SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૩• જૈન ધર્મ અને દર્શન મનોવૃતિના અભ્યાસ ઉપરથી એમ લાગે છે કે મનુષ્ય જાતિમાં શક્યતા ગમે તેટલી હોય છતાં, સામાન્ય ધોરણ તો એવું જ દેખાય છે કે, માણસ જે પ્રવાહમાં જગ્યા હોય કે જે વહેણમાં તણાતો હોય તેમાં જ જીવન ગાળવા પૂરતી માંડવાળ કરી લે છે, અને અનુકૂળ સંયોગોની વાત તો બાજુએ રહી, પણ પ્રતિકૂળ સંયોગો સુધ્ધાંમાં તે મોટી ફાળ ભરી શકતો નથી, છતાં એવા પણ અસંખ્ય દાખલાઓ દરેક દેશ અને દરેક કાલમાં મળી આવે છે કે જેમાં માણસ ઊર્મિ અને વૃત્તિના વેગને વશ થઈ એક છેડેથી સાવ સામે અને બીજે છેડે જઈ બેસે. વળી ત્યાં ચેન ન વળે કે ઠરીઠામ ન થાય તો માણસ પાછો પ્રથમ છેડે આવી ઊભો રહે છે. આવું સામસામેના છેડા ઉપર પહોંચી જવાનું લોલક જેવું મનોવૃત્તિચક્ર માણસ જાતમાં છે. તેમ છતાં તે લોલક જેવું યાંત્રિક નથી કે જે એક બિંદુએ પહોંચ્યા પછી ત્યાંથી અચૂકપણે પાછું જ ફરે. જ્યાં લગી માણસનો જુસ્સો ઉત્સાહ કે ઊર્મિ પરલક્ષી હોય ત્યાં લગી તો તે લોલકની જેમ યાંત્રિક રહે, પણ સ્વલક્ષી થતાં જ તે યાંત્રિક મટી જાય છે અને વિવેકપૂર્વક કોઈ એક જ છેડે ઠરીઠામ થઈ માનવતાની મંગળમૂર્તિ સર્જે છે. તેમાંથી જ આત્મશોધનના અને તે દ્વારા સદ્દગુણોના સોતના ફુવારા ફુટે છે. અસાધારણ વેગની જરૂરઃ વીરવૃત્તિનાં વિવિધ પાસાં જે વ્યક્તિમાં આવો અસાધારણ વેગ નથી જનમતો તે કોઈ ક્ષેત્રમાં બહુ લીલું કે નવું નથી કરી શકતો. ઇતિહાસમાં જે જે પાત્રો અમર થયાં છે તે આવા કોઈ સ્વલક્ષી જુસ્સાને લીધે જ. એને આપણે એક વરવૃત્તિ જેવા શબ્દથી ઓળખાવીએ તો એ યોગ્ય લેખાશે. વિરવૃત્તિનાં પાસાં તો અનેક છે. ક્યારેક એ વૃત્તિ રણાંગણમાં કે વિરોધી સામે પ્રજ્વળી ઊઠે છે, તો ક્યારેક દાન અને ત્યાગને માર્ગે વળી ક્યારેક પ્રેમ અને પરત્રાણને રસ્ત તો ક્યારેક બીજા સદ્ગુણો દ્વારા. આમ એનો આર્વિભાવ ભલે, ભિન્ન રીતે અને ભિન્ન ભિન્ન પ્રસંગે થતો હોવાથી જુદો દેખાય, છતાં મૂળમાં તો એ આર્વિભાવ સ્વલક્ષી જ બનેલો હોઈ એને સાત્ત્વિક ઉત્સાહ કે સાત્વિક વીરરસ કહી શકાય. સંગ્રહમાંથી દરેક વાર્તાનું મુખ્ય પાત્ર એ આવા કોઈને કોઈ પ્રકારના સાત્ત્વિક વીરરસનું પ્રતીક છે એ વસ્તુ વાચક ધ્યાનપૂર્વક જોશે તો સમજી શકાશે. આ છે આ વાર્તાઓનો સામાન્ય સૂર. હવે આપણે એક વાત લઈ એ વિશે કાંઈક વિચાર કરીએ : પ્રત્યેક વાતનો સૂર પ્રથમ વાત ઉપર જે વીરવૃત્તિનો નિર્દેશ કર્યો છે તે વીરવૃત્તિ ક્ષત્રિય- પ્રકૃતિના પાત્રમાં જે રીતે આર્વિભાવ પામતી દેખાય છે તે કરતાં બાહ્મણપ્રકૃતિના પાત્રમાં કાંઈક જુદી જ રીતે અર્વિભાવ પામતી દેખાય છે. ક્ષત્રિય પ્રકૃતિ એટલે પરંપરાગત રજોગુણપ્રધાન પ્રકૃતિ. એમાં ચંચળતાની અને જુસ્સાની વૃત્તિનું મિશ્રણ દેખાય છે. આ વસ્તુ પ્રથમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy