SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્ય-વિચાર • ૨૬૫ મલ્લિનાથ એ જાતે સ્ત્રી હતાં. તેઓએ કૌમાર અવસ્થામાં પોતાની ઉપર આસક્ત થઈ પરણવા આવેલા છ રાજકુમારોને માર્મિક ઉપદેશ આપી વિરક્ત બનાવ્યા અને છેવટે બ્રહ્મચર્ય લેવરાવી પોતાના અનુયાયી બનાવી ગુરુપદ માટે સ્ત્રી જાતિની યોગ્યતા સાબિત કર્યાની વાત જૈનોમાં ખૂબ જાણીતી છે. બાવીસમા તીર્થંકર નેમિનાથે ચોરીમાં ફેરા ફર્યા પહેલાં જ ત્યાગેલી અને પછી સાધ્વી થયેલી રાજકુમારી રાજીમતીએ ગિરનારની ગુફાના એકાંતમાં પોતાના સૌન્દર્યને જોઈ બ્રહ્મચર્યથી ચલિત થતા સાધુ અને પૂર્વાશ્રમના દિયર રથનેમિને બ્રહ્મચર્યમાં સ્થિર થવા જે માર્મિક ઉપદેશ આપ્યો છે અને તે વડે રથનેમિને પાછા સ્થિર કરી હમેશને માટે સ્ત્રી જાતિ ઉપર મુકાતા ચંચળતા અને અબલાત્વના આરોપને દૂર કરી ધીર સાધકોમાં જે વિશિષ્ટ નામના મેળવી છે તે સાંભળતાં અને વાંચતાં આજે પણ બ્રહ્મચર્યના ઉમેદવારોને અદૂભુત વૈર્ય અર્પે છે. બ્રહ્મચારિણી શ્રાવિકા થયા પછી કોશા વેશ્યાએ પોતાને ત્યાં આવેલા અને ચંચળ મનના થયેલા શ્રી સ્થૂલભદ્રના એ ગુરુભાઈને જે શિખામણ આપી સ્થિર કર્યાની વાત નોંધાઈ છે, તે પડતા પુરુષને એક ભારે કામ આપે તેવી અને સ્ત્રી જાતિનું ગૌરવ વધારે તેવી છે. પણ આ બધાઓમાં સૌથી ચડે તેવો દાખલો વિજય શેઠ અને વિજયા શેઠાણીનો છે. એ બંને દંપતી પરણ્યાં ત્યારથી એકશયનશાયી છતાં પોતપોતાની શુક્લ અને કૃષ્ણ પક્ષમાં બ્રહ્મચર્ય પાળવાની પ્રથમ લીધેલ જુદીજુદી પ્રતિજ્ઞા પ્રમાણે એમાં પ્રસન્નતાપૂર્વક આખી જિંદગી અડગ રહ્યાં ૫ જુઓ ત્રિષષ્ટિ૦ ચરિત્ર પર્વ ૬, સર્ગ ૬, જ્ઞાતાસૂત્ર: મલ્લિઅધ્યયન પૃ. ૧૪૬થી તથા ભગવાન મહાવીરની ધર્મકથાઓ મલ્લિ. પૃ. ૭૦ ૬. રાજીમતી અને રથનેમિના વૃત્તાંત માટે જુઓ ત્રિષષ્ટિ ચરિત્ર પર્વ ૮, સર્ગ ૯; ઉત્તરાધ્યયનસૂત્ર: રથનેમીય અધ્યયન ૨૨ તથા દશવૈકાલિકસૂત્ર અધ્યયન ૨. રાજીમતી ઉપર મુગ્ધ થયેલા રથનેમિને તેણે જે જે માર્મિક વચનો કહ્યાં છે તેનો સાર આ પ્રમાણે છે: તું રૂપમાં ભલે વૈશ્રમણ-કુબેર હો, લાલિત્યમાં ભલે નળ હો, અરે, ભલે ને સાક્ષાત્ ઈન્દ્ર હો, તોપણ તને હું ઇચ્છું જ નહિ. હા કામી પુરુષ ! તારી ખાનદાની ક્યાં ગઈ? તું યાદવકુળનો હોઈને પણ સંયમથી ભ્રષ્ટ થાય છે અને મારી વાંછા કરે છે! આ કરતાં તો તું મર એ વધારે સારું છે. તું જરા વિચાર તો કર કે તું અંધકવૃષ્ણિનો ખાનદાન છે અને હું ભોગરાજની ખાનદાન છું. માટે કુલાંગાર ન થઈએ એની તું સરત રાખ અને સંયમમાં સ્થિર થા. વળી, જ્યાં ત્યાં સ્ત્રીઓને જોતાં જ તું આવી રીતે ચલિત થયા કરીશ તો તે તારો સંયમ જ નહિ રહે, અને તું વાયુથી કંપતા ઝાડની પેઠે હંમેશાં અસ્થિર જ રહ્યા કરીશ. જે ભોગોને તે તાજેલા છે તે તો વમેલા અન્ન સમા છે. તો શું કોઈ પુરુષ વમેલું અન્ન કદી પણ ખાશે ખરો ?' આ વચનો સાંભળીને રથનેમિ સંયમમાં સ્થિર થયા. જુઓ દશવૈકાલિકસૂત્ર, અધ્યયન ૨. ૭. જુઓ ઉપર ટિપ્પણ ૪. ૮. જુઓ વિજય શેઠ અને વિજયા શેઠાણીની કથા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy