SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ • જૈન ધર્મ અને દર્શન ગાળે કોઈ અપવાદ કે ભિન્નતા દાખલ થાય એ મનુષ્યસ્વભાવના અભ્યાસીને માટે નવાઈ જેવું નથી. એક પ્રસંગ ઊભો થાય છે. તે આર્ય રક્ષિતનો છે. આ પ્રસંગ વીરનિના છઠ્ઠાસૈકાનો છે. આર્ય રક્ષિતે આર્ય તોસલિપુત્ર પાસે દીક્ષા લીધી ત્યારે બાપની પરવાનગી નહિ લીધેલી, માત્ર માતાની સંમતિ લીધેલી. વિવાહિત ન હોવાથી સ્ત્રીસંમતિનો તો સવાલ જ નહોતો. આ પ્રસંગથી દીક્ષાના બંધારણનું પ્રકરણ નવું શરૂ થયું. માત્ર પિતાની જ અસંમતિ અને તે પણ વિરોધ વિનાની અસંમતિ છતાં આર્ય રક્ષિતે દીક્ષા લીધી. એ દીક્ષાને જૈન શાસ્ત્રોમાં પ્રથમશિષ્યનિષ્કટિક્કા કહેવામાં આવી છે. (આ કથનની પાછળ ભારે મહત્ત્વના મુદ્દાઓ સમાયેલા છે.) આ કિસ્સો બહુ અગત્યનો હોવાથી ટૂંકમાં તેનું વર્ણન આપી તેનું પૃથક્કરણ કરવું જરૂરી છે. આર્ય રક્ષિત જ્યારે બાવીસ વર્ષ જેટલી તરુણ ઉંમરના હતા ત્યારે પુષ્કળ વિદ્યાઓનો અભ્યાસ કરી સ્નાતકની પેઠે ઘેર પાછા ફર્યા. માતાને પૂર્ણ સંતોષ થવો હજી બાકી જ હતો. તેથી તેણે પુત્રને એ શાસ્ત્રવિધાન કહ્યું કે જ્યાં લગી દષ્ટિવાદ નામક જૈન શાસ્ત્ર તું નથી ભણ્યો ત્યાં લગી તારો અભ્યાસ અધૂરો કહેવાય. પુત્ર તો વિદ્યાભૂખ્યો હતો અને તેમાં વળી ખુદ માતાની પ્રેરણા, એટલે તે જરા પણ થોભ્યા વિના બોલ્યો કે એ શાસ્ત્ર મારે ક્યાં શીખવું ? માતાએ પોતાના ભાઈ, જે એક વિદ્વાન અને પ્રધાન જૈન આચાર્ય હતા અને જેમનું નામ આર્ય તોસલિપુત્ર હતું, તેમની પાસે જવા સૂચના કરી. આર્ય રક્ષિત ત્યાં પહોંચ્યો. આચાર્યે ભાણેજને કહ્યું કે જૈનદીક્ષા લીધા સિવાય એ શાસ્ત્ર શીખી શકાય નહિ, તેમજ અદીક્ષિતને અમારાથી શીખવી પણ ન શકાય. વિદ્યાભૂખ્યા આર્ય રક્ષિતે દીક્ષા લીધી અને એ શાસ્ત્રનો અભ્યાસ કર્યો. અંતે દીક્ષામાં તેમનું મન ઠર્યું અને તે એક અસાધારણ વિદ્વાન તથા વિશિષ્ટ આચાર્ય થયા. આ દાખલામાં નીચેની બાબતો ખાસ ધ્યાન દેવા જેવી છે : (૧) આર્ય રક્ષિત બાવીસ વર્ષ જેટલી પાકી ઉંમરના હોવા ઉપરાંત વિશિષ્ટ વિદ્યાભ્યાસી હોઈ સ્વયંનિર્ણય કરવાની શક્તિવાળા હતા. (૨) તે વિવાહિત ન જ હતા. (૩) આચાર્યે તેમને ફોસલાવવાનો, નસાડવાનો કે બીજો કોઈ તેવો અયોગ્ય માર્ગ અવલંબ્યો જ ન હતો. એટલું જ નહિ, પણ આચાર્યે આર્ય રક્ષિતની માતાને એટલે પોતાની બહેનને સુધ્ધાં આ વિશે કાંઈ કહ્યું ન હતું કે તું છોકરાને વિદ્યાભ્યાસ નિમિત્તે મારી પાસે મોકલ અથવા તું એને દીક્ષા લેવા દે અથવા બીજી કોઈપણ લાલચ તેને આપી ન હતી. ઊલટું, તેમણે તો સીધી અને ચોખ્ખી રીતે આર્ય રક્ષિતને એટલું જ કહ્યું કે અમારો ધર્મ દીક્ષિતને જ શાસ્ત્ર શીખવવાનો છે. ' (૪) દીક્ષા લીધા પછી કે દીક્ષા લેતી વખતે નથી માતાએ વિરોધ કર્યો કે નથી પિતાના વિરોધનો ઉલ્લેખ – એટલું જ નહિ, પણ આર્ય રક્ષિતના પિતાએ પોતાની પત્ની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy