SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા અને અમાર ૦ ૨૩૧ અને કોઈપણ વર્ગને ગુલામીમાં રાખ્યા સિવાય જેટલી વ્યવહારમાં શક્ય હોય તેટલી સૌને સ્વતંત્રતા આપી શકીએ. હવે છેલ્લે જોવાનું એ રહે છે કે ત્યારે કઈ રીતે અને કયા કયા ક્ષેત્રમાં આપણી દયા દેશવાસીઓમાં વહેંચાવી જોઈએ. આ બાબતનો નિર્ણય કરવાનો આધાર આજની આપણી દેશદશા ઉપર રહેલો છે. કયું કયું અંગ પોષણ માગે છે તેમજ કયા અંગમાં વધારે પડતો ભરાવો થવાથી સડાણ ઊભું થયું છે, એ તપાસીને જ આપણી સખાવતોનો અને બુદ્ધિ તેમજ શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. (૧) ખેડૂતો, મજૂરો, આશ્રિત નોકરો અને દલિતવર્ગ એ બધા પોતાના પરસેવાનાં ટીપાંના પ્રમાણમાં કશું જ નથી પામતા; ઊલટું, તેમના લોહીનું છેલ્લું ટીપું તેમના ઉ૫૨ કાબૂ ધરાવનાર જ ચૂસી લે એવી દશા વર્તે છે. (૨) ઉદ્યોગધંધા અને કળાહુન્નર ભાંગી પડવાથી તેમજ નિરાધાર થઈ જવાથી તેના ઉપર નભતા કારીગરવર્ગ અને બીજા વર્ગોની પોતાના જ દેશમાં જુવાની છતાં ઘડપણ જેવી પાંગળી સ્થિતિ થઈ ગઈ છે. (૩) ભણેલગણેલ અને વકીલાત, નોકરિયાત જેવાં કામ કરનાર બુદ્ધિજીવી લોકોની એકતરફી બેઠમલિયા તાલીમથી તેમનામાં આવેલી અસાધારણ માનસિક નબળાઈ અને અસંતોષની વૃત્તિ. (૪) ફકીર, બાવા તથા પંડિત-પુરોહિતો અને રાજા-મહારાજાઓનાં જઠરમાં જોઈએ તે કરતાં વધારેમાં વધારે પડતા હિવને લીધે તેમની આળસી, કેફી અને બીજાને ભોગે જીવવાની વૃત્તિ. આ રીતે આર્થિક વહેંચણીની વિષમતાને લીધે રાષ્ટ્રનાં અંગોમાં નબળાઈ અને સડો આવી ગયેલો છે. એ નબળાઈ અને સડો દૂર કરવામાં જ, એટલે જે અંગમાં લોહીની જરૂર હોય ત્યાં તે પૂરવામાં અને જ્યાં વધારે જામીને સ્થિર થઈ ગયું હોય ત્યાંથી તેને ગતિમાન કરી બીજી ગાએ વહેવડાવામાં જ, આજની આપણી દયા કે અદિરની સાર્થક્તા છે. પજુસણ જેવા ધર્મદિવસોમાં તેમજ બીજા સાથેનરસે પ્રસંગે આપણો દાનપ્રવાહ કસાઈખાને જતાં ઢોરાંઓના બચાવમાં અને એ ઢોરાંઓના નભાવમાં વહે છે. એ જ રીતે ગરીબગરબાંને પોષવામાં તેમજ અનાથ અને અપંગોને નભાવવામાં અને સાધર્મિક ભાઈઓની ભક્તિ પ્રતિપત્તિ કરવામાં તેમજ એવી બીજી બાબતોમાં આપણે છૂટુંછવાયું અને વ્યવસ્થિત રીતે પુષ્કળ ધન ખરચીએ છીએ. આ દાનપ્રવાહ અને સખાવતની પાછળ રહેલ ઉદારતા અને બીજાનું ભલું કરવાની સવૃત્તિ એ બે તત્ત્વ બહુ કીમતી છે. તેથી એ બે તત્ત્વો કાયમ રાખીને, બલ્કે વધારે વિકસાવીને, આપણે દેશકાળની પરિસ્થિતિ પ્રમાણે દાન અને સખાવતનું સ્વરૂપ બદલવું જોઈએ. આ ફેરફારની શરત એટલી જ હોવી જોઈએ કે તે ફેરફાર દ્વારા જૂની રીત કરતાં વધારે પ્રમાણમાં અને વધારે વ્યાપક રીતે રાષ્ટ્રનું પોષણ થવું જોઈએ. આ દૃષ્ટિથી વિચારતાં આપણી સામે અત્યારે પહેલો સ્વદેશી ધર્મ આવે છે, જે પ્રથમ બતાવેલ ચાર મુદ્દા પૈકી બીજા મુદ્દા સાથે ખાસ સંબંધ ધરાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy