SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્ય-વિચાર • ૨૭૫ અને રાગ કે દ્વેષથી એટલે માયા, લોભ, દ્વેષ કે અહંકારના ભાવથી કામાચારનો નવે કોટિથી ત્યાગ એ ભાવમર્યાદા. આંશિક બ્રહ્મચર્યનો અધિકારી ગૃહસ્થ જ હોય છે. એને પોતાના કુટુંબ ઉપરાંત સામાજિક જવાબદારી હોય છે, અને પશુપક્ષીના પાલનની પણ ચિંતા હોય છે. એટલે એને વિવાહ કરવા-કરાવવાના પ્રસંગો અને પશુપક્ષીને ગર્ભાધાન કરાવવાના પ્રસંગો આવ્યા જ કરે છે. આ કારણથી ગૃહસ્થ એ નવે કોટિનું બ્રહ્મચર્ય બહુ વિરલ રીતે પાળી શકે છે. આગળ જે નવ કોટીઓ બતાવી છે તેમાંથી મન, વચન અને શરીરથી અનુમતિ આપવાની ત્રણ કોટીઓ એને નથી હોતીઃ અર્થાત એનું ઉત્તમ બ્રહ્મચર્ય બાકીની છયે કોટીએ લીધેલું હોય છે. આંશિક બ્રહ્મચર્ય લેવાને આ છે પદ્ધતિઓ છે : (૧) દ્વિવિધ ત્રિવિધે, (૨) દ્વિવિધ દ્વિવિધ (૩) દ્વિવિધ એકવિધે, તથા (૪) એક વિધ ત્રિવિધે, (૫એકવિધ દ્વિવિધ, (૬) એકવિધ એકવિધે. આમાંના કોઈ એક પ્રકારને ગૃહસ્થ પોતાની શક્તિ પ્રમાણે બ્રહ્મચર્ય માટે સ્વીકારે છે. દ્વિવિધ એટલે કરવું અને કરાવવું એ અપેક્ષાએ અને ત્રિવિધ એટલે મન, વચન અને શરીરથી અર્થાત્ મનથી કરવાકરાવવાનો ત્યાગ, વચનથી કરવા કરાવવાનો ત્યાગ અને શરીરથી કરવા કરાવવાનો ત્યાગ. એ પ્રથમ પદ્ધતિ છે. આ જ રીતે બીજી બધી પદ્ધતિઓ લેવાની છે. ૬. બ્રહ્મચર્યના અતિચારો કોઈપણ પ્રતિજ્ઞાને લગતાં ચાર દૂષણો હોય છે. તેમાં લૌકિક દૃષ્ટિથી દૂષિતપણાનું તારતમ્ય માનવામાં આવે છે. એ ચારે પ્રતિજ્ઞાના ઘાતક તો છે જ, પણ વ્યવહાર તો પ્રતિજ્ઞાના દશય ઘાતને જ ઘાત માને છે. એ ચારનાં નામ અને સ્વરૂપ આ પ્રમાણે છે : ૧. પ્રતિજ્ઞાનો અતિક્રમ કરવો એટલે પ્રતિજ્ઞાના ભંગનો માનસિક સંકલ્પ કરવો. ૨. પ્રતિજ્ઞાનો વ્યતિક્રમ કરવો એટલે એ સંકલ્પની સહાયક સામગ્રીના સંયોગની યોજના કરવી. આ બંને દૂષણરૂપ હોવા છતાં વ્યવહાર એ બંનેને ક્ષમ્ય ગણે છે, અર્થાત્ મનુષ્યની અપૂર્ણ ભૂમિકા એ તેની આસપાસનું વાતાવરણ જોતાં એ બંને દોષો ચલાવી લેવાય ખરા. ૩. પણ જે પ્રવૃત્તિને લીધે વ્યવહારમાં પણ લીધેલી પ્રતિજ્ઞાનો આંશિક ભંગ મનાય, અર્થાત્ જે પ્રવૃત્તિ વડે મનુષ્યનું વર્તન વ્યવહારમાં દૂષિત મનાય તે પ્રવૃત્તિને ત્યજવા માનવામાં આવી છે. એવી પ્રવૃત્તિનું જ નામ અતિચાર વા દોષ છે, અને એ ત્રીજો દોષ ગણાય છે. ૪. અનાચાર એટલે પ્રતિજ્ઞાનો સર્વથા નાશ. એ મહાદોષ છે. અહીં સર્વથા બ્રહ્મચર્ય કે આંશિક બ્રહ્મચર્ય સાથે જે અતિચાર રૂપ દોષો સંબંધ ધરાવે છે તેમનું વિવેચન કરવાનું છે અને તે નીચે પ્રમાણે છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy