SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ • જૈન ધર્મ અને દર્શન અને પદ્મ એ પુરાણો પાંચમા સૈકા પહેલાં પણ કોઈ ને કોઈ રૂપમાં નિશ્ચિત અસ્તિત્વ ધરાવતાં. વળી એ પુરાણોનાં પહેલાં પણ મૂળ પુરાણ હોવાની સાબિતીઓ મળે છે. હરિવંશથી માંડી ભાગવત સુધીનાં ઉક્ત પુરાણોમાં આવતા કૃષ્ણના જન્મ અને જીવનની ઘટનાઓ જોતાં પણ એમ લાગે છે કે આ ઘટનામાં માત્ર કવિત્વની દૃષ્ટિએ જ નહિ. પણ વસ્તુની દૃષ્ટિએ સુધ્ધાં ઘણો વિકાસ થયો છે. હરિવંશ પુરાણ અને ભાગવત પુરાણ એ બંનેમાંની કષ્ણજીવનની કથા સામે રાખી વાંચતાં એ વિકાસ સ્પષ્ટ જણાઈ આવે છે. બીજી બાજુ જૈન વાડ્મયમાં કૃષ્ણજીવનની કથાવાળા મુખ્ય ગ્રંથો શ્વેતાંબર અને દિગંબર બંને સાહિત્યમાં છે. શ્વેતાંબરીય અંગ ગ્રંથોમાંથી છઠ્ઠા જ્ઞાતા અને આઠમા અંતગડ એ અંગોમાં સુધ્ધાં કૃષ્ણનો પ્રસંગ આવે છે. વસુદેવહિન્ડી (લગભગ સાતમો સેકો. જુઓ પૃ૦ ૩૬૮-૯) જેવા પ્રાકૃત ગ્રંથો અને હેમચન્દ્રકૃત (બારમી સદી) ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર જેવા સંસ્કૃત ગ્રંથોમાં કૃષ્ણજીવનની વિસ્તૃત કથા મળે છે. દિગંબરીય સાહિત્યમાં કૃષ્ણજીવનનો વિસ્તૃત અને મનોરંજક હેવાલ પૂરો પાડનાર ગ્રંથ જિનસેનકૃત (વિક્રમીય ૯ મી શતાબ્દી) હરિવંશપુરાણ છે, તેમજ ગુણભદ્રકૃત (વિક્રમીય ૯મી શતાબ્દી) ઉત્તરપુરાણમાં પણ કૃષ્ણની જીવનકથા છે. દિગંબરીય હરિવંશપુરાણ અને ઉત્તરપુરાણ એ વિક્રમીય નવમા સૈકાના ગ્રંથો છે. - હવે આપણે કૃષ્ણજીવનમાંના કેટલાક પ્રસંગો લઈને જોઈએ કે તે બ્રાહ્મણપુરાણોમાં કઈ રીતે વર્ણવાયેલાં છે અને જૈન ગ્રંથોમાં કઈ રીતે વર્ણવાયેલાં મળે છે ? બ્રાહ્મણપુરાણ જૈન ગ્રંથો (૧) વિષ્ણુના આદેશથી યોગમાયા- | (૧) એમાં સંહરણ (સંકર્ષણ)ની વાત નથી, શક્તિના હાથે બળભદ્રનું દેવકીના ! પણ રોહિણીના ગર્ભમાં સહજ જન્મની ગર્ભમાંથી રોહિણીના ગર્ભમાં સંહરણ વાત છે. (સંકર્ષણ) થાય છે. -હરિવંશ સર્ગ ૩૨, શ્લો. –ભાગવત, સ્કન્ધ ૧૦, અ.૦ ૨, ૧-૧૦, પૃ. ૩૨૧. શ્લો. ૬-૧૩, પૃ. ૭૯૯. (૨) દેવકીને જન્મેલા બળભદ્ર પહેલાંના છ સજીવ બાળકોને કંસ પટકી મારી નાખે (૨) વસુદેવહિન્ડીપૃ. ૩૬ ૮-૯)માં દેવકીના છ પુત્રોને કંસે હણી નાખ્યા એવો સ્પષ્ટ નિર્દેશ છે, પણ જિનસેન અને હેમચંદ્રના વર્ણન પ્રમાણે દેવકીના ગર્ભજાત છ સજીવ બાળકોને એક દેવ બીજા શહેરમાં જૈન કુટુંબમાં સુરક્ષિત પહોંચાડે છે અને તે જેને બાઈના મૃતક - ભાગવત, સ્કન્ધ ૧૦, અ.૦૨, શ્લો. ૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy