________________
આપણી શ્રુત પ્રત્યેની જવાબદારી • ૧૫૩ ફાવે અને રુચે એટલું અને એવું શ્રુત સાચવવા કાંઈ ને કાંઈ કરતા જ રહ્યા છે, પણ એવી ચોકાવૃતિને લીધે સર્વને એકસરખું માન્ય થાય, એકસરખું ઉપયોગી થાય અને જૈન પરંપરાના મોભાને પૂર્ણ રીતે ટકવી રાખે એવું મહત્ત્વનું શ્રુત તો લુપ્ત થઈ ગયું છે તેની કબૂલાત દરેક ફિરકો બહુ ઉત્સાહથી આજ સુધી કરતો રહ્યો છે. !
જે જે આચાર્યું કે જે જે સંઘે કે જે જે ફિરકાએ જેટલું અને જે રીતે સાચવ્યું તેની યશોગાથા ગાવામાં તેના વારસદારોએ કચાશ નથી રાખી અને જે નાશ પામ્યું, જે ન સંગૃહીત થઈ શક્યું તે ત્રુટિનો ટોપલો દરેક ફિરકાએ કાળ ઉપર નાખ્યો છે. સૌએ એક જ વાત કહી છે કે કાળ ઊતરતો આવ્યો, દુર્મિક્ષ બહુ પડ્યા, સ્મૃતિ અને આયુષ્ય ઘટ્યાં, એટલે સારામાં સારું અને જૂનામાં જુનું પણ મૃત આપણે ગુમાવ્યું. પણ આમ કહેતી વખતે કે અને સાંભળતી વખતે આપણે એટલો વિચાર નથી કરતા કે કાનહાનિ, દુભિક્ષ અને બીજી અગવડો એ માત્ર જૈન સંઘને જ સ્પર્શ કરતી હતી કે તે જ સ્થાનોમાં વસતા બ્રાહ્મણ અને બૌદ્ધોને પણ સ્પર્શ કરતી? જો કાળહાનિ વગેરે તત્ત્વો સૌને એકસરખાં સ્પર્શ કરતાં તો એવું કયું તત્ત્વ હતું કે જેને લીધે બુદ્ધના ઉપદેશો અવિકલપણે સંગ્રહાયા, લખાયા અને પથ્થરોમાં કોતરાયા, તેમજ વૈદિક અને ઔપનિષદ જેવાં શાસ્ત્રો તેનાં છ અંગો અને અર્થશાસ્ત્ર કે મહાભાષ્ય જેવા ગ્રંથો અક્ષરશઃ સચવાઈ રહ્યાં અને મુખ્ય તેમજ મહત્ત્વનું જૈન શ્રત માત્ર ન સચવાયું! નજીવા મતભેદોને મોટું રૂપ આપવાની ટેવ
ખરી વસ્તુસ્થિતિ એવી લાગે છે કે જેને અનગારો શ્રુતભક્તિથી શ્રુતરક્ષા માટે ખરેખર પ્રયત્ન કરતા, પણ તેમનામાં અંદરોઅંદર નજીવી બાબત ઉપર જે મતભેદ પડતા તે મતભેદોને તેઓ એટલું મોટું અને ભયાનક રૂપ આપતા કે જેને લીધે તેમના અનુયાયીઓ દિવસે દિવસે એકબીજાથી સાવ અલગ પડતા જતા હતા, અને શ્રુત જેવી સામાન્ય બાબતમાં પણ એક થઈ શકતા નહિ. આજે આપણે જાણીએ છીએ કે એક વ્યક્તિ પોતાનો મત-વિચાર સાચવી રાખીને પણ બીજા સાથે સર્વસાધારણ હિતકારી બાબતમાં મળી જાય છે, તેની સાથે કામ કરે છે. તો આ જ કરતાં જેને આપણે મોટા ગુણધર સમજતા હોઈએ કે જ્ઞાની સમજતા હોઈએ તેમને પોતપોતાના મતભેદો કાયમ રાખીને પણ સર્વસાધારણ જૈન શ્રુતની રક્ષાના કાર્યમાં ભાગ લેતા કોણ અટકાવે ? જવાબ એ નથી કે કાળહાનિ અવયંભાવી હતી કાળહાનિનો અર્થ પણ છેવટે તો એ જ કે જવબાદાર આગેવાનોની માનસિક નબળાઈ. આ નબળાઈનું તત્ત્વ જૈન સંઘને એવી રીતે વારસામાં મળતું રહ્યું છે કે આજ સુધી તે જૈન સંઘની શ્રુત પ્રત્યેની જવાબદારીને અને તેને અમલમાં મૂકવાની વૃત્તિને સંગીન બનવા દેતું નથી,
પંડ્રવર્ધન, મથુરા અને વલભીમાં જે કાંઈ શ્રત વિશે કાર્ય થયું તેમાં પણ તે વખતે મળી શકવાને સંભવ હોય એવા ભિન્ન આચાર્યો મળ્યા નથી. દિવસે ને દિવસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org