SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ૦ જૈન ધર્મ અને દર્શન જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. આ માટે સ્મૃતિઓમાં જુદો જ મત બતાવેલો છે. તેમાં આ જાતના સમાન અધિકારોનો અસ્વીકાર કરેલો છે. બ્રહ્મચર્ય માટે જોઈતું આત્મબલ સ્ત્રી અને પુરુષ બંને એકસરખી રીતે પ્રગટ કરી શકે છે એ બાબતમાં જૈન શાસ્ત્ર અને બૌદ્ધ શાસ્ત્રનો મત એક છે. આ જ કારણથી વિશુદ્ધ બ્રહ્મચર્યને પાલન કરનારી અનેક સ્ત્રીઓમાંથી સોળ સ્ત્રીઓ મહાસતી તરીકે એકેએક જૈન ઘરમાં જાણીતી છે અને પ્રાતઃકાળમાં આબાલવૃદ્ધ દરેક જૈન કેટલાક વિશિષ્ટ સત્પુરુષોનાં નામોની સાથે એ મહાસતીઓનાં નામોનો પણ પાઠ કરે છે, અને તેઓનાં સ્મરણને પરમમંગળ માને છે. (આ) કેટલાંક બ્રહ્મચારીઓ અને બ્રહ્મચારિણીઓ બ્રહ્મચર્યજીવનમાં શિથિલ થયાના દાખલા છે. તેમ તેથીયે વધારે આકર્ષક દાખલાઓ બ્રહ્મચર્યમાં અદ્દભુત સ્થિરતા બતાવનાર સ્ત્રીપુરુષોના છે. એવાઓમાં માત્ર ત્યાગી વ્યક્તિઓ જ નહિ, પણ ગૃહસ્થાશ્રમમાં રહેલી વ્યક્તિઓ પણ આવે છે. બિંબિસાર શ્રેણિક રાજનો પુત્ર ભિક્ષુ નંદિષણ માત્ર કામરાગને વશ થઈ બ્રહ્મચર્યથી વ્યુત થઈ બાર વર્ષ ફરી ભોગજીવન સ્વીકારે છે. આષાઢભૂતિ નામક મુનિએ પણ તેમજ કરેલું. આર્દ્રકુમાર નામનો રાજપુત્ર બ્રહ્મચર્યજીવનથી શિથિલ થઈ ચોવીસ વર્ષ સુધી ફરી ગૃહસ્થાશ્રમ તરફ વળે છે; અને છેવટે એક વાર ચલિત થયેલા આ ત્રણે મુનિઓ પાછા બેવડા બળથી બ્રહ્મચર્યમાં સ્થિર થાય છે. આથી ઊલટું, ભગવાન મહાવીરના પટ્ટધર શિષ્ય શ્રીસુધર્મા ગુરુ પાસેથી વર્તમાન જૈનાગમોને ઝીલનાર તરીકે પ્રસિદ્ધ થયેલ શ્રી જંબૂ નામક વૈશ્યકુમાર પરણવાને દિવસે જ પોતાની આઠ સ્ત્રીઓને, તેઓનું અત્યંત આકર્ષણ છતાં, છોડીને તારુણ્યમાં સર્વથા બ્રહ્મચર્ય સ્વીકારે છે, અને એ અદ્ભુત અને અખંડ પ્રતિજ્ઞા વડે આઠે નવપરિણીત બાળાઓને પોતાને માર્ગે આવવા પ્રેરે છે. કોશા નામક વૈશ્યાના પ્રલોભક હાવભાવો અને રસપૂર્ણ ભોજન છતાં, તેમજ તેને જ ઘેર એકાંતવાસ છતાં, નમંત્રી સકડાળના પુત્ર સ્થૂલભદ્રે પોતાના બ્રહ્મચર્યને જરાયે આંચ આવવા દીધી નહિ અને તેને પ્રભાવે એ કોશાને પાકી બ્રહ્મચારિણી બનાવી. જૈનોના પરમપૂજ્ય તીર્થંકરોમાં સ્થાન પામેલ ૩. મુખ્ય મુખ્ય મહાસતીઓનાં નામો આ છે સુલસા, ચંદનબાળા, મનોરમા, મદનરેખા, દમયંતી, નર્મદાસુંદરી, સીતા નંદા, ભદ્રા, સુભદ્રા, રાજીમતી, ઋષિદત્તા, પદ્માવતી, અંજના, શ્રીદેવી, જ્યેષ્ઠા, સુજ્યેષ્ઠા, મૃગાવતી, પ્રભાવતી, ચેલ્લાણા, બ્રાહ્મી, સુંદરી, રુક્મિણી, રેવતી, કુંતી, શિવા, જયંતી, દેવકી, દ્રૌપદી, ધારિણી, કલાવતી, પુષ્પચૂલા, ગૌરી, ગાંધારી, લક્ષ્મણા, સુસીમા, જંબૂમતી, સત્યભામા, રુક્મિણી, યક્ષ, યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા, સેના, તેના અને રેના. આ સતીઓના વિશેષ પરિચય માટે જુઓ ભરતબાહુબલિની વૃત્તિ. મૂળપાઠ માટે જુઓ પંચપ્રતિક્રમણ : ભરહેસ૨ની સજ્ઝાય. ૪. નંદિષેણ અને આર્દ્રકુમારના વૃત્તાંત માટે જુઓ ત્રિષષ્ટિ. મહાવીરચરિત સર્ગ ૬-૭, જંબૂકુમારના અને સ્થૂલભદ્ર તથા કોશાના વૃત્તાંત માટે જુઓ પરિશિષ્ટ પર્વ, સર્ગ ૨-૩-૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy