SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ અસ્પૃશ્યતા અને હારજીત • ૨૪૩ પ્રયત્ન કરતાં વધારેમાં વધારે સફળ થયા, છતાં અત્યાર સુધીમાં એ પ્રયત્ન માત્ર એક સમાજ તરફથી ચાલતો અને બીજા સમાજો કાં તો એનો વિરોધ કરતા અને કાં તો તટસ્થ રહેતા. છેવટે મહાત્માજીનું તપ આવ્યું એને લીધે બધા જ સમાજોમાં અસ્પૃશ્યતા પરત્વે જાગૃતિ આવી. આ જાગૃતિ વિશ્વવ્યાપી છે અને તે મોટામાં મોટી જીત છે. આ જીતમાં ફુલાવાને અવકાશ નથી, પણ કર્તવ્યનો સવાલ છે. જેઓ અસ્પૃશ્યતા નિવારવાના કામમાં પાછા પડશે તેઓ ધર્મ ચૂકશે અને સ્વમાન પણ કદી સાચવી નહિ શકે. ત્યારે હવે આજે શું કર્તવ્ય છે એ ટૂંકમાં જોઈ લઈએ : (૧) અંત્યજોને પોતાને ત્યાં બીજા ઉચ્ચ ભાઈઓની પેઠે રાખવા. (૨) જાતે અગર બીજા મારફત કે સ્કોલરશિપ આપીને તેમને ભણાવવા. (૩) તેમની વચ્ચે જઈને દવા, સ્વચ્છતા, સભ્યતા આદિ માટે કામ કરવું અને તેઓની ખાનપાનની શુદ્ધિ માટે પ્રયત્ન કરવો. () તેઓને કથાવાર્તા દ્વારા અને બીજી રીતે હિંદુ ધર્મનો સ્પષ્ટ ખ્યાલ આપવો તેમજ તેમના વહેમો દૂર કરવા. - પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, ૧૯૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy