SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ • જૈન ધર્મ અને દર્શન જેમ જેમ અંગસાહિત્યથી હેમચંદ્રના કવિત્વમય ચરિત્ર સુધી આપણે ઉત્તરોત્તર વાંચતા જઈએ છીએ તેમ તેમ મહાવીરના જીવનની સહજ ઘટનાઓ કાયમ રહેવા છતાં તેના ઉપર દેવી અને ચમત્કારી ઘટનાઓના રંગો વધારે ને વધારે પુરાતા જાય છે. ત્યારે એમ માનવાને કારણ મળે છે કે જે બધી અસહજ દેખાતી અને જેના વિના પણ મૂળ જૈન ભાવના અબાધિત રહી શકે છે એવી ઘટનાઓ, એક અથવા બીજે કારણે, જૈન સાહિત્યમાંના મહાવીરજીવનમાં બહારથી પ્રવેશ પામતી ગઈ છે. આ વસ્તુની સાબિતી માટે અહીં એક ઘટના ઉપર ખાસ વિચાર કરીએ તો તે પ્રાસંગિક જ ગણાશે. આવશ્યકનિર્યુક્તિ, તેનું ભાષ્ય અને ચૂર્ણિ – એમાં મહાવીરના જીવનની બધી ઘટનાઓ સંક્ષિપ્ત કે વિસ્તારથી વર્ણવાયેલી છે. નાનીમોટી બધી ઘટનાઓને સંગ્રહી સાચવી રાખનાર નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિના લેખકોએ મહાવીરે કરેલા મેરકમ્પન જેવા આકર્ષક મહાબનાવની નોંધ લીધી નથી, જ્યારે ઉક્ત ગ્રંથોને આધારે મહાવીરજીવન લખનાર હેમચંદ્ર મેરુકમ્પનની નોંધ લીધી છે. હેમચંદ્ર નોંધેલ મેરુકમ્પનનો બનાવ જોકે તેના મૂળ આધારભૂત નિર્યુક્તિ, ભાષ્ય કે ચૂર્ણિમાં નથી, છતાં આઠમા સૈકાના દિગંબર કવિ રવિણકૃત પવાપુરાણમાં (દ્વિતીય પર્વ, શ્લો. ૭૫-૭૬, પૃ. ૧૫) છે. રવિષેણે આ બનાવ પ્રાકૃત “પઉમરિયમાંથી લીધેલો છે; કારણ કે, એનું પદ્મચરિત એ પ્રાકૃત પઉમચરિયનું માત્ર અનુકરણ છે. અને પઉમરિયમાં (દ્વિતીય પર્વ શ્લોક ૨૫-૨૬, પૃ.૫) એ બનાવ નોંધેલો છે. પાચરિત નિર્વિવાદરૂપે દિગંબરીય છે, જ્યારે પઉમચરિયની બાબતમાં હજુ મતભેદ છે. પઉમરિય દિગંબરીય હો, શ્વેતાંબરીય હો કે એ બંને રૂઢ ફિરકાથી તટસ્થ એવા ત્રીજા જ કોઈ ગચ્છના આચાર્યની કૃતિ હો, ગમે તેમ હો, પણ અત્રે એ વિચારવું પ્રાપ્ત થાય છે કે પઉમરિયમાં નિર્દેશાવેલ મેરુકમ્પના બનાવનું મૂળ શું છે ? અંગગ્રંથોમાં કે નિર્યુક્તિમાં એ બનાવ નથી નોંધાયેલો, એટલે તે ઉપરથી પઉમચરિયના કર્તાએ એ બનાવ લીધો છે એમ તો કહી શકાય જ નહિ. ત્યારે એ બનાવ નોંધાયો કેવી રીતે ? – એ પ્રશ્ન છે. જોકે પહેમચરિયની રચનાનો સમય પહેલી શતાબ્દી નિર્દેશાયેલો છે, છતાં કેટલાંક કારણસર એ સમય વિશે ભ્રાંતિ લાગે છે. પઉમરચરિય બ્રાહ્મણ પવપુરાણ પછીની કૃતિ હોય એમ લાગે છે અને પાંચમા સૈકા પહેલાંનું હોવાનો બહુ જ ઓછો સંભવ છે. ગમે તેમ હો, છતાં અંગ અને નિર્યુક્તિ આદિમાં નહિ સૂચવાયેલ મેરુકમ્પનનો બનાવ પઉમચરિયમાં ક્યાંથી આવ્યો ? – એ સવાલ તો રહે જ છે. - જો પઉમચરિયના કર્તા પાસે કોઈ એ બનાવના વર્ણનવાળો વધારે જૂનો ગ્રંથ હોય અને તેમાંથી તેણે એ બનાવ નોંધ્યો હોય તો નિર્યુક્તિ કે ભાષ્ય આદિમાં એ બનાવ નોંધાયા સિવાય ભાગ્યે જ રહે. તેથી કહેવું જોઈએ કે પઉમરિયમાં આ બનાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy