SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨૦ જૈન ધર્મ અને દર્શન એથી જ વ્યાખ્યાકારોએ પુરુષની પ્રચલિત સ્થિતિને લક્ષ્યમાં રાખીને સ્વદારસંતોષના પરદારત્યાગ અને સ્વાદરસંતોષ એવા બે વિભાગ કર્યા છે, અને તે તે અતિચારોનો વિભાગ ઉપર્યુક્ત રીતે ઘટાવેલો છે. જ્યારે સમાજમાં એવા પુરુષોનું બાહુલ્ય હોય કે જેઓ માત્ર ૫૨દા૨નો ત્યાગ કરી શકે છે નહિ કે વેશ્યાદિનો, વળી દેશાચાર કે સામજિક રૂઢિ પણ એવા બંધારણને ટેકો આપતાં હોય, ત્યારે માત્ર તેઓને લક્ષ્યમાં રાખીને ધર્મશાસ્ત્ર પણ પોતાનાં વિધાનોની પુનર્ભવસ્થા પુરુષાનુકૂલ કરે છે. એ રીતે સ્ત્રીસમાજને લક્ષ્યમાં રાખીને ભારતમાં એક પણ શાસ્ત્રમાં એક પણ પુનર્ઘટના થઈ હોય એનું હજુ સુધી તો કોઈ ઇતિહાસકારે નોંધેલું વાંચ્યું કે સાંભળ્યું નથી. ૭. બ્રહ્મચર્યની નિરપવાદતા અહિંસા, સત્ય, અસ્તેય વગેરે મહાવ્રતો સાપવાદ છે. પરંતુ માત્ર એક બ્રહ્મચર્ય જ નિરપવાદ છે. અહિંસા વ્રત સાપવાદ છે એટલે સર્વપ્રકારે અહિંસાનો પાલક કોઈ ખાસ વિશિષ્ટ લાભના ઉદ્દેશથી હિંસાની પ્રવૃત્તિમાં ઊતરે છતાં તેના વ્રતનો ભંગ નથી મનાતો. કેટલાક તો પ્રસંગો જ એવા છે કે જેને લઈને એ અહિંસક હિંસા ન જ કરે યા હિંસામાં પ્રવૃત્ત ન જ થાય તો તેને વિરાધક પણ માનેલો છે. વિરાધક એટેલ જૈન આજ્ઞાનો લોપક. આવી જ સ્થિતિ સત્યવ્રત અને અસ્તેયાદિ વ્રતમાં પણ ઘટાવવાની છે, પણ બ્રહ્મચર્યમાં તો આવો એક પણ અપવાદ નથી. જેણે જે જાતનું બ્રહ્મચર્ય સ્વીકાર્યું હોય તેણે વિના અપવાદે તેવું તે તેવું જ આચરવાનું છે. ૭ બીજાના આધ્યાત્મિક હિતની દૃષ્ટિ લક્ષ્યમાં રાખીને અહિંસાદિનો અપવાદ કરનારો તટસ્થ યા વીતરાગ રહી શકે છે. બ્રહ્મચર્યના અપવાદમાં એવો સંભવ જ નથી; એનો પ્રસંગ તો રાગ, મોહ કે દ્વેષને જ અધીન છે. વળી એવો કામાચારનો પ્રસંગ કોઈના આધ્યાત્મિક હિતને માટે પણ સંભવી નથી શકતો આવા જ કારણથી બ્રહ્મચર્યના પાલનનું નિરપવાદ વિધાન કરવામાં આવ્યું છે અને એ માટે દરેક જાતના ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે. બ્રહ્મચર્યનો ભંગ કરનારાને પ્રાયશ્ચિત તો આકરાં છે, તેમાં પણ જે જેટલે ઊંચે દરજ્જેથી બ્રહ્મચર્યની વિરાધના કરે છે તેને તેના દરજ્જા પ્રમાણે તીવ્ર ૨૦. ‘આયરિયલ્સ વિળામે પછે ગહવા જુતાળે સંધે पचिदियवोरमणं पि काऊं नित्थारणं कुज्जा ॥ एवं तु करेंतेगं अव्वुच्छित्तो कया उ तित्थम्मि । जइवि सरीरवाओ तह विय आराहओ सो उ ॥ यस्तु समर्थोऽपिः प्रयोजने न प्रगल्भते स विराधकः । जीतकल्पवृत्ति: तिलकाचार्य:, पृ. ३५-३६ આ ઉતારામાં અમુક અમુક પ્રસંગે હિંસાદે નહિ કરનારાઓને તિધક કહેલા છે. Jain Education International - www For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy