SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્ય-વિચાર • ૨૭૭ પોતાની છે વા પોતાની દાસી વગેરે છે – એવી તમામ પ્રકારની સ્ત્રીઓ સાથે ભૂલથાપને લીધે વા સ્વદારસંતોષની પૂરી સમજણના અભાવને લીધે જ કામપ્રસંગ બની જાય તે અપરિગૃહીતાગમન ૩. ગમે તે સ્ત્રીનાં કામાંગોને આશરીને ક્રીડા કરવી, અનુરાગપૂર્વક ગમે તે સ્ત્રીને આલિંગવી, પુરુષે પુરુષ સ્ત્રી કે નપુંસક સાથે, સ્ત્રીએ સ્ત્રી પુરુષ કે નપુસંક સાથે અને નપુસંકે પણ કે ત્રણે સાથે કામાચારને લગતો વિચાર કરવો, હસ્તકર્મ વગેરે કુચેષ્ટાઓ કિરવી, લાકડાંના કે ચામડાં વગેરેના કૃત્રિમ સાધનો દ્વારા કામાચારનું સેવન કરવું; મતલબ કે, જે દ્વારા કામરાગનો પ્રબળ વેગ વધે એવી કોઈપણ પ્રવૃત્તિ કરવી તે અનંગક્રીડા. ૪. કન્યાદાનમાં ધર્મ છે એમ સમજીને વા સ્નેહાદિકને કારણે બીજાઓને માટે કન્યાઓ કે વરો શોધી આપવાં, વેવાઈ અને વેવાણોને મળવું વા એ જ પ્રવૃત્તિ માત્ર કામગરાને લઈને કરવી તે પરવિવાહકરણ. ૫. શબ્દ અને રૂપ એ બે કામરૂપ છે. ગંધ, રસ અને સ્પર્શ એ ત્રણે ભોગરૂપ છે. એ પાંચમાં અત્યંત આસક્તિ રાખવી, તથા વાજીકરણ આદિના સેવન દ્વારા વા કામશાસ્ત્રોક્ત પ્રયોગો દ્વારા કામાભિલાષને અધિકાધિક ઉદ્દીપ્ત કરવો તે કામભોગતીવાભિલાષ. આ પાંચ પ્રકારની પ્રવૃત્તિ સ્વદારસંતોષી ગૃહસ્થના શીલને દૂષણરૂપ છે. ' કોઈપણ ગૃહસ્થ સ્વદારસંતોષને પૂરેપૂરો વફાદાર રહે તો એ પાંચમાંની એક પણ પ્રવૃત્તિને કદી પણ નહિ આચરે. એવી વફાદારી તો કોઈ વિશિષ્ટ વ્યક્તિમાં જ સંભવી શકે છે, પણ જ્યાં સમુદાયના આચારબંધારણનો પ્રસંગ આવે છે ત્યાં એ વિચાર સમુદાયની દષ્ટિએ અને તત્કાલીન સામાજિક પરિસ્થિતિને લક્ષમાં રાખીને જ કરવાનો હોય છે. આ અતિચારો ઊભા થવામાં પણ એ દૃષ્ટિ એક નિમિત્તરૂપ છે. સમુદાયમાં એવી પણ અનેક વ્યક્તિઓ હોય છે જે સ્વદારસંતોષના વ્રતને જાળવવા પ્રયત્ન તો જરૂર કરે છે, પણ એમનામાં એ વ્રતનો મૂળ ઉદ્દેશ સમજવા જેટલી સૂક્ષ્મ વિવેકશક્તિ ઘણી ઓછી હોય છે. એથી લોકો જે સ્ત્રીઓને પરદારકોટીની નથી ગણતા તેઓને પૈસા વગેરે આપી પોતાની કરી લઈ તેમની સાથે પ્રસંગ રાખતાં એઓને પોતાના વ્રતનો અંશે પણ ભંગ ન જણાય એ સ્વાભાવિક છે. વળી સમાજ આવી પ્રવૃત્તિનો પ્રબળ વિરોધી ન હોય ત્યાં એ પ્રવૃત્તિને આનાચરણીય માને પણ કોણ? આવી સ્થિતિમાં વ્રતધારીના વ્રતનું બરાબર પાલન થાય, વતનો પૂરો મર્મ તેની સમજમાં આવી જાય અને વક્ર-જડ પ્રકૃતિનો મનુષ્ય પણ પોતાના લીધેલ વ્રતના અંકુશમાં બરાબર રહે એ હેતુથી શાસ્ત્રકારે ઈત્રપરિગૃહીતાગમનની પ્રવૃત્તિને પૃથક બતાવી અતિચારરૂપે ઠરાવી અને ભલે તે સામાજિક કોટીની ગણાતી હોય તો પણ તેને સાફ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy