SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ • જૈન ધર્મ અને દર્શન અભેદગામી, સમન્વયલક્ષી કે સહકારી તત્ત્વ વિકાસ પામવાને બદલે વિરોધલક્ષી અગર ભેદગામી તત્ત્વ વધારે ને વધારે વિકસતું આપણે ઉત્તર કાળના ઇતિહાસમાં જોઈએ છીએ. તેથી જ્યારે એક વિદ્વાન આગળ આવે ત્યારે મોટે ભાગે બીજા વિદ્વાનો કે આચાર્યો તેને શ્રુતકાર્યમાં સંપૂર્ણ સાથ આપવાને બદલે કાં તો તટસ્થ રહેતા, કાં તો જુદો ચોકો જમાવતા. આનું પરિણામ છેવટે એ જ આવતું જે આજે દેખાય છે. બહુમૂલું જૈન શ્રત આવી સ્થિતિ છતાં સદ્ભાગ્યે આપણને વારસામાં જે કાંઈ શ્રુત મળ્યું છે તે પણ નથી ઓછું કે નથી ઓછા મહત્ત્વનું. ભગવાન મહાવીરના સમયની જ નહિ, પણ તે પહેલાંના કેટલાક સમયની પણ ઘણી હકીકતો આજે જૈન શ્રત દ્વારા પ્રાપ્ત છે. તત્ત્વજ્ઞાનના તત્કાલીન સમાજના, ધાર્મિક આચારો અને સંઘના અને ભાષા આદિ અનેક મુદ્દાના ઈતિહાસની દૃષ્ટિએ એ પ્રાચીન ગ્રુતમાં ઘણું ઘણું ઉપયોગી સચવાયું છે. શ્રુતપરંપરાની સમય સમયની નવી ગોઠવણ, નવા વિચારોનો સમાવેશ, આવશ્યક સંક્ષેપ વિસ્તાર વગેરે બધું થયા છતાં એમાં અતિજૂના અને જૂના અવશેષો જેમના તેમ સુરક્ષિત છે. વસ્તુ એની એ જ કાયમ હોય તો એને પ્રકાશિત કરનારી ભાષામાં કે એની રચનામાં થયેલો ફેરફાર કોઈ ખાસ અસર કરતો નથી. પ્રાકૃત કે અર્ધમાગધીના સંસ્કૃતમાં કે બીજી અંગ્રેજી આદિ ભાષાઓમાં થયેલાં અને થતાં રૂપાંતરો જો કે યથાવતુ હોય છે, પણ તેથી મૂળ ગ્રંથનું મહત્ત્વ જરા પણ ઓછું ન થતાં ઘણી વાર વધે પણ છે. પ્રાચીન જેને શ્રુતની બાબતમાં પણ આમ બન્યું છે. આ એક ભારતીય સંસ્કૃતિના ઇતિહાસની દૃષ્ટિએ સાધારણ સામગ્રી ન ગણાવી જોઈએ. જૈન શ્રતને વેબર, યાકોબી જેવા વિદેશી વિદ્વાનો તેમજ જૈનેતર ભારતીય વિદ્વાનો અનેક દૃષ્ટિએ મહત્ત્વનું સ્થાન આપે છે અને જેના પરિશીલન વાસ્તે તેમણે જિંદગીનો મોટામાં મોટો અને સારામાં સારો ભાગ ખ છે, એટલું જ નહિ, પણ જે જૈન શ્રત આજકાલના વિસ્તરતા જતા વિશ્વમાં અનેક ભાષાઓ દ્વારા વધારે ને વધારે પરિચિત થવા સાથે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે તે જૈન શ્રત પ્રત્યે જેને લોકોની વારસાગત ભક્તિ હોવા છતાં, તે પ્રત્યેનું આધુનિક કર્તવ્ય તેઓ બરાબર ન સમજતા હોય એમ લાગ્યા કરે છે. એકબીજા પ્રત્યેની ઉપેક્ષાવૃત્તિ પહેલાં તો આપણે જોઈએ છીએ કે દિગંબર પરંપરા પોતાના જ ચોકામાં પુરાયેલી છે, તો શ્વેતાંબર પરંપરા પોતાના ચોકામાં. સ્થાનકવાસી અને તેમાંથી ઉદ્ભવેલ તેરાપંથી એ પણ પોતાના ચોકામાં જ પુરાયેલ છે. ચોકામાં રહેવું એ એક વાત છે અને તેમાં પુરાવું એ બીજી વાત છે. ચોકામાં રહેનાર અનેક આંખોથી બહારનું બધું જુએ-જાણે, તેની સાથે મળેહળે, સહયોગ લે-દે તો એ ચોકો બાધક નથી બનતો, પણ ચોકામાં પુરાનાર તો આંખ-કાન બંધ કરીને જ પુરાય છે; એટલે તો બજાર વિશે કશું જાણવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy