SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ તપ અને પરીષહ - ૨૦૧૭ દીર્ઘતપસ્વી કહેવાયા તે માત્ર બાહ્ય તપને કારણે નહિ, પણ એ તપનો અંતર્જીવનમાં પૂર્ણ ઉપયોગ કરવાને કારણે – એ વાત ભુલાવી ન જોઈએ.. ભગવાન મહાવીરના જીવનક્રમમાંથી જે અનેક પરિપક્વ ફળરૂપે આપણને વારસો મળ્યો છે તેમાં તપ પણ એક વસ્તુ છે. ભગવાન પછીનાં આજ સુધીનાં ૨૫૦૦ વર્ષમાં જૈન સંઘે જેટલો તપનો અને તેના પ્રકારોનો જીવતો વિકાસ કર્યો છે તેટલો બીજા કોઈ સંપ્રદાયે ભાગ્યે જ કર્યો હશે. એ ૨૫૦૦ વર્ષના સાહિત્યમાંથી કેવળ તપ અને તેનાં વિધાનોને લગતું સાહિત્ય જુદું તારવવામાં આવે તો એક ખાસો અભ્યાસયોગ્ય ભાગ જ થાય. જૈન તપ માત્ર ગ્રંથોમાં જ નથી રહ્યું, એ તો ચતુર્વિધ સંઘમાં જીવતા અને વહેતા વિવિધ તપના પ્રકારોનો એક પડઘો માત્ર છે. આજે પણ તપ આચરવામાં જેનો એક્કા ગણાય છે. બીજી કોઈપણ બાબતમાં જૈનો કદાચ બીજા કરતાં પાછળ રહે, પણ જો તપની પરીક્ષા, ખાસ કરી ઉપવાસ-આયંબિલની પરીક્ષા, લેવામાં આવે તો આખા દેશમાં અને કદાચ આખી દુનિયામાં પહેલે નંબર આવનાર જૈન પુરુષો નહિ તો છેવટે સ્ત્રીઓ નીકળવાની જ, એવી મારી ખાતરી છે. આજે જેમ જ્યાં દેખો ત્યાં લાઠી ખાવાની હરીફાઈ બાળકો સુધ્ધાંમાં નજરે પડે છે, તેમ ઉપવાસ કરવાની હરીફાઈ જૈન બાળકોમાં રૂઢ થઈ ગઈ છે. ઉપવાસ કરતાં કચવાતાં જૈન બાળકોને એની મા પોચો અને નબળો એવી જ રીતે કહે છે, કે જેવી રીતે લડાઈમાં જવાને નાઉમેદ થતા રજપૂત બાળને તેની ક્ષત્રિયાણી મા નમાલો કહેતી. તપને લગતા ઉત્સવો, ઉજમણાઓ અને તેવા જ બીજા ઉત્તેજક પ્રકારો આજે પણ એટલા બધા વ્યાપેલા છે કે જે કુટુંબે, ખાસ કરી જે બહેને, તપ કરી તેનું નાનુંમોટું ઉજમણું ન કર્યું હોય, તેને એક રીતે પોતાની ઊણપ લાગે છે. મુગલ સમ્રાટ અકબરનું આકર્ષણ કરનાર એક કઠોર તપસ્વિની જૈન બહેન જ હતી. તપને તો જેન ન હોય તે પણ જાણે છે, પરંતુ પરીષહોની બાબતમાં તેમ નથી. અજૈન માટે પરીષહ શબ્દ જરા નવા જેવો છે, પરંતુ એનો અર્થ નવો નથી. ઘર છોડી ભિક્ષ બનેલાને પોતાના ધ્યેયની સિદ્ધિ માટે જે જે સહવું પડે તે પરીષહ. જૈન આગમોમાં આવા પરીષહો ગણાવવામાં આવ્યા છે, તે ફક્ત ભિક્ષુજીવનને ઉદ્દેશીને જ. બાર પ્રકારનું તપ દર્શાવવામાં આવ્યું છે તે તો ગૃહસ્થ કે ત્યાગી બધાને જ ઉદ્દેશીને, જ્યારે બાવીસ પરીષહો ગણાવવામાં આવ્યા છે, તે ત્યાગી જીવનને ઉદ્દેશીને જ. તપ અને પરીષહ એ બે જુદા દેખાય છે, એના ભેદો પણ જુદા છે, છતાં એકબીજાથી છૂટા ન પાડી શકાય એવા એ ફણગા છે. વ્રતનિયમ અને ચારિત્ર એ બંને એક જ વસ્તુ નથી. એ જ રીતે જ્ઞાન એ પણ એ બંનેથી જુદી વસ્તુ છે. સાસુ, નણંદ અને ધણી સાથે હંમેશા ઝઘડનાર વહુ, તેમજ જૂઠું બોલનાર અને દેવાળું કાઢનાર અપ્રામાણિક વ્યાપારી પણ ઘણી વાર કઠણ વ્રતનિયમ આચરે છે. નેકનીતિથી સાદું અને તદ્દન પ્રામાણિક જીવન ગાળનાર કોઈ કોઈ એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy