SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ ૦ જૈન ધર્મ અને દર્શન કેટલાક ઋજુ-પ્રાજ્ઞ શ્રમણો બહાર ગયેલા. ત્યાં એમણે રસ્તા વચ્ચે નટને રમતો જોયો. તેનો ખેલ જોઈને તેઓ વિલંબથી પોતાને સ્થાનકે આવ્યા. ગુરુએ વિલંબનું કારણ પૂછ્યું તો તેઓએ જે હકીકત હતી તે જણાવી દીધી. ગુરુએ કહ્યું કે નટ જોવાનો આપણો આચાર નથી. ફરી વાર તે જ શ્રમણો બહાર ગયા. તેમણે રસ્તા વચ્ચે નટીનો નાચ થતો જોયો, પરંતુ તેઓ ત્યાં ખોટી ન થતાં પોતાને સ્થાનકે ચાલ્યા ગયા, કારણ કે તેઓ પ્રાજ્ઞ હતા એટલે નટના નિષેધમાં નટીનો નિષેધ સમજી ગયા હતા. આવે જ પ્રસંગે ઋજુ અને જડ પ્રકૃતિના શ્રમણો એ વસ્તુને નહિ સમજી શકવાથી અને નનિષેધની ગુરુની આજ્ઞાના શબ્દોને જ વળગી રહેવાને કારણે તેઓને નટીનો નાચ જોવામાં બાધ ન સમજાયો. પણ તેઓ સરળ હતા, માટે જ રસ્તામાં બનેલો પ્રસંગ એમણે ગુરુને નિવેદિત કર્યો. એટલે ગુરુએ એમને માટે બે જુદી આજ્ઞાઓ કરી કે સાધુઓથી નટ ન જોવાય અને નટી પણ ન જોવાય. વક્ર અને જડ ભૂમિકાના સાધુઓ નટ વિશેની આજ્ઞાના શબ્દને વળગી નટી જોવામાં બાધ ન સમજ્યા. ઉપરાંત ગુરુએ પૂછતાં વક્રતાને લીધે બનેલો બનાવ છુપાવી યદ્વાતદ્વા કહેવા લાગ્યા. જ્યારે ગુરુએ ખૂબ ધમકાવ્યા ત્યારે તેઓએ કહ્યું કે તમે તો અમને નટ જોવાનો નિષેધ કરેલો; તે પ્રમાણે અમે વર્ત્યા છીએ. જો તમે પહેલેથી જ નટની સાથે નટીનો પણ નિષેધ કર્યો હોત તો અમે એ પ્રમાણે વર્તત. અમે તો તમારા કહ્યા પ્રમાણે જરૂર કરીએ, પણ તમારા ઉપદેશમાં ધડો ક્યાં છે ? આ પ્રમાણે વક્ર અને જડ સાધુઓ ગુરુ કે શાસ્ત્રની આજ્ઞાને બરાબર સમજતા નથી; કદાચ સમજે છે તો પાળતા નથી અને નહિ પાળવા માટે પોતાનો વાંક નહિ ગણતાં ગુરુને દોષી ઠરાવે છે અને ખોટું બોલતાં પણ અચકાતા નથી. ઋજુ અને પ્રાશ અધિકારીઓ ચાતુયામથી પણ સંયમનો પૂરો મર્મ સમજી શકે છે, પરંતુ ઋજુ-જડ અને વક્ર-જડની કલ્પનામાં ચાર યામથી પાંચ યામનો ખ્યાલ આવવો મુશ્કેલ છે. એથી જ એમની વિશેષ સમજને માટે ચારના પાંચ યામ કરવામાં આવ્યા છે. અને એ ઉપરાંત રાત્રિભોજનના ત્યાગને પણ એક જુદા વ્રત તરીકે જણાવ્યું છે; અર્થાત્ અધિકારીની મનોદશાના કારણથી ભગવાન મહાવીરે ચારના પાંચ યામ કર્યા, અને બ્રહ્મચર્યવ્રતને જુદું સ્થાન આપ્યું. વર્તમાનમાં પણ ત્યાગપ્રધાન અને સેવાપ્રધાન સંસ્થાઓમાં પાંચ યામ ઉપરાંત જે કેટલાક નિયમો અને ઉપનિયમો રાખવનું ધોરણ ચાલે છે તે પણ અધિકારીઓની વિચિત્ર મનોદશાને લીધે હોય એમ લાગે છે. ૪. બ્રહ્મચર્યનું ધ્યેય અને તેના ઉપાયો જૈન ધર્મમાં અન્ય તમામ વ્રતનિયોમોની પેઠે બ્રહ્મચર્યનું સાધ્ય પણ માત્ર મોક્ષ છે. જગતની દૃષ્ટિએ મહત્ત્વની ગણાતી ગમે તે બાબત બ્રહ્મચર્યથી સિદ્ધ થઈ શકતી હોય, પણ જો તેનાથી મોક્ષ સાધવામાં ન આવે તો જૈન દૃષ્ટિ પ્રમાણે એ બ્રહ્મચર્ય લોકોત્ત૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy