SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી શ્રુત પ્રત્યેની જવાબદારી ... ૧૫૫ દરકાર નથી કરતો, બીજા સાથે મળતો-હળતો નથી, સહાકર લેતો-દેતો નથી અને છેવટે એ પોતાની જાતને નબળી પાડે છે તેમજ બીજાને નબળા બનાવવામાં નિમિત્ત બને છે. લગભગ આવી દશા જૈન ફિરકાના શ્રતની થઈ છે. દિગંબર પરંપરાએ પોતાના અનુયાયીઓમાં જન્મથી જ સંસ્કાર પોષવા માંડ્યો કે અંગકૃત નાશ પામ્યું અને જે અંગ કે આગમઢુત છે તે તો શ્વેતાંબર સાંપ્રદાયિક માણસ ઉપલબ્ધ જૈન શ્રતને આદરથી કે જિજ્ઞાસાથી જોઈ જ ન શકે. જે શ્રુતમાંથી અનેક પુરાતન અને મહત્ત્વની વિગતો યુરોપિયન વિદ્વાનો શોધી રજૂ કરે તે જ શ્રુત દિગંબર પરંપરાને તુચ્છ લાગે ! એ જ રીતે શ્વેતાંબર પરંપરાના સાંપ્રદાયિક લોકો દિગંબર પરંપરાના શ્રુત વિશે પોતાના અનુયાયીઓમાં સંકુચિત સંસ્કાર પોષે તો તેઓ કુંદકુંદ, પૂજ્યપાદ ને સમન્તભદ્ર જેવા સમર્થ વિદ્વાનોના મૃતનું મહત્ત્વ કેવી રીતે આંકી શકે? આ ભેદક રેખા બહુ મોટી છે. એનો ચેપ વારસામાં ઊતરતો સ્થાનકવાસી ફિરકામાં પણ આવ્યો છે. એણે પોતાનો અમુક ચોકો બાંધી માનવા-મનાવવા માંડ્યું કે બત્રીસ આગમ એ જ મુખ્ય છે અને બીજું તો બધું ઠીક જ છે ! આ ચોકાવૃત્તિએ સ્થાનકવાસી ફિરકાને જે શ્રુત અને જ્ઞાનની દરિદ્રતા આપી છે તે વિશે અહીં કાંઈ પણ કહેવું અપ્રસ્તુત છે. અહીં તો એટલું જ પ્રસ્તુત છે કે તે ચોકાવૃત્તિનો વારસો પાછો તેરાપંથને મળ્યો અને તેણે શ્રુતપરંપરાનો વિસ્તાર કરવાને બદલે એક રીતે પોતાની દૃષ્ટિએ તેનું ક્ષેત્ર સંકુચિત કર્યું. આ રીતે આપણે ઇતિહાસક્રમમાં જોઈએ છીએ કે શ્રુત પ્રત્યેની જૈનોની જન્મસિદ્ધ ભક્તિ પણ એટલી બધી આંધળી અને સામયિક કર્તવ્યથી વિમુખ બનતી આવી છે કે અત્યારે માગણી સંતોષે એવો પ્રસ્તાવ તેમની સમક્ષ રજૂ કરતાં પણ માણસ ખમચાય છે. શ્રી સાગરાનંદસૂરિનો ભગીરથ પુરુષાર્થ હવે આપણે નવા યુગ તરફ વળીએ. એક તરફથી યુરોપમાં જૈન શ્રત દાખલ થતાં તેનો અભ્યાસ શરૂ થયો, વધ્યો અને વિસ્તર્યો. તે ઉપર અનેક ભાષામાં અનેક રીતે કામ થયું અને હજી થાય છે. બીજી બાજુ દેશમાં જ પાશ્ચાત્ય વિચારોના પડઘા પડ્યા અને જૈન શ્રતને પ્રકાશિત કરવાનો વિચાર ફેલાતો ગયો. બાબુ ધનપતસિંહજીના પુરાણા પ્રકાશનની વાત જતી કરીએ તોય આપણે આગમવાચનાને જતી કરી શકીએ તેમ નથી. આગમ અને બીજાં શાસ્ત્રોને છપાવવાનો વિરોધ શ્વેતાંબર દિગંબર બંને પરંપરામાં એક સરખો હતો. શ્રીમાન સાગરાનંદસૂરિ પહેલાં વિરોધ પક્ષમાં હતા, પણ તેમની ચકોર દૃષ્ટિએ કાળબળ પારખ્યું અને પોતે જ આગમપ્રકાશનનાં કાર્ય માટે આગળ આવ્યા. મેં એમના સહવાસમાં જોયું છે કે જ્યારે તેઓએ આ ભગીરથ કાર્ય હાથમાં લીધું અને પાટણમાં વાચના સાથે મુદ્રણકાર્ય પણ શરૂ કર્યું ત્યારે તેમાં સાથ આપનારા સાધુઓ એવા ન હતા કે જે ખાસ લાગવગવાળા હોય, જે કાર્યસાધક વિદ્વત્તા પણ ધરાવતા હોય અને જે સાગરજીને તેમના કાર્યમાં સીધા સહાયક પણ થતા હોય. જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy