SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. આજના સાધુઓ નવીન માનસને દોરી શકે ? યુરોપમાં ગેલિલિયો વગેરે વૈજ્ઞાનિકોએ જ્યારે વિચારની નવીન દિશા ખુલ્લી મૂકી અને બૂનો જેવા ખુદ પાદરીના પુત્રોએ ધર્મચિંતનમાં સ્વતંત્રતા દાખવી ત્યારે તેમની સામે કોણ હતા? એ પ્રશ્નના ઉત્તરમાંના ત્યાંના પોપ અને ધર્મગુરુઓ જ આપણી સામે આવે છે. બાઈબલની જૂની ઘરેડ, વિચારની નવીનતા અને સ્વતંત્રતા જ્યારે સાંખી ન શકી ત્યારે જડતા અને વિચાર વચ્ચે હૃદ્ધ શરૂ થયું. અંતે જડતાએ પોતાનું અસ્તિત્વ સલામત રાખવા એક જ માર્ગ અવલંવ્યો અને તે એ કે ધર્મગુરુઓએ કે પોપોએ પોતાના ધર્મની મર્યાદા માત્ર બાઈબલના ગિરિવચન પૂરતી અને બની શકે ત્યાં સેવાક્ષેત્ર પૂરતી આંકી વિજ્ઞાન અને શિક્ષણનાં નવીન બળોને દોરવાનું અસામર્થ્ય તેઓએ પોતામાં જોયું; અને તરત જ તેમણે પોતાનું કાર્યક્ષેત્ર સંકુચિત કરી નવા જમાનાને બાધક થવાની આત્મઘાતક પ્રવૃત્તિમાંથી મુક્તિ મેળવી પોતાનું અને નવીન વિકાસનું અસ્તિત્વ બચાવી લીધું. યુરોપમાં જે જમાનાઓ પૂર્વે શરૂ થયું અને છેવટે થાળે પડ્યું તેની શરૂઆત આજે આપણે હિન્દમાં જોઈએ છીએ; અને એ શરૂઆત પણ ખાસ કરી જૈન સમાજમાં જોઈએ છીએ. હિન્દુસ્તાનમાં બીજા સમાજોની વાત કરે રાખી માત્ર વૈદિક કે બ્રાહ્મણ સમાજની વાત લઈ જરા વિચારીએ. વૈદિક સમાજ કરોડોની સંખ્યા ધરાવનાર એક વિશાળ હિન્દુ સમાજ છે. એમાં ગુરુપદે ગૃહસ્થ બ્રાહ્મણો ઉપરાંત ત્યાગી સંન્યાસીઓ પણ હોય છે. એ ગુરુઓની સંખ્યા લાખોમાં જાય છે. જ્યારે હિન્દુ સમાજમાં નવશિક્ષણ દાખલ થયું ત્યારે એમાં પણ ત્યાગી અને ગૃહસ્થ ગુરુઓ ખળભળ્યા. એ ખળભળાટ કરતાંય વધારે વેગે નવશિક્ષણ પ્રસરવા લાગ્યું. એણે પોતાનો માર્ગ નવી રીતે શરૂ કર્યો. જે ગૃહસ્થ બ્રાહ્મણ પંડિતો શાસ્ત્રજ્ઞાનને બળે અને પરંપરાને પ્રભાવે ચારે વર્ણના એકસરખા માન્ય ગુરુપદે હતા અને જેમની વાણી ન્યાયનું કામ આપતી તેમજ વર્ણ અને આશ્રમોના કાળજૂના ચીલાઓની બહાર પગ મૂકવામાં પાપનો ભય બતાવતી તેમજ પ્રાયશ્ચિત્તનું રક્ષણ આપતી, તે જ ધુરંધર પંડિતોનાં સંતાનોએ નવીન શિક્ષણ લઈ અને પોતાના Jain Education International For. Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy