SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. સાચો જૈન ખરા જૈન અગર ખરા જૈન બનવા ઇચ્છનારે શું કરવું? આપણી આજુબાજુની પરિસ્થિતિ મનમાં બે વૃત્તિઓ ઉત્પન્ન કરે છે. ધાર્મિક લાગણી, રાજકીય સ્વાર્થ અથવા તો લાંબો લૌકિક સ્વાર્થ આપણને એમ માનવા લલચાવે છે કે, કોઈથી વિખૂટો ન પડતો, ના લડતો અને ગમે તેવા સ્વાર્થને માર્ગે પણ એકતા સાચવવાનું ન ચૂકતો. બીજી બાજુ કુળવારસો, પૂર્વસંસ્કારો, કૌટુંબિક ક્ષોભો અને સામાજિક પ્રેરણાઓ ઘણી વાર આપણને એવી માન્યતા તરફ ધકેલે છે કે સ્વાર્થ ન ત્યજાય, જરાયે જતું ન કરાય. એમ જતું કરીએ તો ચાલે કેમ? કુટુંબનુ કેમ નભે? નાત, ધર્મ ને સમાજની પ્રતિષ્ઠા કાંઈ જતી કરાય ? શું આપણે ત્યાગી છીએ ? આવા બે દેવી અને આસુરી વૃત્તિના પ્રવાહો માત્ર વ્યાપાર-વ્યવસાય, સત્તા, અધિકાર કે સારે નરસે પ્રસંગે જ નથી જન્મતા, પણ ધર્મ જેવી વિશુદ્ધ અને સ્વાર્પણ સૂચક વસ્તુને પ્રસગે પણ આવું અથડામણીવાળું ભયંકર તોફાન મનમાં ઊઠે જ છે. જે વિદ્વાનો અને ત્યાગીઓ ગમે તેટલું સહીને પણ ઉદારતા કેળવવાની શિક્ષા આપે છે તે જ અગ્રગણ્ય ગણાતા સંતપુરુષો જ્યારે ખરેખર સ્વાર્પણ કરવાનો અને ઉદારતા કેળવવાનો કટોકટીનો પ્રસંગ ઊભો થાય છે ત્યારે મજબૂત અને મક્કમપણે એમ કહે છે કે ધર્મનું તે અપમાન સહાય ? ધર્મની કોઈપણ વસ્તુ, પછી તે સ્થાવર જ કેમ ન હોય, જતી કરાય ? ધર્મની સંસ્થા અને તેનાં સાધનો જો નહિ સાચવીએ તો અને ધર્મના હક્કોની પરવા નહિ કરીએ તો ધર્મ કેવી રીતે રહેશે? આ રીતની અસ્મિતા માત્ર ધર્મગુરુઓ કે પંડિતો જ નથી જગાડતા, પણ જે માતાપિતા કે બીજા આપ્તજનો નાની ઉંમરમાં બાળકને ઉદાર થવાની, સહનશીલ થવાની અને નમ્રતા કેળવવાની તાલીમ આપવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કરતા, ધર્મગુરુઓ પાસે બાળકોને સમાગમ માટે મોકલતા અને આદર્શ શિક્ષકને હાથે બાળક સુધરે એમ ઇચ્છતા હોય છે, તે જ માતાપિતા કે બીજા આવા જૈન હવે યુવક થયેલ બાળકને વ્યાવહારિક જીવનમાં નીતિ કે અનીતિનો માર્ગ પસંદ કરવાની તક આવતાં, પાછા જાણે અજાણે એમ કહેતા હોય છે કે – ભાઈ, એ તો ખરું, પણ આપણે એણે કેટલું અપમાન કર્યું? બીજું તો બધું જતું કરાય, પણ આપણા હકની અને ભોગવટાની વસ્તુ ભલે તે નાનકડી જ કેમ ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy