SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ સાચો જૈન • ૨૫૧ હોય) એમ કાંઈ અન્યાયની જતી કરાય? તું એમ નમાલો થઈશ અને મૂંગે મોઢે સહ્ય જઈશ તો તને કોઈ પૂછવાનું નથી, તારો ધડો થવાનો નથી અને ખરેખર તું ભીખ માગીશ! આ અને આવી બીજી અનેક રીતે આપણી સામે પરસ્પર વિરોધી પ્રસંગો આવે છે – જેનો પ્રત્યેક વ્યક્તિને ઓછોવત્તો અનુભવ થાય છે – તે વખતે ધાર્મિક દૃષ્ટિએ, રાજકીય દષ્ટિએ કે બીજા વધારે લૌકિક હિતની દૃષ્ટિએ આપણે ઉદારતા કેળવવી અને બધું જતું કરી ખરું મનુષ્યત્વ વિકસાવવું કે મનોગત ઊંડા કુસંસ્કારો અને સ્વાર્થી સંકુચિત પ્રેરણાઓને વશ થઈ અન્યાયી અને અલ્પ પણ તત્કાળ લલચાવનાર સ્વાર્થ તરફ ઘસડાવું? ઉદારતા વગેરે ધર્મના ઉદેશોને માત્ર સાંભળવાના જ વિષય બનાવી આપણે હંમેશનો ખેલ ખેલ્યા કરવો એ એક ભારે વિચિત્ર વસ્તુ છે. હિંદુ અને મુસલમાનો જ નહિ, બ્રાહ્મણ અને બ્રાહ્મણેતરો જ નહિ, અસ્પૃશ્ય અને પૃશ્ય ગણાતી કોમો જ નહિ, પણ એક જ સંસ્કૃતિ, એક જ તત્ત્વજ્ઞાન અને એક જ ધ્યેયનો વારસો ભોગવનાર એવા શ્વેતાંબર, દિગંબર કે સ્થાનકવાસી ફિરકાઓ વચ્ચે જ્યારે હક કે માનાપામાન માટે મરી ફીટવાનો કે તેનાં સાધનો માટે મતભેદ કે તકરારનો પ્રસંગ ન હોય ત્યારે ઉદારતા કેળવવાની અને નમ્ર બનવાની તક અપાતી જ નથી; પણ જ્યારે રસાકસીનો પ્રસંગ ઊભો થાય ને જીવનમાં ધર્મ કે નીતિ દાખવવાની તક આવે ત્યારે ચોમેરથી દબાણ થાય છે કે તમે બાયેલા થઈ ગયા; તમને ધર્મનું કશું લાગતું જ નથી; આવી રીતે બેદરકાર રહેશો તો તમારું કે તમારા ધર્મનું નામ કે નિશાન નહિ રહે – એકતા અને ઉદારતા દાખવાના ખરેખરા કટોકટીના પ્રસંગે ધર્મની રક્ષાને બહાને આ રીતે આપણી અસ્મિતાને ઉશકેરવામાં આવે ત્યારે ધર્મને જ નામે અપાયેલા અને પુષ્ટ થયેલા ઉદારતા સંસ્કારો અગર એકાએક નાશ ન પામે તોપણ વ્યાવહારિક જીવનમાં ઊતરી ન શકે એવા બળવાન તો ન જ રહે એ દેખીતું છે. પણ આ દેવી અને આસુરી – આંતરિક અને બાહ્ય હચમચાવી મૂકે એવી, અને ઘણાને ઘણીવાર તદ્દન મૂંઝવી નાખે તેવી વિકટ પરિસ્થિતિ વચ્ચે જે ખરો જૈન હોય અગર તો ખરો ધર્મનિષ્ઠ હોય તેમજ જે તેવો બનવા ઇચ્છતો હોય તેણે શું કરવું એ આજનો અતિ ગહન પ્રશ્ન છે. આ પ્રશ્નનો ઉત્તર આપોઆપ મેળવી લે એટલી બુદ્ધિપટુતા કે સાંસ્કારિક્તા આજે કેટલામાં જણાય છે? અને જો લોકસમાજ એ પ્રશ્નનો ઉત્તર આપોઆપ મેળવી લેવા સમર્થ ન હોય તો લોકોએ એનો ખરો ઉત્તર કોની પાસેથી મેળવવો ? જો વિદ્વાન ગણાતો એક આગેવાન અમુક ઉત્તર આપે, બીજો તેવો આગેવાન વળી બીજો ઉત્તર આપે અને ત્રીજો વિદ્વાન ત્રીજો જ ઉત્તર આપે તો પ્રશ્ન કરતાં ઉત્તરની ગૂંચવણ કરોળિયાના જાળાની પેઠે એવી મૂંઝવણકારક થઈ જવાની કે તેમાં સપડાયેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy