SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી શ્રુત પ્રત્યેની જવાબદારી ૭ ૧૫૧ આ આપણી શ્રુતપરંપરા પ્રત્યેની જવાબદારીનો ઉત્તમમાં ઉત્તમ અંશ છે; અને તે, હું સમજું છું ત્યાં લગી, દરેક જૈનના લોહીમાં ઊતરી આવ્યો છે. એમ ન હોત તો આજે જૈન પરંપરાના જુદા જુદા, નાનામોટા બધા ફિરકાઓ પોતપોતાની સમજ અને સાધન પ્રમાણે શ્રુતરક્ષા, શ્રુતપ્રચાર આદિ માટે જે કાળજી સેવે છે ને પ્રયત્ન કરે છે તે કદી સંભવત નહિ. એ ખરું છે કે પાડોશી સંપ્રદાયો અને પરંપરાઓની શાસ્ત્રરક્ષા શાસ્ત્રપ્રચાર આદિની હિલચાલનો પ્રભાવ જૈન ફિરકાઓ ઉપર પડે તે અનિવાર્ય છે. પણ જો એ ફિરકાઓને વારસામાં શ્રુતનિષ્ઠાનો સંસ્કાર લાધ્યો ન હોત તો, માત્ર બાહ્ય સંયોગો એમનામાં ગરમી પેદા કરી શકત નહિ અને કરત તોયે તે ટકી શકત નહિ અગર પ્રયત્નાભિમુખ થઈ શકત નહિ. એટલે આપણામાં શ્રુત પ્રત્યેની નિષ્ઠા કે આદરનો સંસ્કા૨ વારસાગત છે એમાં શક જ નથી અને એ એક આપણી વા૨સાગત ગુણસંપત્તિ છે. આપણી કેટલીક ખામીઓ આ બધું છતાં એ ગુણસંપત્તિની સાથે સાથે આપણા વારસામાં કેટલીક ખામીઓ કે ત્રુટિઓ પણ ઊતરી આવી છે. આપણે ભલે એ ભૂતકાળથી ઊતરી આવેલ ખામીઓ આડે આંખ મીંચીએ, પણ તેથી લોહીમાં ઊતરેલી એ ખામીઓનો કોઈ ઇન્કાર કરી શકે તેમ નથી અને ઇન્કારમાત્રથી રસ્તો પણ સરળ થતો નથી. જે ગુણસંપત્તિ વિશે ઉપર સૂચન કર્યું છે તેનો વિસ્તાર રોચક રીતે કરી શકાય તેમ છે, પણ જ્યારે જવબાદારીનો પ્રશ્ન વિચારવાનો હોય અને તે અર્થે ટૂંકમાં લેવા જોઈતા માર્ગનો નિર્દેશ કરવો હોય ત્યારે તો વા૨સામાં કઈ ખામીઓ ઊતરી છે અને તે કેવી રીતે અત્યારે આપણને બાધક બની રહી છે એનું જ સાધાર સૂચન કરવું જોઈએ. આપણે જાણીએ છીએ કે ભગવાન પાર્શ્વનાથનું પોતાનું પણ શ્રુત હતું. તે તેમના પટ્ટધરોએ તે સમયની શક્યતા પ્રમાણે સાચવ્યું. ભગવાન મહાવીરે એ શ્રુતમાં કાંઈક પણ વધારો કર્યો અગર સંસ્કાર કર્યો. એ જે કાંઈ બન્યું તેની અક્ષરશઃ કે તાદશ નોંધ નથી, પણ એટલું તો હકીકતથી સિદ્ધ છે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જૈન અનગારોને શ્રુતસંગ્રહ અને શ્રુતવ્યવસ્થા માટે ભારે ચિંતા ઊભી થઈ. અત્યાર અગાઉ બૌદ્ધ ભિક્ષુકોએ પોતાના શ્રુતની રક્ષા અને વ્યવસ્થા માટે બે મોટી પરિષદો કે સંગીતિઓ ભરી તેમાં નોંધવાલાયક કામ કર્યું હતું. આવી કોઈ પરિષદ વૈદિકોએ ક્યાંય ભરી હતી એવું ચોક્કસ પ્રમાણ પ્રાપ્ત નથી. તેમ છતાં એમ માનવાને કારણ છે કે શાસ્ત્રનિષ્ઠ અને શાસ્ત્રજીવી બ્રાહ્મણોએ આ વિષયમાં નાનામોટા પ્રયત્નો અવશ્ય કર્યા હોવા જોઈએ. પોતાની આસપાસ જે વાતાવરણ ઉગ્રપણે પ્રવર્તતું હોય તેની અસરથી મોટે ભાગે વનવાસી એવા જૈન અનગારો પણ અલિપ્ત રહી શકે નહિ. તેમને પણ લાગ્યું કે આમ ને આમ મુખ-શ્રુતથી કામ નહિ ચાલે અને વનવાસ કે લેખન તેમજ શ્રુત-સંગ્રહના અપરિગ્રહને પણ એકાંત વળગી રહ્યું કામ નહિ ચાલે. સ્થૂલભદ્ર આગળ આવ્યા. મદદ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy