SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦. જૈન ધર્મ અને દર્શન જીવવું અને પોતાનું તંત્ર ચલાવવું તો શક્ય ન જ હતું; કારણ કે કોઈપણ નાના કે મોટા સમગ્ર સમાજમાં પૂર્ણ અહિંસાનું પાલન શક્ય જ નથી. તેથી જૈન સમાજના ઇતિહાસમાં પણ આપણે પ્રવૃત્તિનાં વિધાનો તથા પ્રસંગવિશેષમાં ત્યાગી ભિક્ષુના હાથે પણ થયેલ હિંસાપ્રધાન યુદ્ધો જોઈએ છીએ. આ બધું છતાં જૈન સંસ્કૃતિનું વૈદિક સંસ્કૃતિથી તદ્દન ભિન્ન લક્ષણ કાયમ રહ્યું છે, અને તે એ કે તે સંસ્કૃતિ કોઈપણ જાતની વ્યક્તિગત કે સમષ્ટિગત હિંસામાત્રને નિર્બલતાનું ચિહ્ન માને છે અને તેથી તેવી પ્રવૃત્તિને તે છેવટે પ્રાયશ્ચિત્તને યોગ્ય માને છે; જ્યારે વૈદિક સંસ્કૃતિ વ્યક્તિગત રીતે અહિંસા તત્ત્વની બાબતમાં જૈન સંસ્કૃતિ પ્રમાણે માન્યતા ધરાવતી હોવા છતાં સમષ્ટિની દૃષ્ટિએ સ્પષ્ટ ઘોષણા કરે છે કે હિંસા એ માત્ર નિર્બળતાનું ચિહ્ન છે એમ નથી, પણ વિશેષ અવસ્થામાં તો એ ઊલટું બળવાનનું ચિહ્ન છે, તે આવશ્યક અને વિધેય છે અને તેથી જ તે પ્રસંગવિશેષમાં પ્રાયશ્ચિત્તને પાત્ર નથી. આ જ લોકસંગ્રહની વૈદિક ભાવના સર્વત્ર પુરાણોના અવતારોમાં અને સ્મૃતિગ્રંથોના લોકશાસનમાં આપણે જોઈએ છીએ. એ જ ભેદને લીધે ઉપર વર્ણવેલ બંને પુરુષોનાં જીવનની ઘટનાઓનું ખોખું એક છતાં તેનું સ્વરૂપ અને તેનો ઢાળ જુદો છે. જૈન સમાજમાં ગૃહસ્થ કરતાં ત્યાગીવર્ગ ઘણો નાનો હોવા છતાં આખા સમાજ ઉ૫૨ (પછી ભલે યોગ્ય કે અયોગ્ય, વિકૃત કે અવિકૃત પણ) અહિંસાની ભાવનાની જે છાપ છે અને વૈદિક સમાજમાં સંન્યાસી પવ્રિાજક વર્ગ પ્રમાણમાં ઠીક ઠીક મોટો હોવા છતાં તે સમાજ ઉપર પુરોહિત ગૃહસ્થવર્ગની અને ચાતુર્વર્ણિક લોકસંગ્રહવૃત્તિની જે પ્રબળ અને વધારે અસર છે તેનો ખુલાસો આપણે ઉપર કહેલ સંસ્કૃતિભેદમાંથી બહુ સરળતાથી મેળવી શકીએ છીએ. ૨. ઘટનાવર્ણનોની પરીક્ષા હવે બીજા દૃષ્ટિબિન્દુ વિશે વિચારવાનું પ્રાપ્ત થાય છે. તે દૃષ્ટિબિન્દુ ઉપર કહ્યા મુજબ ‘એ ઘટનાઓના વર્ણનનો પરસ્પર એકબીજા ઉ૫૨ કાંઈ પ્રભાવ પડ્યો છે કે નહિ, અને એમાં કેટકેટલો ફેરફાર કે વિકાસ સધાયો છે એની પરીક્ષા કરવી' – એ છે. આ બાબતમાં સામાન્ય રીતે ચાર પક્ષો સંભવે છે : - (૧) વૈદિક અને જૈન બંને સંપ્રદાયના ગ્રંથોનું ઉપર્યુક્ત ઘટનાવાળું વર્ણન એકબીજાથી તદ્દન સ્વતંત્ર હોઈ અરસપરસ એકબીજા કોઈની અસર વિનાનું છે. (૨) ઉક્ત વર્ણન અતિ સમાન અને બિંબ–પ્રતિબિંબ જેવું હોવાથી તદ્દન સ્વતંત્ર નહિ, છતાં કોઈ સામાન્ય ભૂમિકામાંથી ઉત્પન્ન થયેલું છે. (૩) કોઈપણ એક સંપ્રદાયની ઘટનાઓનું વર્ણન બીજા સંપ્રદાયના તેવા વર્ણનને આભારી છે અથવા તેની અસરવાળું છે. (૪) જો એકની અસર બીજા ઉ૫૨ હોય જ તો કયા સંપ્રદાયનું વર્ણન બીજા સંપ્રદાયને આભારી છે અને તેમાં તેણે મૂળ વર્ણન અને મૂળ કલ્પના કરતાં કેટલો ફેરફાર કર્યો છે અથવા પોતાની દૃષ્ટિએ કેટલો વિકાસ સાધ્યો છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy