SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૦ • જૈન ધર્મ અને દર્શન નાબૂદ કરવા જે જ્ઞાનમાર્ગ યોજાયો છે તે જ કામસંસ્કારના નાશમાં પણ લાગુ પડે છે. માત્ર ક્રિયામાર્ગથી મળતું રક્ષણ ઐકાંતિક પૂરેપુરું) કે આત્યંતિક (હંમેશનું) ન હોઈ શકે, કારણ કે તે દોષદર્શનથી થયેલું હોવાથી દોષદષ્ટિ બદલાતાં ભાગ્યે જ રહી શકે. જ્યારે જ્ઞાનમાર્ગથી મળતું રક્ષણ ઐકાંતિક અને આત્યંતિક હોય છે, કારણ કે તે રક્ષણ સ્વરૂપચિંતન અથવા આત્મવિવેકમાંથી ઉત્પન્ન થયેલું હોવાને લીધે કદી નાશ પામતું નથી અને સાહજિક ભાવે સિદ્ધ થાય છે. ક્રિયામાર્ગમાં આવતાં દશ સમાધિસ્થાનોનું વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રના સોળમાં અધ્યયનમાં બહુ માર્મિક રીતે કરવામાં આવ્યું છે. તેનો સાર આ પ્રમાણે છે : ૧. દિવ્ય કે માનુષી સ્ત્રીના, બકરી, ઘેટી વગેરે પશુના અને નપુસંકના સંસર્ગવાળાં શયન, આસન અને રહેઠાણ વગેરેનો ઉપયોગ ન કરવો. ૨. એકલા એકલી સ્ત્રીઓની સાથે સંભાષણ ન કરવું. માત્ર સ્ત્રીઓને કથાવાર્તા વગેરે ન કહેવાં અને સ્ત્રીકથા ન કરવી, એટલે કે સ્ત્રીનાં જાતિ, કુળ, રૂપ અને વેશ વગેરેનું વર્ણન કે વિવેચન ન કરવું. ૩. સ્ત્રીઓની સાથે એક આસને ન બેસવું. જે આસને સ્ત્રી બેઠેલી હોય ત્યાં તેના ઊડ્યા પછી પણ બે ઘડી સુધી ન બેસવું. ૪. સ્ત્રીઓનાં મનોહર નયન, નાસિકા વગેરે ઇન્દ્રિયોનું વા તેઓનાં અંગોપાંગનું અવલોકન ન કરવું અને તે વિશેનું ચિંતન-સ્મરણ પણ વર્જવું. ૫. સ્ત્રીઓના રતિપ્રસંગના અવ્યક્ત શબ્દો રતિકલહના શબ્દો, ગીતના ધ્વનિઓ, હાસ્યના કિલકિલાટો, કીડાના શબ્દો અને વિરહ સમયે રુદનના શબ્દો પડદા પાછળ રહીને કે ભીંતની આડમાં રહીને પણ ન સાંભળવા. ૬. પૂર્વે અનુભવેલી, આચરેલી, કે સાંભળેલી રતિક્રીડા, કામક્રીડા વગેરે ન સંભારવાં. ૭. ધાતુને વધારનારાં પૌષ્ટિક ખાનપાન ન લેવાં. ૮. સાદું ખાનપાન પણ પ્રમાણથી અધિક ન લેવું. ૯. શણગાર ન જવો; એટલે કે કામરાગને ઉદ્દેશીને સ્નાન વિલેપન, ધૂપ, માલ્ય વિભૂષણ કે વેશ વગેરેની રચના ન કરવી. ૧૦. જે શબ્દો, રૂપો, રસો, ગંધો અને સ્પર્શી કામગુણને જ પોષનારાં હોય તેઓને વર્જવાં. આ ઉપરાંત કામોદ્દીપક હાસ્ય ન કરવું. સ્ત્રીનાં ચિત્રો ન રાખવાં, ન જોવા, અબ્રહ્મચારીનો સંગ ન કરવો વગેરે બ્રહ્મચારીઓ ન કરવા જેવી બીજી અનેક જાતની ક્રિયાઓ આ દશ સ્થાનોમાં સમાઈ જાય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy