SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા અને અમારિ • ૨૨૯ એ બંને તત્ત્વોની જગતના કલ્યાણાર્થે એકસરખી જરૂરિયાત હોવા છતાં અહિંસા કરતાં દયા જીવનમાં લાવવી કાંઈક સહેલ છે. અંતર્દર્શન વિના અહિંસા જીવનમાં ઉતારી શકાતી નથી, પણ દયા તો અંતર્દર્શન વિનાના આપણા જેવા સાધારણ લોકોના જીવનમાં પણ ઊતરી શકે છે. અહિંસા નકારાત્મક હોવાથી બીજા કોઈને ત્રાસ આપવાના કાર્યથી મુક્ત થવામાં જ એ આવી જાય છે અને એમાં બહુ જ બારીકીથી વિચાર ન પણ કર્યો હોય, છતાં એનું અનુસરણ વિધિપૂર્વક શક્ય છે; જ્યારે દયાની બાબતમાં એમ નથી. એ ભાવાત્મક હોવાથી અને એના આચરણનો આધાર સંયોગો તેમજ પરિસ્થિતિ ઉપર રહેલો હોવાથી એને પાળવામાં વિચાર કરવો પડે છે, બહુ જ સાવધાન રહેવું પડે છે અને દેશકાળની સ્થિતિનું બહુ જ ભાન રાખવું પડે છે. અહિંસા અને દયા બંનેની પાછળ સિદ્ધાંત તો આત્મૌપમ્યનો છે, એટલે તત્ત્વની દૃષ્ટિએ કોઈપણ મુદ્રમાં ક્ષુદ્ર કે મોટામાં મોટા જીવના પ્રત્યે આચરવામાં આવતી અહિંસા કે દયાનું પરિણામ સમાન જ છે. તેમ છતાં આપણે સામાજિક અને સ્થૂળ ભૂમિકાના લોકો છીએ. આપણે આપણા કર્તવ્ય અને આચરણનો પડઘો સાંભળવા હંમેશાં આપણા પોતાના કાન ઉઘાડા રાખીએ છીએ અને જે કર્યું તેની લોકો ઉપર શી છાપ પડી અથવા લોકો ઇચ્છે તેમ આપાગે આચર્યું કે નહિ એમ જાણવા હમેશાં ઇંતેજાર હોઈએ છીએ; એટલે કે આપણે વ્યાવહારિક ધર્મનું અનુસરણ પહેલાં કરીએ છીએ. વળી આપણે આપણા સમાજ અને કુલધર્મની બીજાઓ પાસે વધારે કિંમત અંકાવવા ઇચ્છીએ છીએ. આ કારણથી બીજી કોઈપણ જીવજાતિ કરતાં મનુષ્યજાતિ તરફ અહિંસા ને દયાનો હાથ લંબાવવાની આપણને જાણે-અજાણે કે ઈચ્છાએ-અનિચ્છાએ પહેલી ફરજ પડે છે. તમારી સામે ત્રણ માણસો છે એવી કલ્પના કરો : એક જણ ગરોળીના શિકારી પંજામાંથી સેંકડો માખોને બચાવે છે અગર તો કાબરની કઠોર ચાંચમાંથી હજારો કિડામકોડાને બચાવે છે. બીજો બગલાની ચાંચમાંથી માછલાંઓને અગર તો શિકારીની જાળમાંથી હરણોને છોડાવે છે. ત્રીજો કોઈ લૂંટારા કે ખૂનીના પંજામાં સપડાયેલ એક માનવભાઈને બચાવે છે. આ ત્રણે દૃશ્યો તમારી સામે હોય. તેમાં છેલ્લા કરતાં પાછલાઓમાં જ ઉત્તરોત્તર વધારે અને વધારે જીવોનો બચાવ થાય છે એ દેખીતું છે. છતાં તમારા ઉપર એ ત્રણમાંથી કોની વધારે સારી અસર થશે? એટલે કે તમે એ ત્રણે દયાળુ વ્યક્તિઓમાં કોને શ્રેષ્ઠ કહેશો? અથવા તો કોની દયાની વધારે કિંમત આંકશો? હું ધારું છું, દરેક જણ વગર સંકોચે મનુષ્યને બચાવનાર વ્યક્તિને જ વિશેષ દયાળુ કહેવાનો. આ દલીલ ઉપરાંત બીજી પણ કેટલીક એવી દલીલો છે કે જે મનુષ્યજાતિ તરફ સૌથી પહેલું લક્ષ ખેંચવાની તરફેણ કરે છે : (૧) મનુષ્ય પોતે સ્વસ્થ અને સાધનસંપન્ન હોય તો તે પોતાની જાતિ ઉપરાંત બીજી જીવજાતિઓની પણ ખૂબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy