SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ ૦ ૪૫ ક્યાંક બહારથી આવી દાખલ થયો છે. બીજી બાજુ હરિવંશ આદિ બ્રાહ્મણપુરાણોમાં ફળદ્રુપ પૌરાણિક કલ્પનામાંથી જન્મેલી ગોવર્ધન તોળવાની ઘટના નોંધાયેલી પ્રાચીન કાળથી મળે છે. પૌરાણિક અવતાર કૃષ્ણ દ્વારા ગોવર્ધન પર્વતનું તોલન અને જૈન તીર્થંકર મહાવીર દ્વારા સુમેરુ પર્વતનું કમ્પન એ બે વચ્ચે એટલું બધું સામ્ય છે કે કોઈ એક કલ્પના બીજાને આભારી લાગે છે. આપણે જોઈ ગયા કે આગમ-નિર્યુક્તિ ગ્રંથો જેમાં ગર્ભસંક્રમણ જેવા અસંભવિત દેખાતા બનાવોની નોંધ છે, તેમાંય સુમેરુકમ્પનનો ઇશારો નથી. કોઈ પ્રાચીન જૈન પરમ્પરામાંથી એ બનાવ પઉમરિયમાં લેવાયાનો ઓછો સંભવ છે, અને બ્રાહ્મણપુરાણોમાં પર્વત ઉઠાવ્યાની વાત છે ત્યારે આપણને માનવાને કા૨ણ મળે છે કે કવિત્વમય કલ્પનામાં અને અદ્ભુત વર્ણનોમાં બ્રાહ્મણ-મસ્તિષ્કનું અનુકરણ કરનાર જૈન-મસ્તિકે આ કલ્પના બ્રાહ્મણપુરાણમાંની ગોવર્ધન પર્વતની તોલનની કલ્પના ઉપરથી ઉપજાવી કાઢી છે. પાડોશી અને વિરોધી સંપ્રદાયવાળા પોતાના પ્રભુનું મહત્ત્વ ગાતાં કહે કે પુરુષોત્તમ કૃષ્ણે તો પોતાની આંગળીથી ગોવર્ધન જેવા પહાડને તોળ્યો, ત્યારે સાંપ્રદાયિક માનસને સંતોષવા જૈન પુરાણકારો જો એમ કહે કે કૃષ્ણે તો જુવાનીમાં માત્ર યોજનપ્રમાણ ગોવર્ધન પર્વતને ઊંચક્યો, પણ અમારા પ્રભુ વીરે તો જન્મતાવેંત માત્ર પગના અંગૂઠાથી એક લાખ યોજનના સુમેરુ પર્વતને ડગાવ્યો, તો એ સાંપ્રદાયિક પ્રતિસ્પર્ધાને તદ્દન બંધબેસતું લાગે છે. પછી એ કલ્પના વધારે પ્રચારમાં આવતાં સંપ્રદાયમાં એટલે સુધી રૂઢ થઈ ગઈ કે છેવટે હેમચંદ્રે પોતાના ગ્રંથમાં એને સ્થાન આપ્યું અને અત્યારે તો સામાન્ય જૈન જનતા એમ જ માનતી થઈ ગઈ છે કે મહાવીરના જીવનમાં આવતો મેરુકમ્પનનો બનાવ આગમિક અને પ્રાચીન ગ્રંથગત છે. અહીં ઊલટો તર્ક કરી એક પ્રશ્ન કરી શકાય કે પ્રાચીન જૈન ગ્રંથમાંના મેરુકમ્પના બનાવની બ્રાહ્મણ પુરાણકારોએ ગોવર્ધન પર્વતના તોલન રૂપે નકલ કેમ ન કરી હોય ? પરંતુ આનો ઉત્તર પ્રથમ એક સ્થળે દેવાઈ ગયો છે તે પ્રમાણે સ્પષ્ટ છે. જૈન ગ્રંથોનું મૂળ સ્વરૂપ કાવ્યકલ્પનાનું નથી, મુખ્યપણે કાવ્યકલ્પનાના સંસ્કારથી જ ઘડાયેલું આપણે જોઈએ છીએ. તેથી એ કલ્પના પુરાણ દ્વારા જ જૈન કાવ્યોમાં રૂપાંતર પામી દાખલ થઈ હોય એમ માની લેવામાં વધારે ઔચિત્ય દેખાય છે. કૃષ્ણના ગર્ભાવત૨ણથી માંડી જન્મ, બાળલીલા અને આગળના જીવનપ્રસંગોવાળાં મુખ્યપણે હરિવંશ, વિષ્ણુ, પદ્મ, બ્રહ્મવૈવર્ત અને ભાગવત એટલાં વૈદિક પુરાણો છે. ભાગવત લગભગ ૮-૯ મા સૈકાનું મનાય છે. બાકીનાં પુરાણો પણ કોઈ એક જ હાથે અને એક જ વખતે લખાયેલાં હોય એમ નથી; છતાં હરિવંશ, વિષ્ણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy