SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય-વિચાર • ૨૬૧ સર્વાશે નિવૃત્તિ છે અને બીજામાં અલ્પાંશે નિવૃત્તિ છે. તે નિવૃત્તિનું મુખ્ય કેન્દ્ર અહિંસા છે. હિંસાથી સર્વાશે નિવૃત્ત થવામાં બીજા બધાં મહાવ્રતો આવી જાય છે. હિંસાના પ્રાણઘાતરૂપ અર્થ કરતાં જૈન શાસ્ત્રમાં તેનો અર્થ બહુ જ સૂક્ષ્મ અને વ્યાપક છે. બીજો કોઈ જીવ દુભાય કે નહિ, પણ મલિન વૃત્તિમાત્રથી પોતાના આત્માની શુદ્ધતા હણાય તો તે પણ હિંસા. આવી હિંસામાં દરેક જાતની સૂક્ષ્મ કે સ્થૂલ પાપવૃત્તિ આવી જાય છે. અસત્ય ભાષણ, અદત્તાદાન (ચૌર્ય), અબ્રહ્મ (મૈથુન અથવા કામાચાર) કે પરિગ્રહ એ બધાંની પાછળ કાં તો અજ્ઞાન અને કાં તો લોભ, ક્રોધ, કાહલ કે ભયાદિ મલિન વૃત્તિઓ પ્રેરક હોય છે જ. તેથી અસત્યાદિ બધી પ્રવૃત્તિઓ હિંસાત્મક જ છે. એવી હિંસાથી નિવૃત્ત થવું એ જ અહિંસાનું પાલન; અને તેવા પાલનમાં સહેજે બીજા બધા નિવૃત્તગામી ધર્મો આવી જાય છે. જૈન ધર્મ પ્રમાણે બાકીના બધાં વિધિનિષેધો એ ઉક્ત અહિંસાના માત્ર પોષક અંગો જ છે. ચેતના અને પુરુષાર્થ એ આત્માનાં મુખ્ય બળો છે. તે બળોનો દુરુપયોગ અટકાવવામાં આવે તો જ તેમને સદુપયોગની દિશામાં વાળી શકાય. આ કારણથી જૈન ધર્મ પ્રથમ તો દોષવિરમણ નિષિદ્ધત્યાગ) રૂપ શીલનું વિધાન કરે છે, પણ ચેતના અને પુરુષાર્થ એવો નથી કે તે માત્ર અમુક દિશામાં ન જવારૂપ નિવૃત્તિમાત્રથી નિષ્ક્રિય થઈ પડ્યાં રહે. તે તો પોતાના વિકાસની ભૂખ ભાંગવા ગતિની દિશા શોધ્યા જ કરે છે. આ કારણથી જૈન ધર્મે નિવૃત્તિની સાથે જ શુદ્ધ પ્રવૃત્તિવિહિતઆચરણરૂપ ચારિત્ર)નાં વિધાનો પણ ગોઠવ્યાં છે. તેણે કહ્યું છે કે મલિન વૃત્તિથી આત્માનો ઘાત ન થવા દેવો અને તેના રક્ષણમાં જ (સ્વદયામાં જી બુદ્ધિ અને પુરુષાર્થનો ઉપયોગ કરવો. પ્રવૃત્તિના એ વિધાનમાંથી જ સત્ય ભાષણ, બ્રહ્મચર્ય, સંતોષ આદિ વિધિમાર્ગો જન્મે છે. આટલા વિવેચન ઉપરથી એ જણાશે કે જૈનદષ્ટિ પ્રમાણે કામાચારથી નિવૃત્તિ મેળવવી એ અહિંસાનો માત્ર એક અંશ છે અને તે અંશનું પાલન થતાં જ તેમાંથી બ્રહ્મચર્યનો વિધિમાર્ગ નીકળી આવે છે. કામાચારથી નિવૃત્તિ એ બીજ છે અને બ્રહ્મચર્ય એ તેનું પરિણામ છે. ભગવાન મહાવીરનો ઉદ્દેશ ઉપર કહેલા નિવૃત્તિધર્મનો પ્રચાર છે. તેથી તેમના ઉદેશમાં જાતિનિમણ, સમાજસંગઠન, આશ્રમવ્યવસ્થા આદિને સ્થાન નથી. લોકવ્યવહારની ચાલુ ભૂમિકામાંથી ગમે તે અધિકારી પોતાની શક્તિ પ્રમાણે નિવૃત્તિ લે અને કેળવે, તેમજ તે દ્વારા મોક્ષ સાધે એ એક જ ઉદ્દેશથી ભગવાન મહાવીરના વિધિનિષેધો છે. તેથી તેમાં ગૃહસ્થાશ્રમનો કે લગ્નસંસ્થાનો વિધિ ન જ હોય એ સ્વાભાવિક છે. લગ્નસંસ્થાનું વિધાન ન હોવાથી તેને લગતી બાબતોનાં વિધાનો પણ જૈનાગમોમાં નથી; જેમકે વિવાહ કરવો, તે અમુક ઉંમરે કરવો અને અમુક ઉંમરે ન કરવો. સ્વયંવર પદ્ધતિએ કરવો કે બીજી પદ્ધત્તિએ કરવો, એક પુરુષ એક જ સ્ત્રી કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy