SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨. જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર આજનો છેલ્લો દિવસ એટલે શું? લોકો એને સાંવત્સરિક દિવસ કે પર્વ કહે છે. પણ વળી સાંવત્સરિક એટલે શું એ પ્રશ્ન થાય છે. એનો ઉત્તર ઉપરના મથાળામાં આવે છે. ભગવાન મહાવીર અને જીવનશુદ્ધિ એ બે વસ્તુ નોખી નથી જ. એ તો એક જ તત્ત્વનાં બે નામો અને રૂપો છે. કલ્પના અને બુદ્ધિ જ કાંઈક વિચારી શકે તેવી સૂક્ષ્મ વસ્તુ એ જીવનશુદ્ધિ, અને હાલતી ચાલતી તથા જીવતી જાગતી, તેમજ સ્થૂળ દષ્ટિને પણ ગ્રાહ્ય થઈ શકે તેવી જીવનશુદ્ધિ એ ભગવાન મહાવીર. આજનો દિવસ જીવનશુદ્ધિનો; એટલે જીવનશુદ્ધિને આદર્શ માનનાર હરકોઈને માટે પોતાના ભૂતજીવનમાં ડોકિયું કરવાનો અને એ જીવનમાં ક્યાં ક્યાં કચરો એકઠો થયો છે એની સૂક્ષ્મ તપાસ કરવાનો. આટલું જ કરવા માટે આપણે ભગવાનનું જીવન સાંભળીએ છીએ. જો એ જીવન સાંભળી પોતાના જીવનમાં એક વાર પણ ડોકિયું કરાય અને પોતાની નબળાઈઓ નજરે પડે તો સમજી લેવું કે તે બધાં જ તપો તપ્યો અને બધાં જ તીર્થોની યાત્રા કરી ! પછી દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણની જુદાઈ નહિ રહે, એને માટે એને રણરોઝની પેઠે રખડવું નહિ પડે. આપણે સાંવત્સરિક દિવસો કેટલા પસાર કર્યા? તેનો ધૂળ ઉત્તર તો સૌ કોઈ પોતાની જન્મપત્રિકામાંથી મેળવી શકે, પણ યથાર્થ સાંવત્સરિક દિવસ પસાર કર્યો છે કે નહિ એનો સત્ય ઉત્તર તો અંતરાત્મા જ આપી શકે. પચાસ વર્ષ જેટલી લાંબી ઉંમરમાં એક વાર પણ આવું સાંવત્સરિક પર્વ જીવનમાં આવી જાય તો એના બાકીનાં ઓગણપચાસે સફળ જ છે. ભગવાન મહાવીરનું જીવન સાંભળીએ છીએ ત્યારે તેમના ઉપર પડેલા ઉપસર્ગો સાંભળી અને તેમની પાસે હાજર થતી દેવોની સંખ્યા સાંભળી કાં તો અચરજ પામી વાહ વાહ કરીએ છીએ અને કાં તો કાંઈક હશે' એમ કહી અશ્રદ્ધાથી ફેંકી દઈએ છીએ. જ્યારે એ ભયાનક પરીષહો અને પ્રભાવશાળી દેવોની વાતો સામે આવે ત્યારે શ્રદ્ધાથી અચંબો પામીએ કે અશ્રદ્ધાથી એ વાત ન માનીએ એ બંનેનું પરિણામ એક જ આવે છે અને તે એ કે આપણે ક્ષુદ્ર રહ્યા, આવું તો આપણા જીવનમાં ક્યાંથી આવે ? એ તો મહાપુરુષમાં જ હોય અથવા કોઈમાં ન હોય એમ Jain Education International For Private & Personal Use Only : www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy