SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા અને અમારિ ૦ ૨૩૩ કામોમાં સખાવતો કરે છે એ વાત સાચી, પણ એવા વ્યાપારમાં દેશના એક ટકા જેટલા માણસો પણ ભાગ્યે જ કમાનાર હોય છે. એથી ઊલટું સ્વદેશી વ્યાપાર ખીલે તો ઘરોઘર ધંધો ચાલે, પ્રમાણ ઓછું છતાં બધા જ વ્યાપારીઓ ઘેર બેઠાં કમાય, કરોડો ધંધાર્થીઓ ધંધે લાગી જાય અને ઉદ્યોગીવર્ગ તેમજ તે ઉપર નભતા વ્યાપારીવર્ગની નસમાં તાજું લોહી ભરાઈ જાય. તેથી આજનો અમારિ ધર્મ આપણને સ્વદેશી ધર્મ શિખવાડે છે. જ્યારે દેશની અંદર ધંધાની ખોટ ન હતી, સામાન્ય રીતે કોઈને અન્નવસ્ત્ર મેળવવાની ફરિયાદ ન હતી, ત્યારે આપણી અમારએ કતલખાનાં અને કસાઈખાનાંમાં કામ કર્યું, તે વ્યાજબી જ થયું છે. તે વખતે ગરીબગરબાંને પ્રાસંગિક મદદ અપાતી, તે પણ વ્યાજબી જ હતું. પરંતુ આજે તો આખો કારીગરવર્ગ અને તે ઉ૫૨ નભતો બીજા મધ્યમવર્ગ જ ગરીબ અને કંગાલ થઈ ગયો છે, એને જુવાનીમાં ધોળાં આવ્યાં છે, તે વખતે આપણે અમારિની સખાવતો ગમે તેટલી કરીએ, તોપણ કેટલી કરીશું અને કેટલા માણસોને કેટલા વખત સુધી નભાવી શકીશું ? એટલે જ એ સખાવતોનો પ્રવાહ ઉદ્યોગધંધા સ્થાપવામાં, તેમજ ચાલુ હોય તેને નભાવવામાં વહેવરાવવો જોઈએ. વળી કાંઈ અમરિ એવી વસ્તુ નથી કે તેને મોટામોટા ધનવાનો જ કરી શકે. આજે તો અમિરનું સ્વરૂપ એવું છે કે દરેક માણસ એ ધર્મ બજાવી શકે, જેણે હંમેશના વાપરની ચીજો દેશની જ ખરીદી અને દર વર્ષે દેશમાં દશ રૂપિયા રાખ્યા, તેણે નફાના દશબાર આના જ નહિ પણ એ ચીજના ઉત્પાદક કારીગરવર્ગને મહેનત પૂરી પાડી મહેનતાણામાં બે રૂપિયા તો આપ્યા જ. આ રીતે એક એક માણસની અમારિનું કેવડું મોટું પ્રમાણ થાય ? અને એ પ્રમાણ એક માણસની એકાદ વખતની લાખોની સખાવત કરતાં કેટલું વધી જાય એ વિચારવાની જરૂ૨ છે. તેમ છતાં કાંઈ આપણે મોટી સખાવતો જતી કરવાના નથી, અપંગ, તદ્દન અનાથ અને બીજા એવા કેટલાક લોકો માટે હંમેશાં એવી સખાવતોની જરૂર રહેશે; પણ આજે જ્યારે આખો દેશ અપંગ અને અનાથ નહિ છતાં ઉદ્યોગધંધાને અભાવે અપંગ અને અનાથ જેવો થઈ ગયો હોય, અને ઉદ્યોગધંધો મળતાં જ પાછો પગભર થઈ શકે એવો સંભવ હોય ત્યારે આપણે શું કરવું જોઈએ, એ જ પ્રશ્ન છે અને એનો ઉત્તર સ્વદેશીની ખરીદમાં અમારિધર્મ આવી જવાની સમજમાં સમાયેલો છે. હવે આપણે ખેડૂતવર્ગ વગેરેના પહેલા મુદ્દાને લઈ તે ઉપર અમારિધર્મનો વિચાર કરીએ. ચાર માણસ કલ્પનામાં રાખો. એક કદી અમારિધર્મ માટે કોઈ મોટી રકમ અલાયદી કાઢી જાહેર કે ખાનગી સખાવત નથી કરતો, પણ પોતાની જમીન ખેડતા ખેડૂતોને જ પોતાના હાથપગ સમજી એમને એમની મહેનતનો પૂરો બદલો આપે છે; પોતાને માલિક અને ખેડૂતને માત્ર કામગરો માની પોતાની કિંમત, સત્તા અને જરૂરિયાત ખેડૂત કરતાં વધારે આંકી તેને ચૂસતો નથી. બીજો માણસ પણ તેવો જ સમભાવી છે, જે પોતાના તાબેના મજૂરોને પોતાનાં ફેફસાં જેવાં ગણી તેના કરતાં પોતાને ચડિયાતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy