SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩ર • જૈન ધર્મ અને દર્શન આપણા દેશમાં બધું પાકવા છતાં પાકો માલ પરદેશથી જ આવે છે. અહીંના પડી ભાંગેલા ઉદ્યોગધંધા અને કળાહનરને આપણા વિના બીજા કોઈ દેશનો માણસ સજીવન નહિ કરે. આપણા દેશની વસ્તુઓ બીજા દેશના લોકો નહિ વાપરે. યુરોપ અને અમેરિકાના લોકો એટલું જીવનતત્ત્વ સમજી ગયા છે કે તેઓ પોતાના દેશવાસીઓને નુકસાન થાય એવું કશું જ નહિ કરે, એટલે તમારો પાકો માલ તેઓ નહિ જ લે. ત્યારે આપણો માલ આપણે ન ખરીદીએ તો આપણા દેશમાં માલ પેદા જ કેવી રીતે થઈ શકે? અને થતો હોય તો એ નથી કેવી રીતે શકે? એક બાજુ સ્વદેશી માલ ખરીદવાની આપણી ઉદાસીનતા અને બીજી બાજુ રાજ્યકર્તાઓ તેમજ બીજા પરદેશી વ્યાપારીઓ તરફથી આપણો ધંધો કચરાઈ જાય તેવી થતી બધી જ હિલચારો – આ બે કારણથી આપણો ધંધો જાગે જ કેવી રીતે ? અને જો દેશમાં ઉદ્યોગ કે ધંધો ન જાગે તો આપણે દાન અને સખાવતથી હંમેશાં આપણા દેશના કરોડો માણસોને કેવી રીતે અને કેટલા વખત સુધી નભાવી શકવાના? દાન અને સખાવત એ તો માત્ર મલમપટા જેવું છે. મલમપટાની જરૂર હોય છે, પણ જ્યારે શરીરમાંથી લોહી જ ચુસાતું અને નિચોવાતું હોય ત્યારે પહેલાં તો એ લોહી ભરેલું કાયમ રહે એવી વ્યવસ્થા કરવી જ આવશ્યક છે. માતભૂમિ હિંદના શરીરની એકેએક નસમાંથી આજે લોહી વહી જાય છે અને શરીર ખાલી પડી નિસ્તેજ થઈ ગયું છે. એ વહી જતું લોહી અટકાવી તાજું લોહી ભરવું આપણા હાથમાં છે. એક માણસ લાખો રૂપિયાની મોટામાં મોટી સખાવત કરે અને બીજી બાજુ તે જ માણસ ફર્નિચરમાં, લૂગડાંલત્તામાં, વાસણ કૂસણમાં અને બીજી એવી નાની-મોટી હજારો ચીજોમાં લાખો રૂપિયા હમેશને માટે પરદેશમાં મોકલ્યા કરે તો એની એ સખાવત આજે બહુ કીમતી નથી; અથવા એમ કહો કે એને સખાવત અને પરદેશીત્યાગ એ બેમાંથી માતૃભૂમિની સેવા માટે એકની જ પસંદગી કરવાની હોય તો આજે પરદેશીત્યાગ અને સ્વદેશીનો સ્વીકાર એની જ પસંદગી લાભદાયક લેખાશે, કારણ કે તે માણસ મોટામાં મોટું દાન આપે તોપણ તે અમુક વખતે જ અને અમુક કામ પૂરતું જ આપી શકે, બધાં ક્ષેત્રમાં એની વહેંચણી થઈ ન શકે; જ્યારે એ માણસ સ્વદેશીની ખરીદ અને પરદેશીના ત્યાગ મારફત બધાં જ ક્ષેત્રોમાં અને હમેશને માટે દેશને મદદ કરી શકે. પરદેશીના ત્યાગમાં અને સ્વદેશીના સ્વીકારમાં જેમ શોખ ઉપર અંકુશ મુકાય છે તેમ નકામા ખર્ચ ઉપર પણ અંકુશ મુકાય છે. શરૂઆતમાં અમુક ચીજો વિના ચલાવવું પડશે, રફ ચીજો પણ લેવી પડશે, કિંમત પણ વધારે બેસશે, ઘણી વાર ચીજ મેળવવામાં મુશ્કેલી પણ પડશે; પરંતુ આ બધું છતાં દેશવાસી કરોડો ભાઈઓના પેટમાં હંમેશાં અન્ન પહોંચાડવા ખાતર આપણે સ્વદેશી ખરીદ્ય જ છૂટકો છે, અને પરદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવામાં જ આપણા દેશવાસીઓની અમારિ આવી જાય છે. પરદેશી માલના વેપારમાંથી આપણા દેશના લોકો નફો મેળવે છે અને એ નફામાંથી કેટલાક જણ સારાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy