SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ • જૈન ધર્મ અને દર્શન સાધુઓ તે વખતે આવેલા તે મોટે ભાગે ચાલતી વાચનાના શ્રાવક માત્ર હતા. કામ તો એકલે હાથે એ બાહોશ સાગરજી કરતા. તે વખતે બીજા વિદ્વાન, લાગવગવાળા અને સામગ્રીસંપન્ન આચાર્યો કે સાધુઓએ સાગરજીને, કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા સિવાય, સાથ આપ્યો હોત તો એ આગમપ્રકાશનનું કાર્ય જુદી જ રીતે સંપન્ન થયું હોત. આ બધું છતાં બહુશ્રુત અને પુરુષાર્થી શ્રી સાગરાનંદ સૂચિએ ખરેખર એકલે હાથે અને કલ્પી ન શકાય એટલા થોડા સમયમાં લગભગ બધું આગમથ્થત લોકોને સુલભ કરી દીધું. એને પરિણામે શ્વેતાંબર પરંપરા ઉપરાંત દિગંબર, સ્થાનકવાસી અને તેરાપંથી પરંપરામાં પણ નવચેતના પ્રગટી. સૌએ પોતપોતાની દૃષ્ટિએ શ્રુતપ્રકાશનનો માર્ગ અંગીકાર્યો, જે આજે પણ કામ કરી રહ્યો છે. સમયની માગણી પરંતુ સમયની માગણી જુદી હતી અને હજીયે જુદી છે. જેમ જેમ પાશ્ચાત્ય વિચારો અને તેની કાર્યપદ્ધિતિઓ આપણી જાણમાં વધારે ને વધારે આવતી ગઈ, તેમ તેમ આપણને માત્ર પ્રથમ થયેલ કામમાં સંતોષ રહેતો તે ઘટવા લાગ્યો. અને એક જ વસ્તુને નવનવી રીતે લોકો સમક્ષ મૂકવાની વૃત્તિ પ્રબળ અને પ્રબળ થતી ગઈ. યુરોપીયા વિદ્વાનોના હાથે થયેલ સંસ્કરણોની જેવી પ્રતિષ્ઠા છે, તેમનાં લખાણોમાં જે તટસ્થતા અને વિશાળ દૃષ્ટિ છે તેવું આપણે કેમ ન કરીએ? આવી મહત્ત્વાકાંક્ષા આપણી ચેતનામાં જન્મી. હવે “અભિધાનરાજેન્દ્ર અને બીજા તેવા ગ્રંથો માત્રથી સંતુષ્ટ ન રહેતાં કાંઈક તેથી વધારે પદ્ધતિસર, વધારે અગત્યનું અને વધારે ગ્રાહ્ય બને તેવું કામ કરીએ – આવી ભાવના શું ત્યાગી કે શું ગૃહસ્થ બને સમજદાર વર્ગમાં એકસરખી જાગી. એને લીધે છૂટાછવાયા અનેક પ્રયત્નો પણ શરૂ થયા. જૈન પરંપરાના બધા ફિરકામાં, અને એક એક ફિરકાની જુદી જુદી સંસ્થાઓમાં, એ પ્રયત્નો ચાલી રહ્યા છે એ એક પ્રમોદદાયક છે. આ બધું છતાં હવે એવો સમય આવી ગયો છે, અને તે પાક્યો પણ છે, કે જ્યારે આપણે હવે કાંઈક જુદી જ દૃષ્ટિએ અને કાંઈક જુદી જ ભૂમિકા ઉપર જૈન શ્રુતના પ્રકાશનનું કે નવનિર્માણનું કામ હાથ ધરવું જોઈએ. આજની જૈન શ્રુત પ્રત્યેની આપણી મુખ્ય જવાબદારી આ જ છે. એ જુદી દૃષ્ટિ અને જુદી ભૂમિકા શી છે કે જેને લીધે આપણી વારસાગત સંકુચિતતાની ખામી દૂર થાય અને આપણે જાગેલી નવચેતનાને સંતોષી પણ શકીએ. એ હવે સંક્ષેપમાં વિચારીએ. તૈયાર ભૂમિકાનો ઉપયોગ કરી લઈએ આપણે પ્રથમ ભૂમિકાને જોઈએ. જૈન શ્રતને લગતું જે કામ જે દૃષ્ટિએ કરવું પ્રાપ્ત છે તેની સાધનસામગ્રી એ જ આપણી ભૂમિકા છે. પહેલાં પણ આવી સામગ્રી ન હતી કે સર્વથા અજ્ઞાત હતી એમ નથી, પણ આજે તેની સામગ્રી જેટલા પ્રમાણમાં પ્રાપ્ત છે, જેટલા પ્રમાણમાં જ્ઞાત છે અને જેટલા પ્રમાણમાં સુલભ છે, તેટલા પ્રમાણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy