SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ • જૈન ધર્મ અને દર્શન પરાક્રમ બતાવવાનું અને કુસ્તી ખેલવાનું એકમાત્ર ધામ તીર્થો જ રહ્યાં છે. એમનો મઝિયારો બીજી કોઈ બાબતમાં હવે રહ્યો નથી અને જે કાંઈ રહ્યો હોય અથવા મઝિયારો ન હોવા છતાં મઝિયારાપણાનો ફાંસો ઊભો કરતા હોય તો તે માત્ર તીર્થોમાં જ છે. પ્રસિદ્ધ એવું એકે તીર્થ નથી કે જ્યાં બંને પક્ષનો ઝઘડો ન હોય અને જેને માટે તેઓ કોર્ટે ન ચઢતા હોય. મારે જરાપણ તરફદારી કર્યા સિવાય અને કોઈ પક્ષપાતનો આરોપ મૂકે તો તેનું જોખમ ખેડીને પણ સ્પષ્ટ અને છતાં નમ્રપણે કહેવું જોઈએ કે જ્યાં જ્યાં માત્ર દિગંબરોનું આધિપત્ય પહેલાં હતું અથવા હજી છે ત્યાં એક સ્થળે શ્વેતાંબરો મઝિયારો કરવા ગયા નથી, જ્યારે દુઃખની વાત એ છે કે દિગંબરો એટલી તટસ્થતા સાચવી શકતા નથી. માત્ર શ્વેતાંબરોનું આધિપત્ય પહેલાં હતું અને હજી પણ છે એવાં તીર્થો સુધ્ધાંમાં તેઓ, જાણે ધર્મની ભારે પ્રભાવના કરતા હોય તેમ, દખલગીરી કરવા જાય છે અને પરિણામે ઝઘડા થાય છે. ક્યારેક એક તો ક્યારેક બીજો પક્ષ જીતે છે. જીતનો આધાર પૈસા અને લડાનારાઓની કુશળતા ઉપર જ છે, સત્ય ઉપર નથી. વળી એક જ મુદ્દા પરત્વે એક પક્ષ આજે તો બીજો પક્ષ કાલે જીત મેળવે છે, અને પોતાની જીતમાં થાય તે કરતાં સામાની હારમાં તેમને વધારે ખુશાલી ઊપજે છે. બંને સંપ્રદાયના અનુયાયીઓના મનમાં એવા સંસ્કારો પડ્યા છે અને પોષાય છે કે જ્યારે કોઈપણ એક તીર્થની તકરારનો ફેંસલો પોતાની વિરુદ્ધ થયો છે એમ સાંભળતાવેંત જ પોતાની અંગત મિલકત જવાના દુઃખ કરતાં પણ વધારે દુઃખ અને આઘાત લોકો અનુભવે છે, અને એ દુઃખ અને આઘાતમાંથી પાછા ફરી લડવા લોકો લલચાય છે, નાણાં ભરે છે અને બુદ્ધિ ખર્ચે છે. આ રીતે એકબીજાની વારાફરતી હારજીતનાં ચક્રો સતત ચાલ્યા કરે છે અને એમાં બુદ્ધિ, ધન અને સમય ત્રણે નિરર્થક દળાઈ જાય છે. એ દળણઆટાનો ફાયદો બેમાંથી એકેને ભાગે નથી આવતો. એનો પૂરો ફાયદો તો એ ચક્કી ચલાવનાર આજનું રાજતંત્ર ઉઠાવે છે. શકો અને હૂણોના પછી મુસલમાનો આવ્યા. તેમણે જૈન મૂર્તિ અને મંદિરો ઉપર હથોડા ચલાવ્યા. એમાંથી બચવા આપણે ફરમાનો પણ મેળવ્યાં અને ક્યાંક ક્યાંક પરાક્રમો પણ કર્યા. આજે આપણે માનીએ છીએ કે આપણાં તીર્થો અને મંદિરો સુરક્ષિત છે. સાચે જ ઉપર ઉપરથી જોનારને એમ લાગે પણ ખરું, કારણ કે અત્યારે કોઈ આપણાં મંદિરો કે મૂર્તિઓ સામે આંગળી ઉઠાવતાં પણ વિચાર કરે છે. તેમ છતાં જરાક ઊંડા ઊતરીને જોઈએ તો આપણને લાગશે કે આપણાં તીર્થો આજે જેવા ભયમાં છે તેવા ભયમાં પહેલાં કદી નહોતાં. કોઈ ગિઝની, કોઈ અલાઉદ્દીન કે કોઈ ઔરંગઝેબ આવતો તો તે કાંઈ ચારે ખૂણે ફરી નહોતો વળતો અને જ્યાં પહોંચતો ત્યાં પણ કાંઈ ત્રણસો સાઠ દિવસ કુહાડાઓ નહોતો ચલાવતો. વળી જે કુહાડા અને હથોડાઓ ચાલતા તેનું દેખીતું પરિણામ એવું આવતું કે આપણે પાછા એ મૂર્તિ અને મંદિરોને જલદી સમરાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy