________________
૩૬. જૈન દષ્ટિએ બ્રહ્મચર્ય-વિચાર
જૈન દૃષ્ટિનું સ્પષ્ટકરણ
બ્રહ્મચર્યને લગતી કેટલીક બાબતો ઉપર જૈન દૃષ્ટિએ વિચાર કરીએ તે પહેલાં જેને દૃષ્ટિ એટલે શું તે જાણી લેવું જરૂરનું છે. એથી જૈન ધર્મના વહેણની મૂળ દિશા સમજવાની સરળતા થશે.
માત્ર તત્ત્વજ્ઞાન કે માત્ર આચારમાં જૈન દૃષ્ટિ પૂર્ણ થતી નથી. એ તત્ત્વજ્ઞાન અને આચાર ઉભયની મર્યાદા સ્વીકારે છે. કોઈ પણ વસ્તુને પછી તે જડ હોય કે ચેતન) તેની બધી બાજુઓનો વાસ્તવિક સમન્વય કરવો એ અનેકાંતવાદ જેન તત્ત્વજ્ઞાનનો મૂળ પાયો છે; અને રાગદ્વેષના નાનામોટા દરેક પ્રસંગોથી અલિપ્ત રહેવારૂપ નિવૃત્તિ એ સમગ્ર જેન આચારનો મૂળ પાયો છે. અનેકાંતવાદનું કેન્દ્ર મધ્યસ્થતામાં છે અને નિવૃત્તિ પણ મધ્યસ્થમાંથી જ જન્મે છે. તેથી અનેકાંતવાદ અને નિવૃત્તિ એ બંને એકબીજાના પૂરક અને પોષક છે. એ બંને તત્ત્વ જેટલે અંશે સમજાય અને જીવનમાં ઊતરે તેટલે અંશે જૈન ધર્મનું જ્ઞાન અને પાલન થયું કહેવાય.
જૈન ધર્મનું વહેણ નિવૃત્તિ તરફ છે. નિવૃત્તિ એટલે પ્રવૃત્તિની વિરોધી બીજી બાજુ. પ્રવૃત્તિનો અર્થ રાગદ્વેષના પ્રસંગોમાં ઝંપલાવવું. જીવનમાં ગૃહસ્થાશ્રમ એ રાગદ્વેષના પ્રસંગોનાં વિધાનોનું કેન્દ્ર છે. તેથી જે ધર્મમાં ગૃહસ્થાશ્રમનું વિધાન કરવામાં આવ્યું છે તે પ્રવૃત્તિધર્મ અને જે ધર્મમાં ગૃહસ્થાશ્રમનું નહિ પણ માત્ર ત્યાગનું વિધાન છે તે નિવૃતિધર્મ, જૈનધર્મ એ નિવૃતિધર્મ હોવા છતાં તેના પાલન કરનારાઓમાં જે ગૃહસ્થાશ્રમનો વિભાગ દેખાય છે. તે નિવૃતિની અપૂર્ણતાને લીધે. સર્વાશે નિવૃત્તિ મેળવવા અસમર્થ વ્યક્તિઓ જેટજેટલા અંશોમાં નિવૃત્તિ સેવે તેટકેટલા અંશોમાં તેઓ જૈન છે. જે અંશોમાં નિવૃત્તિ સેવી શકે તે અંશોમાં પોતાની પરિસ્થિતિ પ્રમાણે વિવેકદૃષ્ટિથી તેઓ પ્રવૃત્તિ ગોઠવી લે; પણ એ પ્રવૃત્તિનું વિધાન જૈન શાસ્ત્ર નથી કરતું, તેનું વિધાન તો માત્ર નિવૃત્તિનું છે. તેથી જૈન ધર્મને વિધાનની દષ્ટિએ એકાશ્રમી કહી શકાય. તે એકાશ્રમ એટલે બ્રહ્મચર્ય અને સંન્યાસ આશ્રમના એકીકરણરૂપ ત્યાગનો આશ્રમ.
આ જ કારણથી જૈનાચારના પ્રાણભૂત ગણાતાં અહિંસાદિ પાંચ મહાવ્રતો પણ વિરમણ (નિવૃત્તિ) રૂપ છે. ગૃહસ્થનાં અણુવ્રતો પણ વિરમણરૂપ છે. ફેર એટલો કે એકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org