SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. ભગવાન મહાવીરનો ત્રિવિધ સંદેશ અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત સાધ્વી શ્રી ઉજ્જવલકુમારીજીએ ત્રણ મુદ્દાઓ ઉપર જે સરલ અને સ્પષ્ટ વિવેચન કર્યું છે તેને હરકોઈ સરળતાથી સમજી શકે તેમ છે. તે બદલ હું મારા તરફથી અને સંઘ તરફથી તેમનો આભાર માનું છું. ગયે વર્ષે સાધ્વીજી ગાંધીજીને રોજ બિરલા હાઉસમાં મળતાં, તેમની સાથે અહિંસા અને તેને લગતા મુદ્દાઓ વિશે ચર્ચા કરતાં. મારો પણ સાધ્વીજી સાથે પરિચય તે વખતે તાજો જ હતો. હું તેમની અને ગાંધીજી વચ્ચે થયેલી ચર્ચાઓ વિશે તેમની જ પાસેથી કાંઈક જાણી લેતો. તેના સંસ્કારો મારા મન ઉપર પડેલા જ છે. તેને ધ્યાનમાં રાખી અત્યારે તેમના પ્રવચન-શ્રવણ ઉપરથી જે વિચારો ફુર્યા છે તેને જ ટૂંકમાં દર્શાવવા ધારું છું. જે અનેકાંત, અહિંસા અને અપરિગ્રહની પૃષ્ઠભૂમિકા છે તે અનેકાંત કેવળ શાસ્ત્રીય વાદોના સમન્વયમાં જ સમાતો નથી. તે તો જીવનના પ્રત્યેક ક્ષેત્રને સ્પર્શી છે. વ્યવહારુ જીવનની દરેક બાજુને અવિવેકી આત્યંતિકતા તરફ ઢળતાં રોકવી એ જ સાચી અનેકાંતદષ્ટિ છે. એવી દૃષ્ટિ ન હોય તો અહિંસા અને અપરિગ્રહના સિદ્ધાંતો વ્યક્તિગત અને સામાજિક જીવનમાં વિકૃત થયા વિના રહે જ નહિ. સામાજિક જીવનને સંવાદી અને સુરીલું બનાવવા માટે આ ત્રણ સિદ્ધાંતો અગત્યના હોઈ સમગ્ર જીવનમાં તે ધ્રુવસ્થાને છે. આમ છતાં અને તે ઉપર વારંવાર થતાં વિવેચનો સાંભળવા છતાં આપણે જ્યાંના ત્યાં છીએ, તેનું શું કારણ ? એ પ્રશ્ન મારી પેઠે સૌને થતો હશે. એના ઉત્તરનો ઊંડો વિચાર કરતાં એમ લાગે છે કે આપણે સિદ્ધાંત અને તેના બાહ્ય ખોખા વચ્ચેનું અંતર જાણી શક્યા નથી. એટલે એક કાળે તેવા સિદ્ધાંતોને જીવનમાં સિદ્ધ કરવા અમલમાં મુકાયેલા અને અત્યારે નિરર્થક બની ગયેલા આચારોના ચીલાને જ અનુસરી આપણે તેવા સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવ્યાનો ખોટો સંતોષ માની લઈએ છીએ અને પ્રસંગ આવે ત્યારે તે સિદ્ધાંતોનું ગૌરવ ગાઈ પાછા એ જ નિરર્થક સિદ્ધ થયેલ બાહ્ય આચારના ખોખાનો બચાવ કરીએ છીએ.' ભગવાન મહાવીરે અહિંસા અને અપરિગ્રહનાં જીવનગત બીજોને વિકસાવવા તેમજ સિદ્ધ કરવા ઘરબાર છેડ્યાં, જંગલનો ચહ લીધો અને બીજાના શ્રમ ઉપર Jain Education International · For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy