SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ - જૈન ધર્મ અને દર્શન કે જુદો નથી ગણતો; તેમને તેમની મજૂરી આપતાં જરા પણ અન્યાય કે શોષણ નથી કરતો. ત્રીજો માણસ પોતાના આશ્રિત નોકરોને જ પોતાનું જીવન લેખી તેમનાથી અતડો કે જુદો નથી પડતો; પોતાને માટે એક અને આશ્રિતોને માટે બીજું એવો ભેદ નથી રાખતો. એક ચણાની સરખી બે ફાડ કરીને જ આશ્રિતો સાથે વહેંચણીનું તત્ત્વ રાખે છે. ચોથો માણસ ગમે તેટલો ઊંચ વર્ણનો મનાતો હોય છતાં એનો બધો જ વ્યવહાર દલિતવર્ગ સાથે સમાન છે. એ દલિતવર્ગને દબાવી કામ નથી કાઢી લેતો, પણ તેને તેના કામના બદલામાં પૂરતું આપે છે. આ ચારે માણસો કોઈ નાનીમોટી રકમ, જાહેર કે ખાનગી, અલાયદી કાઢી સખાવત નથી કરતા. તેથી ઊલટું બીજા ચાર માણસો આવી સખાવતો કરનાર છે, દુનિયામાં દાની તરીકે જાણીતા છે, પણ એમનો પોતાના ખેડૂતો, મજૂરો, આશ્રિતો અને દલિતો સાથે એવો વ્યવહાર છે કે જેમાં તેઓ તેમની લેવડદેવડમાં બને તેટલું સામાનું ચૂસે છે. આ બંને ચિત્રો તમારી સામે હોય તો તમે સખાવત નહિ કરનાર પેલા ચાર માણસોને ખરો અમારિધર્મ પાળનાર કહેશો કે પાછલા ચાર જણને ? દુનિયાના શબ્દો ઉ૫૨ ન્યાયનું ધોરણ ઘણી વાર નથી હોતું. દુનિયા સ્થૂળદર્શી હોય છે. તાત્કાલિક મોટા કૃત્યથી તે અંજાઈ જાય છે અને ઝટપટ અભિપ્રાય ઉચ્ચારી દે છે. એક સાથે જાહેરમાં અમુક સખાવત કરનાર માણસના દાનની રકમથી અંજાઈ માણસો કહી દે કે એ તો ભારે ધાર્મિક છે. પણ ધાર્મિકતાનું ખરું અને છેલ્લું ધોરણ તો એના જીવનવ્યવહારમાં હોય છે, એટલે જોવું જોઈએ કે એવી મોટી સખાવત કરનાર પૈસા કઈ રીતે એકઠા કરે છે, અને એ પોતાના સાથીઓ તેમજ પોતાના તાબેદાર સાથે આર્થિક વહેંચણીમાં કેવો વ્યવહાર રાખે છે ? એ વ્યવહારમાં જો એ માણસ મારવાડીવ્યાજ લેતો હોય અને આખાં કેળાં હડપતો હોય તો એની સખાવતો અમારિધર્મ નહિ કહેવાય. તેથી આજનો અમારિધર્મ આપણને જીવનવ્યવહારમાં આપણા સંબંધમાં આવનાર સાથે આર્થિક વહેંચણી કરવામાં સમાનતા અને આત્મીયતાનો પાઠ શીખવે છે. એ વિનાનો અમારિધર્મ કલ્યાણ સાધી નહિ શકે. જૈન ધર્મ તો એ જ સમાનતાની શિક્ષા આપે છે. આ રીતે પહેલા અને બીજા મુદ્દા પરત્વે અમારિધર્મનો વિચાર કર્યા પછી ત્રીજા મુદ્દા પરત્વે જુદો વિચાર કરવાનું ભાગ્યે જ રહે છે. સ્વદેશીને ઉત્તેજન આપવાથી દેશનો ઉદ્યોગધંધો સ્થિર થયો અને વ્યાપારી તેમજ માલિકો દ્વારા આર્થિક વહેંચણીમાં સમાનતાનું તત્ત્વ દાખલ થયું એટલે પ્રજાનો મોટો ભાગ શક્ત થયો, અને એમ થાય એટલે બુદ્ધિજીવી વર્ગની માનસિક નબળાઈ અને અસંતોષ નહિ રહેવાનાં. આજે એ વર્ગ સરકાર-દરબારની નોકરીચાકરીની હૂંફ માટે તલસે છે; એ વિના એને બીજો ત્રાણોપાય દેખાતો નથી. પણ દેશની સામાન્ય આબાદી વધતાં અને ધંધોધાપો સ્થિર થતાં જ સ્વતંત્રતાની ભાવના જાગવાથી એ વર્ગને પોતાની બુદ્ધિ ગુલામી પોષવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy