SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ • જૈન ધર્મ અને દર્શન સર્વથા બ્રહ્મચારીને હસ્તકર્મ અને બીજી એવી કુચેષ્ટાઓ દોષરૂપ છે તથા આગળ પાંચમા પ્રકરણમાં જે દશ સમાધિસ્થાનો બતાવ્યાં છે તેમના પાલનમાં જેટલી જેટલી ખામી રહે તે પણ દોષરૂપ છે. એ દોષોના સેવન દ્વારા બ્રહ્મચર્યનો ચોખ્ખો ભંગ છે એ વાત સર્વથા બ્રહ્મચારી પોતાની પ્રતિજ્ઞાનો પૂરો મર્મ સમજે તો તો સમજી જ જાય અને એ દોષોને પાસે ફરકવા પણ ન દે. પણ કોઈ વક્ર અને જડ એમ સમજે કે આપણી પ્રતિજ્ઞામાં તો માત્ર સ્ત્રીપ્રસંગનો ત્યાગ છે, એમાં હસ્તકર્મ વગેરેનાં નિષેધની વાત ક્યાં આવે છે? શાસ્ત્રકારે તેવાને બરાબર સમજાવવા ઉપર કહેલા દોષોને અતિચારરૂપે બતાવેલા છે. આંશિક બ્રહ્મચારી એટલે ગૃહસ્થ. તેનું શીલ મોટે ભાગે સ્વદારસંતોષ સુધીનું છે. સ્વદારસંતોષનો અર્થ પુરુષ કે સ્ત્રી સમાજસંમત વિવાહપદ્ધતિએ પોતાના વૈષયિક પ્રેમનું સ્થાન અમુક સ્ત્રી કે અમુક પુરુષને જ બનાવે, પણ એ પ્રેમનો વિષય જે તે કોઈ, જ્યારે ત્યારે તો ન જ બને એ છે. આ અર્થમાં પરદાર કે પરપુરુષનો ત્યાગ આપોઆપ આવી જાય છે. ઉપરાંત લોકો જેન પરદાર તરીકે નથી સમજતા એવી વેશ્યા, કન્યા કે કુંવારી સ્ત્રી તથા રક્ષિતા સ્ત્રી વગેરેનો અને સમાજને અમાન્ય એવી વિવાહપદ્ધતિએ થતા લગ્નનો પણ ત્યાગ આ જ અર્થમાં સમાઈ જાય છે. આમ છતાં સ્વદારસંતોષી હોઈને પણ વિષયવૃત્તિને આધીન થયેલો વર્ગ જાણતાં કે અજાણતાં એવી છૂટો શોધે છે કે જે દ્વારા પ્રતિજ્ઞાનો ભંગ ન કહેવાય અને પોતાની વૃત્તિને પોષણ પણ મળે. એવી છૂટો એ ગૃહસ્થના શીલને અતિચારરૂપ છે, માટે જ એ અનાચરણીય છે. એવી જે છૂટો છે તેનું પાંચ સંખ્યામાં વર્ગીકરણ કરીને શાસ્ત્રકારે દોષોનું જ સ્વરૂપ બતાવ્યું છે તે નીચે પ્રમાણે છે : શાસ્ત્રકારે કહે છે કે ગૃહસ્થના શીલના એવા પાંચ અતિચાર છે : (૧) ઈત્રપરિગૃહીતાગમન, (૨) અપરિગૃહીતાગમન, (૩) અનંગક્રીડા, () પરવિવાહકરણ, અને (૫) કામભોગમાં તીવ્ર અભિલાષ. એ પ્રત્યેકનું સ્પષ્ટ સ્વરૂપ આ પ્રમાણે છે : ૧. જે સ્ત્રીઓ પરદારકોટીની નથી તેમને પૈસા વગેરેની લાલચ આપી અમુક સમય સુધી પોતાની કરવી એટલે સ્વદારકોટીની કરવી અને તેઓની સાથે કામાચરાનો પ્રત્યક્ષ બહાર રાખવો. એનું નામ ઇત્રપરિગ્રહીતાગમન. ૨. જે સ્ત્રી પોતાને માટે અપરિગૃહીતા-અસ્વીકૃતા છે, જેના લગનની પદ્ધતિ સમાજસંમત નથી, જે વેશ્યા વગેરે નિયત રીતે અન્યસ્વીકૃત છે એટલે પોતાને માટે અપરિગૃહીત છે, જે એક સમયે પરિગ્રહીતા હોવા છતાં વર્તમાનમ અપરિગૃહીતા અર્થાતુ જે કોઈ કારણથી પતિથી છૂટી થયેલી છેવા પ્રોષિતપતિકા છે, છે, વિધવા છે, વા ગહિલપતિકા ગાંડા પતિવાળી) છે; વળી જે પરિગૃહીતા હોવા છતાં આશ્રિતરૂપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy