SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ • જૈન ધર્મ અને દર્શન તંગી અને ગરીબી આ સમસ્યાના ઉકેલની એક ચાવી ગુરુવર્ગના જીવનપરિવર્તનમાં રહેલી છે. આખા દેશમાં વ્યાપકરૂપે વર્તતી તંગી અને ગરીબીનો અનુભવ એક પણ જૈન ત્યાગીને થયો હોય એવો દાખલો અદ્યાપિ જાણમાં નથી. તેથી ઊલટું શ્રાવકોમાં એવા કોઈ વિરલ મળી આવવાના કે જેમણે એ તંગી અને ગરીબીનો ઐચ્છિક અનુભવ કરેલો છે અને જેઓ મૂંગી સેવા આપી રહ્યા છે. આપણે જોઈએ છીએ કે દરેક ફિરકાના ત્યાગી ગુરુઓ ત્યાં જ રહેવું અને જીવન ગાળવું પસંદ કરે છે કે જ્યાં પૂરેપૂરી સુખસગવડ પ્રાપ્ત થતી હોય. પરદુઃખે દુઃખી થવાના સિદ્ધાંત ઉપર જે જીવનચર્યા સ્વીકારેલી તે જ જીવનચર્યાને આદર્શ માની ઘરબાર છોડી ભેખ લેનાર ભિક્ષુગણ જો સાદગી, સહિષ્ણુતા અને ઐચ્છિક વાસ્તવિક ગરીબીમાં કૃતાર્થતા માનવાને બદલે સુખસગવડમાં જ ત્યાગ માનવાની ભૂલ કરે તો તે કદી બીજા પર નૈતિક વજન પાડી શકે નહિ. ગમે તેટલી હામાં હા ભણવા છતાં અનુયાયી ભક્તો મનમાં તો જાણતા જ હોય છે કે આ ગુરુવર્ગને કશી તંગી અને ગરીબીનો સાચો અનુભવ છે જ નહિ. એમ જાણવા છતાં ભક્તો પણ એક અથવા બીજા કારણે ગુરુવર્ગની બધી જ અસ્વાભાવિક ખર્ચાળ અને વધારે પડતી જરૂરિયાતો પૂરી પાડતા રહે છે અને ત્યાગને પોષણ આપ્યાનો ખોટો સંતોષ મેળવે છે. આ એક ગુરુ અને ભક્તોની ત્યાગ વિશેની માન્યતાનું દુક્ર છે. એ દુક્રના દોષનું નિવારણ કર્યા સિવાયનું પ્રતિક્રમણ તે નથી જીવનશુદ્ધિ કે નથી શુદ્ધિપર્વની સાચી ઉજવણીનું મુખ્ય અંગ. ક્યાં તે ઐચ્છિક અગવડ વહોરી લેનાર ભગવાનની જીવનકથા અને ક્યાં ઐચ્છિક સુખસગવડની શોધમાં પડેલ ગુરુવર્ગનું એ કથાવાચન અને ભક્તોનું એ કથાશ્રવણ! આ અંતર બનતા પ્રયત્ન નિવારવું એમાં જ પજુસણ પર્વની શુદ્ધિ છે. કાળાબજાર જૈન પરંપરામાં ધર્મપ્રાપ્તિની પ્રાથમિક શરત પ્રમાણે જે છત્રીસ માર્ગાનુસારી ગુણો બતાવ્યા છે તેમાં ન્યાયપૂર્વક ધનોપાર્જન કરવું એ પ્રથમ અને મુખ્ય ગુણ મનાયેલ છે. યુદ્ધ દરમ્યાન સર્વત્ર ચાલતાં કાળાબજારોમાં જૈન વ્યાપારીઓનો હાથ નાનોસૂનો નથી. કેટલાક નિખાલસ જેને ભાઈઓએ આ વાતનો જાહેરપણે સ્વીકાર પણ કરેલો છે. જેલમાં પડ્યા પડ્યા પણ રાષ્ટ્રપુરુષોને કાળાબજારની જાણ થયેલી અને મુક્ત થતાં જ તેઓ બધાએ એકી અવાજે કાળાંબજારનાં કૃત્યને ધુતકાર્યું છે. તેમ છતાં અત્યાર લગીમાં કોઈ પણ ફિરકાના એક પણ જૈન ગુરુએ કાળાબજારની ચોરી વિરુદ્ધ સામાન્યપણે પણ અવાજ ઉઠાવ્યો હોય એવું જાણવામાં આવ્યું નથી. શું એ ગુરુઓ કાળાબજારની કમાણીને અન્યાયોપાર્જિત છે એમ નથી માનતા? અને જો માનતા હોય તો તે વિદ્ધ આવાજ ઉઠાવતાં કેમ ડરે છે? આ પ્રશ્નનો ઉત્તર આપણને તેમની સુખસગવડની વૃત્તિ અને તે સગવડ પૂરી પાડનાર ભક્તોને રાજી રાખવાની મનોવૃત્તિમાંથી મળે છે. જેની પાસેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy