ એક જ હોય છે. તમારા અવગુણો તરફ જુઓ, સામાના અવગુણો તરફ જુઓ નહિ. ભગવાન મહાવીર પણ દરેક માનવીને સૌ પહેલાં પોતાની ખામી જોવાનું કહે છે. મિચ્છામિ દુક્કડમ્ બોલીએ અને ભૂલો કર્યો જઈએ એનો કાંઈ અર્થ નથી, પણ ભૂલ તરફ પાછા ન જઈએ એ એનો ખરો અર્થ છે. સમ્યક્ષ્યારિત્ર એટલે જ જીવનકળા – જે જીવનકળા ભગવાન મહાવીરે જીવી બતાવી છે, આચરી બતાવી છે. આપણે એને સમજી વ્યવહારમાં આચરી બતાવીએ. ભગવાન મહાવીરે કહ્યું છે કે જેઓના વિચારોમાં મેળ ન હોય તેઓ પોતાને બીજાની સ્થિતિમાં મૂકે અને વિચાર કરી જુએ તો અથડામણોનો અંત આવશે. મનની મોટાઈ કેળવાય તો કુટુંબની અથડામણનો અંત આવે. મહાવીર, કૃષ્ણ વગેરેનાં આધ્યાત્મિક જીવન તપાસો. બાહ્યજીવન અલગ હશે, પણ સહુનાં આધ્યાત્મિક જીવન એક જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy